Vadodara: ડભોઇમાં બદ્રીનારાયણ મંદિર ખાતે ભાગવત કથાનો પ્રારંભ

ડભોઇ વડોદરી ભાગોળ શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે અધિક માસ નિમિત્તે આયોજિત પુરુષોત્તમ-ભાગવત કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી. પરંતુ ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિક છે.હિંદુ ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે વિશેષ મહત્વ અપાયું છે.આ માસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત મનાય છે. વર્ષના અન્ય મહિનાઓ કરતાં અનેકગણું પુણ્યદાયી ગણાય છે. સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજના પાવન સાનિધ્યમાં યોજાતી આ કથા ભક્તોને ધર્મપ્રેમ અને સંસ્કૃતિ સાથે જોડવાનો ઉત્તમ પ્રયાસ છે. કથાના મુખ્ય યજમાન હરીશ પંચાલ અને કિરણબેન પંચાલ દ્વારા યોજાયેલી પોથીયાત્રા, પોથી પૂજન, ભગવાન પુરુષોત્તમની આરતી અને પૂજા-અર્ચનાએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment