
દેશની રાજનીતિ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જી 28 વર્ષ બાદ કોંગ્રેસમાં પરત ફરે તેવી શક્યતા દેખાઈ રહી છે.
જણાવી દઈએ કે, મમતા બેનર્જી અને સોનિયા ગાંધી વચ્ચેની મુલાકાતમાં આ મુદ્દે ચર્ચા થઈ છે. સૂત્રોનું કહેવું છે કે, સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવાની ઓફર આપી છે.
બીજીબાજુ રાહુલ ગાંધીએ અભિષેક બેનર્જીને કોંગ્રેસના મહાસચિવ પદનો પ્રસ્તાવ આપ્યો છે. એવામાં હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે, શું તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી પોતાના જૂના પક્ષમાં પરત ફરશે મમતા બેનર્જી?