El Nino Alert : ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અંબાલાલ પટેલની નવી આગાહી, અલ નીનોની અસરને લઈને પણ ચેતવણી

El Nino Alert : ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અંબાલાલ પટેલની નવી આગાહી, અલ નીનોની અસરને લઈને પણ ચેતવણી

ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 15 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. આ વરસાદ ખેડૂતો તેમજ ગરમીથી પરેશાન લોકોને થોડોક રાહત આપશે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, રાજ્યમાં ચોમાસાની ગતિવિધિઓ 15 જૂન પછી વધુ સક્રિય બનશે. ખાસ કરીને 20 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો અને વ્યાપક વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જામે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું ધીમે ધીમે ગતિ પકડશે.

વહેલા વરસાદની વાત કરીએ તો 13, 14 અને 15 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત, 16 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જોકે, ચોમાસાનો સારો અને વ્યાપક વરસાદ 20 જૂન બાદ શરૂ થવાની શક્યતા વધુ છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 7 જુલાઈ સુધીમાં ચોમાસું દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લે તેવી શક્યતા છે. જેના કારણે આગામી અઠવાડિયાઓમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી શકે છે.

અલ નીનોની અસરને લઈને ચિંતા

ચોમાસા અંગેની આગાહી વચ્ચે અલ નીનોની અસર પણ ચર્ચાનો વિષય બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આ વર્ષે અલ નીનોની અસર ચોમાસા પર જોવા મળી શકે છે. તેના કારણે દેશમાં સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનોની અસરને કારણે વરસાદના વિતરણમાં અસમાનતા જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત સર્જાઈ શકે છે. સરેરાશ વરસાદમાં લગભગ 10 ટકા સુધી ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અલ નીનો અંગે અંબાલાલ પટેલનું અનુમાન

અલ નીનો અંગે અંબાલાલ પટેલે પણ ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળી શકે છે. જોકે, તેમણે જણાવ્યું કે અલ નીનોના કારણે તમામ વિસ્તારોમાં સમાન અસર નહીં થાય. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલના મતે, જુલાઈ મહિનામાં વરસાદની સારી સિસ્ટમ વિકસવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. તેમ છતાં, જુલાઈ દરમિયાન પણ અલ નીનોની અસર અનુભવાઈ શકે છે અને વરસાદના પેટર્નમાં ફેરફાર જોવા મળી શકે છે.

એકંદરે, ગુજરાતમાં ચોમાસાની મુખ્ય ગતિવિધિઓ 20 જૂન બાદ તેજ બનવાની શક્યતા છે, પરંતુ અલ નીનોના કારણે વરસાદના પ્રમાણ અને વિતરણ પર અસર પડી શકે છે. તેથી ખેડૂતો સહિત તમામ વર્ગના લોકો માટે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ

Bharuchના હાંસોટમાં પાવરગ્રીડની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: ખેતરોમાં ગેરકાયદે રસ્તો બનાવતા જમીનને વ્યાપક નુકસાન

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાંથી ખેડૂતોના આક્રોશ અને વહીવટી તંત્ર સામેના વિરોધ પ્રદર્શનના મોટા સમાચાર સામે આવ્યા છે. હાંસોટના ઇલાવ ગામેથી પસાર થતી પાવરગ્રીડ લાઈન અને તેના ટાવર ઊભા કરવાની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ ફરી એકવાર એક થઈને ભારે વિરોધ નોંધાવ્યો છે. પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વિના મનસ્વી રીતે કામગીરી આગળ વધારવામાં આવતા હનનનો ભોગ બનેલા જગતના તાતમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

ખેતરોમાં રસ્તો બનાવી વાહનો ઘુસાડ્યાનો આક્ષેપ

ગ્રામજનો અને પીડિત ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પાવરગ્રીડ ટાવર ઊભા કરવા માટે કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા તેમના ઊભા પાક વાળા ખેતરોમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. આ કાચા રસ્તા પરથી દિવસ-રાત કંપનીના ભારે માલવાહક વાહનો અને મશીનરી પસાર કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી વિના આ રીતે વાહનોની અવરજવર થવાના કારણે ખેતીલાયક જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને મોંઘોદાટ પાક કચડાઈ રહ્યો છે.

