Vadodara-સાવલી માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે દુર્લભ વન્યજીવ ‘વનયાર’ થયું લોહીલુહાણ

વડોદરા જિલ્લાના સાવલી-ડેસર પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓને ચિંતામાં મૂકી દે તેવા સમાચાર સામે આવ્યા છે. સાવલીના ઝવેરીપુરા ગામ નજીક પસાર થતા વડોદરા-સાવલી મુખ્ય માર્ગ પર એક અજાણ્યા વાહનની ટક્કરે દુર્લભ ગણાતા વન્યપ્રાણી ‘વનયાર’ (શાહ wilds/જંગલી બિલાડી પ્રજાતિ) ને જોરદાર અડફેટે લીધું હતું. પૂરપાટ ઝડપે દોડતા વાહનની ટક્કર વાગતાં આ મૂંગું જીવ રોડ કિનારે ગંભીર હાલતમાં પછડાયું હતું અને લોહીલુહાણ થઈ ગયું હતું.

ગ્રામજનોની ત્વરિત જાગૃતતા અને વન વિભાગની દોડધામ

અકસ્માત બાદ માર્ગ પરથી પસાર થતા ઝવેરીપુરા ગામના સ્થાનિક રહીશોની નજર રોડ કિનારે તરફડિયા મારી રહેલા આ અજાણ્યા વન્યજીવ પર પડી હતી. વનયારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જોતાં જ ગ્રામજનોએ માનવતા દાખવીને તાત્કાલિક વન વિભાગ (Forest Department) ને ફોન પર જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને વન વિભાગની રેસ્ક્યુ ટીમ સત્વરે ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ ઘાયલ વનયારનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને તેને તાત્કાલિક વેટરનરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું હતું.

હાઈવે પર વન્યજીવોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

આ અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની શોધખોળ શરૂ કરી છે. હાલમાં વન્યજીવ નિષ્ણાતો અને ડોક્ટરોની ટીમ દ્વારા વનયારની તબિયત પર સતત દેખરેખ (મોનિટરિંગ) રાખવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે જંગલ વિસ્તારની આસપાસથી પસાર થતા હાઈવે પર વન્યપ્રાણીઓની માર્ગ સલામતી અને વાહનોની ગતિમર્યાદા પર અંકુશ રાખવા અંગે સ્થાનિકો અને પર્યાવરણવાદીઓ દ્વારા ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Rajkot News: બાલાજી વેફર્સ ફેક્ટરીના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

રાજકોટ નજીક આવેલી જાણીતી બાલાજી વેફર્સ ફેક્ટરીમાંથી છોડાતા ગંદા અને પ્રદૂષિત પાણીના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય કટોકટી સર્જાઈ છે. વડવાજડી સહિતના સાત જેટલા ગામો હાલ ફેક્ટરીના ઝેરી કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર, કંપની દ્વારા કોઈપણ પ્રકારના પ્રોસેસિંગ વિના દૂષિત પાણી સીધુ નદીઓ અને સ્થાનિક ખેતરોમાં વહાવી દેવામાં આવે છે, જેના કારણે કુદરતી જળસ્ત્રોતો ઝેરી બન્યા છે.

લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ

ફેક્ટરીના આ બેજવાબદાર વલણને કારણે વડવાજડી, વીરડા વાજડી, વાજડી ગઢ, વેજગામ, રોણકી, ઈશ્વરીયા અને હરિપર જેવા ગામોમાં પીવાના અને સિંચાઈના બોરના પાણી પણ પ્રદૂષિત થઈ ચૂક્યા છે. જમીનની ફળદ્રુપતા નષ્ટ થવાના આરે છે. જેના કારણે સ્થાનિક ખેડૂતોની આજીવિકા છીનવાઈ રહી છે. ખેતી ઉપરાંત પશુપાલન અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ગામના પશુઓ આ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે. 

GPCB સામે પણ લોકોમાં ભારે રોષ

સ્થાનિક અગ્રણીઓ અને પૂર્વ સરપંચોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાલાજી વેફર્સ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ના નામે માત્ર મોટો દેખાડો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તેઓ ગ્રામજનોનું જીવવું હરામ કરી રહ્યા છે. નેતાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ લોકોમાં ભારે રોષ છે. ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં છે અને રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મોઢું બતાવે છે, બાકીના સમયે તેઓ મોટા ઉદ્યોગગૃહો સામે નતમસ્તક થઈ જાય છે. જો આ પ્રદૂષણ પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ સમગ્ર વિસ્તાર રહેવાલાયક નહીં રહે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ Banaskantha News: દાંતામાં ચાલકે કાબુ ગુમાવતા જીપ સીધી જ પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી, એકનું મોત 7 ઈજાગ્રસ્ત

લદાખ-શ્રીનગર વચ્ચે હવે સીધો રસ્તો! જાણો ગેમચેન્જર સાબિત થશે 14 કિમી લાંબી જોજિલા ટનલ

Zojila Tunnel connectivity

Zojila Tunnel connectivity: ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇતિહાસમાં આજે એક મોટી સફળતા મળી છે. દુનિયાની સૌથી વધુ ઊંચાઈ પર આવેલી અને સૌથી લાંબી સિંગલ-ટ્યુબ ‘જોજીલા ટનલ’નું અંતિમ ‘બ્રેકથ્રૂ બ્લાસ્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. બ્રેકથ્રૂ એટલે કે ટનલની અંદરની છેલ્લી પથરાળ દીવાલને ધડાકા સાથે તોડીને આરપાર રસ્તો સાફ કરવો. આ સફળ વિસ્ફોટની સાથે જ ટનલના બંને છેડા હવે એકબીજા સાથે જોડાઈ ગયા છે. આ ઐતિહાસિક સિદ્ધિને કારણે કાશ્મીર અને લદ્દાખ વચ્ચે ભારે બરફવર્ષામાં પણ બારેમાસ અવરજવર ચાલુ રાખવાનું વર્ષો જૂનું સપનું હવે પૂરું થવાના આરે છે.

