અમદાવાદના નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ જમીન વિવાદને લઈને થયેલા ફાયરિંગ કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે વિવાદિત જમીન પોતાની ન હોવા છતાં આરોપી અશોકસિંહ ચૌહાણે રિટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો હવાનો ખુલાસો થયો છે.ખોટા દસ્તાવેજોના આધારે જમીન પચાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે. આ ઉપરાંત તેની પર સેવા સદભાવના વેલફેર ફાઉન્ડેશનના નામે રૂપિયા પડાવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. કોર્ટમાં કેસ હાર્યા બાદ અશોકસિંહ ચૌહાણે રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે.
ભાગીદારી કરીને 200થી વધુ સ્ટોલ બનાવ્યા
નહેરૂનગર બસ સ્ટેન્ડ પાછળ નિવૃત DySP અશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણ અને તેમના વડીલોએ ત્યાં દુકાન ધરાવીને પ્રિયમ મહેતાની 500 કરોડથી વધુની કિંમતની જમીન પર કબ્જો કરીને કોર્ટમાં દાવો કર્યો હતો. અશોકસિંહ અને તેમના વિવડલો કોર્ટમાં કેસ હારી ગયા છતાં અનેક વખત ફરીથી દાવો કોર્ટમાં કર્યો હતો. પરંતુ કોર્ટે તમામ દાવાને ફગાવી દિધા હતા. આ બાદ કરોડોની જમીન જતી રહે નહીં તે માટે અશોકસિંહે પોતાના શાતિર મગજનો ઉપયોગ કરીને સરકારની આંખમાં ધૂળ નાંખવા માટે વર્ષ ૨૦૨૧માં જ પોતે, તેમની પત્ની માલદેવી અને પુત્રી ખ્યાતિના નામે વર્ષ ૨૦૨૧માં સેવા સદ્ભાવના વેલ્ફેર ફાઉન્ડેશન નામથી ટ્રસ્ટ બનાવીને ROCમાં રજીસ્ટ્રર કરાવ્યુ હતુ. આ વિવાદીત જમીન પર કબ્જો હોવા છતાં અશોકસિંહે માસિક 25 લાખ રૂપિયાના ભાડે 3 વ્યકિતઓને ભાડે આપી દિધી હતી.ત્રણેય વ્યકિતઓએ નહેરૂનગર પાથરણા બજારના નામે ભાગીદારી કરીને 200થી વધુ સ્ટોલ બનાવ્યા હતા.
AMCએ સ્ટોલ ચલાવવા પરમિશન આપી ન હતી
AMC દ્વારા નોટીસ પાઠવીને સ્ટોલ ચલાવવા પરમિશન આપી ન હતી. જેના પગલે ત્રણેય ભાડુઆતે અશોકસિંહ પાસે જમીનના ડોક્યુમેન્ટ માંગ્યા પરંતુ નિવૃત DySPએ ડોક્યુમેન્ટ અને પૈસા નહીં મળે તેમ કહીને ઝઘડો કર્યો હતો. ત્રણેય ભાગીદારોએ અશોકસિંહ વિરૂદ્ધમાં કોર્ટમાં કેસ કરીને નોટીસ બજવણી કરી હતી.ફાઉન્ડેશનના નામે પાથરણા માર્કેટમાં સ્ટોલ ભાડે રાખનાર પાસેથી દરેક વ્યકિત જોડે બે ભાડુ ડિપોઝીટ અને એક ભાડુ ડિપોઝીટ મળીને કુલ 75 હજાર રૂપિયા થાય છે.200થી વધુમાં સ્ટોલધારકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને સેવા સદ્ભાવના ફાઉન્ડેશનમાં જમા કરાવ્યા છે.સેવા સદ્ભાવના વેલ્ફેર ફાઉન્ડેશનની રચના અને સંચાલનને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. ટ્રસ્ટમાં નિવૃત DySP અશોકસિંહ અને તેમના પરિવારના સભ્યો ડિરેક્ટર હોવાનું ROCમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.સેવા અને કલ્યાણના હેતુ માટે રચાયેલા ટ્રસ્ટમાં પરિવારનું જ પ્રભુત્વ કેમ છે અને ટ્રસ્ટના નિર્ણયો પર કોનું નિયંત્રણ છે તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.