રોષે ભરાયેલા ખેડૂતોની એક જ માંગ: “ખેતીની જમીન બચાવો”

આ ગંભીર નુકસાની અને અન્યાય સામે ઇલાવ ગામના ખેડૂતોએ એકત્રિત થઈને પાવરગ્રીડની ચાલતી કામગીરીને અટકાવીને પોતાનો સખત વાંધો ઉઠાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે જો વહીવટી તંત્ર અને કંપની આ જ રીતે મનમાની કરશે તો તેમની આજીવિકાનું એકમાત્ર સાધન એવી જમીન સંપૂર્ણપણે બંજર બની જશે. સ્થાનિક ખેડૂતોએ એકસૂરે વહીવટી તંત્ર પાસે પોતાની કિંમતી ખેતીની જમીન બચાવવાની અને ગેરકાયદે ઘૂસણખોરી બંધ કરાવી યોગ્ય વળતર અપાવવાની ઉગ્ર માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Breaking News: ધર્મશાલામાં 25-25 ઓવરની મેચ, ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જાણો પ્લેઈંગ 11

Breaking News: ધર્મશાલામાં 25-25 ઓવરની મેચ, ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જાણો પ્લેઈંગ 11

IPL બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સિરીઝ શરુ થઈ હતી, જેની એકમાત ટેસ્ટ જીત્ય બાદ હવે ભારતીય ટીમની નજર વનડે સિરીઝ જીતવા પર છે. વરસાદના કારણે મેચમાં ટોસ મોડેથી થયો હતો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો હતો અને કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ધર્મશાલામાં 25-25 ઓવરની મેચ

ભારત અને અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ બાદ હવે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆત થઈ છે. જોકે ધર્મશાલામાં યોજાયેલી આ પહેલી મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું, જેના કારણે ટોસમાં વિલંબ થયો હતો. વારસદ બાદ મેચ મોદી શરુ થવાની હોવાથી મેચની ઓવર ઘટાડવામાં આવી હતી. મેચ 25-25 ઓવરની મેચ રમાશે.

 

શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શુભમન ગિલે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. વાદળછાયું વાતાવરણ છે, તેથી મને લાગે છે કે બોલરોને મદદ મળશે. મને લાગે છે કે તે બેટિંગ કરવા માટે પણ સારી વિકેટ હશે. શરૂઆતની ઓવરોમાં, થોડી સીમ મૂવમેન્ટ થઈ શકે છે, પરંતુ પવન શાંત થયા પછી, મને લાગે છે કે તે ખરેખર સારી વિકેટ હશે. અમે બે ડેબ્યુટર્સ સાથે જઈ રહ્યા છીએ: ગુર્નૂર બ્રાર અને હર્ષ દુબે આજે ડેબ્યુ કરશે. યશસ્વી જયસ્વાલ, પ્રિન્સ યાદવ અને કુલદીપ યાદવ આજની મેચમાં નહીં રમે.

અફઘાનિસ્તાનના કેપ્ટને શું કહ્યું?

ટોસ હાર્યા બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી કહ્યું કે અમે પણ પહેલા કરવા માંગતા હતા. આ પહેલીવાર છે જ્યારે અમે ભારત સામે તેમની પરિસ્થિતિમાં રમી રહ્યા છીએ. તેથી બંને પક્ષો માટે આ એક મુશ્કેલ મેચ રહેશે રહ્યું છે અને અમે તે પડકાર માટે ઉત્સાહિત અને તૈયાર છીએ અને આશા છે કે અમે અહીં સારું પ્રદર્શન કરીશું. અમારી પાસે બે સીમર્સ, એક ઓલરાઉન્ડર અને ત્રણ સ્પિનર્સનું કોમ્બિનેશન છે.

 

અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકિપર), સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (સી), અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ સફી, એએમ ગઝનફર, ઝિયા ઉર રહેમાન શરીફી.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકિપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.

FIFA World Cup: અમેરિકાએ કર્યા આટલા બધા ગોલ, જીત સાથે શાનદાર શરૂઆત, પહેલી જ મેચમાં ઈતિહાસ રચ્યો

રેકોર્ડ હાઈથી ‘સોનું’ ધડામ! ચમક ફીકી પડી કે ખરીદવાની ‘ગોલ્ડન તક’? જાણો કડાકા પાછળનું ‘અસલી ગણિત’

સરકારી તેલ કંપનીએ જાહેર કર્યું છેલ્લા 4 વર્ષનું ‘સૌથી મોટું ડિવિડન્ડ’, રોકાણકારો થશે ‘માલામાલ’

Suratમાં ઓટોરિક્ષા ગેંગ અને ગુનાખોરી ડામવા પોલીસ એક્શનમાં: લસકાણા પોલીસનો નવતર પ્રયોગ

સુરત શહેરમાં ઓટોરિક્ષામાં મુસાફરી કરતા નાગરિકો સાથે થતી ચીટીંગ, ચોરી અને ગુનાખોરીની ઘટનાઓ પર લગામ લગાવવા માટે લસકાણા પોલીસે એક પ્રશંસનીય અને નવતર પ્રયોગ હાથ ધર્યો છે. લસકાણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ રિક્ષા ચાલકોને એકઠા કરીને એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ મુહિમ અંતર્ગત વિસ્તારમાં દોડતી તમામ ઓટોરિક્ષાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી અને કાયદેસરની રિક્ષાઓનો એક મજબૂત ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી શંકાસ્પદ વાહનોને અલગ તારવી શકાય.