12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી

12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી

અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલની મોટી શૈક્ષણિક સિદ્ધિ, NBA માન્યતા મેળવનારી અમદાવાદની બીજી બી-સ્કૂલ બની

અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલની મોટી શૈક્ષણિક સિદ્ધિ, NBA માન્યતા મેળવનારી અમદાવાદની બીજી બી-સ્કૂલ બની

અમદાવાદ સ્થિત શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)એ તેની શૈક્ષણિક યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના ફ્લેગશિપ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM) પ્રોગ્રામને પ્રતિષ્ઠિત નેશનલ બોર્ડ ઑફ એક્રેડિટેશન (NBA) તરફથી માન્યતા પ્રાપ્ત થઈ છે. આ ઉપલબ્ધિ SBSને દેશની ગુણવત્તાસભર મેનેજમેન્ટ સંસ્થાઓની શ્રેણીમાં વધુ મજબૂત સ્થાન અપાવે છે.

નેશનલ બોર્ડ ઑફ એક્રેડિટેશન (NBA) ભારતની અગ્રણી માન્યતા પ્રદાન કરતી સંસ્થા છે, જે ટેકનિકલ અને મેનેજમેન્ટ અભ્યાસક્રમોની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે. NBA માન્યતા મેળવવાની પ્રક્રિયા અત્યંત કડક અને પરિણામ આધારિત હોય છે. આ દરમિયાન અભ્યાસક્રમની ગુણવત્તા, ફેકલ્ટીની લાયકાત, શૈક્ષણિક માળખું, ઉદ્યોગ સાથેના જોડાણો તેમજ વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતાના વિવિધ પાસાઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે.

શૈક્ષણિક ક્ષેત્રમાં NBA એક્રેડિટેશનને ગુણવત્તા અને વિશ્વસનીયતાનું પ્રતીક માનવામાં આવે છે. આ માન્યતા માત્ર સંસ્થાની શૈક્ષણિક શ્રેષ્ઠતાને જ પ્રમાણિત કરતી નથી, પરંતુ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે વધુ સારી તકો પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ બને છે.

આ પ્રસંગે SBSના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું હતું કે, “NBA માન્યતા સમગ્ર SBS પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. આ સિદ્ધિ ઉદ્યોગ-કેન્દ્રિત અને પરિણામલક્ષી મેનેજમેન્ટ શિક્ષણ પ્રદાન કરવાની અમારી સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારા માટે ગુણવત્તા કોઈ એક વખત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નથી, પરંતુ સતત જાળવી રાખવાની પ્રક્રિયા છે. આ માન્યતા અમને વધુ નવીનતા, ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરણા આપશે.”

આ ઐતિહાસિક સિદ્ધિ સાથે શાંતિ બિઝનેસ સ્કૂલ અમદાવાદની માત્ર બીજી એવી બી-સ્કૂલ બની છે, જેને તેના PGDM પ્રોગ્રામ માટે NBAની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત થઈ છે. આ ઉપલબ્ધિ સંસ્થાના શૈક્ષણિક ધોરણો, ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભવિષ્યલક્ષી અભિગમનું પ્રતિબિંબ છે.

આ માન્યતા સાથે SBS હવે મેનેજમેન્ટ શિક્ષણના ક્ષેત્રમાં વધુ મજબૂત રીતે આગળ વધવા અને વિદ્યાર્થીઓને વૈશ્વિક ધોરણનું શિક્ષણ પ્રદાન કરવા માટે સજ્જ બની છે.

Mumbai-Ahmedabad Bullet Train: 250 KMPH ની તૂફાની ઝડપે દોડશે ટ્રેન

એક વ્યક્તિ પોતાના નામે કેટલા બેંક ખાતા ખોલાવી શકે? જાણી લો ‘RBI’ નો આ નિયમ

‘સોના’ પર આવ્યા સૌથી ‘મોટા સમાચાર’! દુનિયા આખી જોતી રહી ગઈ અને ચીને કરી દીધો ‘ખેલ’, આ એક નિર્ણયથી ગ્લોબલ માર્કેટ હચમચી ગયું

Jio Plan : 90 દિવસ સુધી રિચાર્જની ઝંઝટ ખતમ ! Jio લાવ્યું ધમાકેદાર પ્લાન, 20GB બોનસ ડેટા ફ્રી

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’

NEET UG 2026 Re-Test
(IMAGE – IANS)


NEET UG 2026 Re-Test: મે મહિનામાં લેવાયેલી NEET-UG પરીક્ષાનું પેપર લીક થયા બાદ, હવે સરકારે આગામી રી-ટેસ્ટ માટે બહુ જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, આ વખતે પરીક્ષાની આખી સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

BSNL Plan : 70 દિવસ સુધી નહીં કરવું પડે રિચાર્જ, BSNL લાવ્યું 3 ધમાકેદાર પ્લાન

BSNLનો ધમાકેદાર પ્લાન ! સસ્તામાં મળી રહ્યો લાંબી વેલિડિટીનો પ્લાન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Parijat Tree : દરવાજા સામે પારિજાતનું ઝાડ હોવું શુભ કે અશુભ? જાણો પૌરાણિક માન્યતાઓ શું કે છે!

આ પણ વાંચો, Lotus Painting Vastu : ઘર માટે શુભ માનવામાં આવે છે કમળની પેઇન્ટિંગ?