સુરક્ષા માટે પોલીસનું અધિકૃત સ્ટીકર અને ડેટાબેઝ

આ નવતર પ્રયોગના ભાગરૂપે લસકાણા પોલીસ દ્વારા તમામ ચકાસાયેલી રિક્ષાઓ પર એક ખાસ અધિકૃત સ્ટીકર લગાવવામાં આવ્યું છે. આ સ્ટીકર જે-તે રિક્ષા ચાલકની સંપૂર્ણ ઓળખ અને પોલીસ વેરિફિકેશન થઈ ગયું હોવાની સાબિતી છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલા ડેટાબેઝમાં રિક્ષા ચાલકનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને વાહનના કાગળોની વિગતો નોંધવામાં આવી છે. આ ડિજિટલ અને ફિઝિકલ રેકોર્ડના કારણે હવે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ આચરીને રિક્ષા ચાલક સરળતાથી ભાગી શકશે નહીં.

નાગરિકોની સુરક્ષા અને અસામાજિક તત્વો પર અંકુશ

લસકાણા પોલીસના આ અભિયાન પાછળનો મુખ્ય હેતુ સુરતની જનતા, ખાસ કરીને મહિલાઓ અને રાત્રિના સમયે મુસાફરી કરતા નાગરિકોની સુરક્ષામાં વધારો કરવાનો છે. અવારનવાર ઓટોરિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થતી હોય છે, ત્યારે આ સ્ટીકરવાળી રિક્ષાઓમાં બેસવાથી મુસાફરો સુરક્ષિત અનુભવશે. આ સાથે જ રિક્ષાના વ્યવસાયની આડમાં ગુનાખોરી આચરતા અસામાજિક તત્વો પર સીધો અંકુશ મેળવી શકાશે અને લસકાણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Breaking News: ન્યૂઝીલેન્ડના નંબર-1 ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ, ચાલુ સિરીઝની વચ્ચે લીધો મોટો નિર્ણય

Breaking News: ટીમ ઈન્ડિયાનો આયર્લેન્ડ પ્રવાસ થશે રદ ? બેલફાસ્ટમાં રમખાણોએ BCCIની વધારી ચિંતા

Breaking News: TMC તૂટતાની સાથે જ મમતા બેનર્જી પર આવી ‘નવી આફત’, એક ભાષણ મામલે દીદી વિરૂદ્ધ ‘FIR’

Breaking News: TMC તૂટતાની સાથે જ મમતા બેનર્જી પર આવી ‘નવી આફત’, એક ભાષણ મામલે દીદી વિરૂદ્ધ ‘FIR’

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તૂટીને વિખેરાઈ ગઈ છે. 28 વર્ષ જૂની ટીએમસી (TMC) પાર્ટી 28 દિવસ પણ પોતાની હાર પચાવી શકી નથી. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો અને કાઉન્સિલરો બધા ભાગી રહ્યા છે.

કોલકાતાથી લઈને દિલ્હી સુધી મમતા વિરુદ્ધ બગાવત થઈ રહી છે. નાના-મોટા તમામ નેતાઓમાં પાર્ટી છોડવા માટે હોડ મચી છે. આ દરમિયાન મમતા બેનર્જી પર વધુ એક મુસીબત આવી ગઈ છે. કોલકાતામાં મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસે એફઆઈઆર (FIR) નોંધી લીધી છે.

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, માર્ચ 2026માં એક રાજકીય ભાષણ દરમિયાન મમતાએ ચેતવણી આપી હતી કે, જો કોઈ ખાસ સમુદાય એક થઈ જાય, તો તેના બીજા લોકો માટે ગંભીર પરિણામો આવી શકે છે. મમતાના જાહેર ભાષણનો હવાલો આપીને એક વેપારીએ હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને હવે કોલકાતા પોલીસે એફઆઈઆર (FIR) તરીકે નોંધી લીધી છે.

અભિષેક બેનર્જીની પૂછપરછ

બીજી તરફ મમતાના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ પણ પોલીસે પહેલાથી જ એફઆઈઆર (FIR) નોંધી રાખેલી છે. ગુરુવારે સીઆઈડી (CID) એ અભિષેક બેનર્જીની પૂછપરછ કરી છે. નકલી સહીના મામલામાં ગુરુવારે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી બંગાળ CID સમક્ષ હાજર થયા હતા. અભિષેક હાઈકોર્ટના આદેશ બાદ CID સમક્ષ હાજર થયા હતા.

સાડા પાંચ કલાક સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન સીઆઈડીના અધિકારીઓએ અભિષેક પાસેથી તેમની ડાયરી વિશે પણ માહિતી મેળવી હતી. સૂત્રોનું માનીએ તો, સીઆઈડીએ અભિષેકને એ ડાયરી લઈને આવવા કહ્યું હતું, જેમાં ધારાસભ્યોની સહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. હવે સીઆઈડીએ અભિષેકને 14 જૂનના રોજ ફરીથી પૂછપરછ માટે બોલાવ્યા છે. સીઆઈડીની ઓફિસથી નીકળીને અભિષેક સીધા મમતાના ઘરે પહોંચ્યા હતા.

પોલીસે જહાંગીર ખાનનું સરઘસ કાઢ્યું

આ ઉપરાંત પોલીસે ફલતામાં ટીએમસી નેતા જહાંગીર ખાનનું સરઘસ (પરેડ) કાઢ્યું છે. જહાંગીર ખાનને હાફ પેન્ટમાં ફલતાના એ રસ્તાઓ અને ગલીઓમાં ફેરવવામાં આવ્યો, જ્યાં ક્યારેક જહાંગીર ખાનનો હુકમ ચાલતો હતો. જણાવી દઈએ કે, જહાંગીર ખાન પર જબરન વસૂલાત (તોડબાજી), ગેરકાયદેસર કબજો અને લોકોને ધમકાવવાના આરોપો છે.

Breaking News : સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ પંપ પરથી હવે આ ગ્રાહકોને નહીં મળે Petrol-Diesel, જાણો શું છે કારણ

Breaking News : BHELને મળ્યો મોટો પાવર પ્રોજેક્ટ ! શેરધારકો માટે આવી શકે છે ખુશખબર

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Anand News: પામોલ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત, 14 વર્ષીય વિદ્યાર્થીનું મોત

આણંદ જિલ્લાના બોરસદ-પામોલ રોડ પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. જ્યાં સામસામેથી આવતા બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરમાં એક 14 વર્ષીય માસૂમ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અન્ય એક બાઇક સવારને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. શાળાએથી છૂટીને હસતા મુખે ઘરે પરત ફરી રહેલા કિશોરના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.

શાળાએથી છૂટીને ઘરે પરત ફરતા સમયે કાળ આંબી ગયો 

ઘટનાની મળતી વિગતો અનુસાર, આ અકસ્માતની ઘટના પામોલ રોડ પર આવેલા ઝાખલાના કુવા વિસ્તાર નજીક બની હતી. ઝાખલાના કુવા વિસ્તારમાં જ રહેતો 14 વર્ષીય કિશોર પામોલની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તે શાળા છૂટ્યા બાદ બાઇક લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઝાખલાના કુવા પાસે સામેથી આવી રહેલી અન્ય એક બાઇક સાથે તેની બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. સામસામે થયેલી આ ભીષણ ટક્કરમાં માસૂમ વિદ્યાર્થીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

અન્ય બાઇક સવાર ગંભીર, કરમસદ હોસ્પિટલ ખસેડાયો

આ અકસ્માતમાં સામેની બાઇક પર સવાર વ્યક્તિને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.

પોલીસે હાથ ધરી તપાસ

અકસ્માતની જાણ થતાં જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એકના એક વહાલસોયા દીકરાના લોહીલુહાણ મૃતદેહને જોઈને પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું, જેના દ્રશ્યો જોઈ ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – Anand મનપાના આરોગ્ય વિભાગની ચેકિંગ ડ્રાઇવ, ફટકાર્યો રૂ. 43 હજારનો દંડ!

Breaking News: પહેલા 2 બોલમાં 2 ચોગ્ગા… વૈભવ સૂર્યવંશીએ અફઘાનિસ્તાન સામે મચાવી ધૂમ, 44 રનની તોફાની ઈનિંગ

Breaking News: સ્વતંત્રતા દિવસે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે! શ્રીલંકા પ્રવાસના શેડ્યૂલ અંગે મોટી અપડેટ