Vastu Tips : ઘરના મંદિરમાં જરૂર રાખો આ 4 પવિત્ર વસ્તુઓ! વધશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ!

આ પણ વાંચો, Fridge Vastu : શું તમે પણ ફ્રિજમાં ગમે ત્યાં સામાન મૂકી દો છો? જાણો કઈ શેલ્ફમાં શું રાખવું શુભ માનવામાં આવે છે!

Jioનો 336 દિવસની વેલિડિટી વાળો સૌથી સસ્તો પ્લાન, કિંમત માત્ર 1748 રુપિયા, જાણો ફાયદા

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Vadodara : ગોત્રીમાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, આરોપીઓ વિદેશીઓને કોલ કરી છેતરતા

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને મોટા પ્રમાણમાં ડિજિટલ સામાન જપ્ત કર્યો છે.

LCBએ દરોડો પાડી ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો

મળતી માહિતી મુજબ આ ગેરકાયદે કોલ સેન્ટર લાંબા સમયથી વિદેશી નાગરિકોને નિશાન બનાવી ઠગાઈની પ્રવૃત્તિઓ ચલાવતું હતું. આરોપીઓ વિદેશી લોકોને ફોન કરીને તેમને લોન મંજૂર થઈ હોવાનું જણાવતા હતા અને ત્યારબાદ વિવિધ બહાના હેઠળ તેમની પાસેથી નાણાં પડાવતા હતા. આ રીતે તેઓ સાયબર ફ્રોડનું જાળ ચલાવી રહ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પાસે કોઈ માન્ય લાયસન્સ કે કાયદેસર પરવાનગી નહોતી, છતાં તેઓ સંગઠિત રીતે કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. LCBએ ગુપ્ત માહિતીના આધારે સ્થળ પર દરોડો પાડી આ ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો.

ગેંગના અન્ય સભ્યોની માહિતી એકત્ર કરાઈ રહી છે

દરોડા દરમિયાન પોલીસે ચારેય આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા. સાથે જ લેપટોપ, મોબાઈલ ફોન, હેડસેટ, રાઉટર અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો સહિતનો મહત્વનો મુદ્દામાલ કબજે કર્યો છે, જે ઠગાઈની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કોલ સેન્ટર દ્વારા કેટલા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ આ ગેંગના અન્ય સભ્યો અને તેમના નેટવર્ક વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

ટેકનિકલ ટીમની મદદથી તપાસ આગળ વધારવામાં આવી

વડોદરા પોલીસે જણાવ્યું છે કે સાયબર ક્રાઈમ અને ગેરકાયદેસર કોલ સેન્ટરો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આવા કિસ્સાઓ રોકવા માટે સતત નજર રાખવામાં આવી રહી છે અને ટેકનિકલ ટીમની મદદથી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાયબર ઠગાઈના વધતા જોખમ તરફ ધ્યાન દોર્યું છે અને લોકોને અજાણી કોલ્સ તથા લોન સંબંધિત ઓફર્સથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પાદરા નજીક મોડી રાત્રે અકસ્માત,4 લોકોના કરૂણ મોત

Jioના બે પ્લાન સાથે એકદમ ફ્રી મળી રહ્યા 20GB એક્સ્ટ્રા ડેટા, લાંબી વેલિડિટી સાથે OTT પણ મળશે લાભ

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News: શ્રેયસ અય્યર બન્યો ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન, સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત

Breaking News: શ્રેયસ અય્યર બન્યો ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન, સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમને T20 ફોર્મેટ માટે નવો કેપ્ટન મળી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન નીયુક્ય કરવામાં આવ્યો છે. તિલક વર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વધુમાં, 15 વર્ષીય સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીની પણ પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે, તે ભારતીય ટીમ માટે પસંદગી પામેલો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. BCCI એ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ તેમજ એશિયન ગેમ્સ અને ભારત A ના બિનસત્તાવાર ટેસ્ટ ટૂર માટે પણ ટીમોની જાહેરાત કરી છે.

આયર્લેન્ડ-ઈંગ્લેન્ડમાં શ્રેયસ કરશે ટીમનું નેતૃત્વ

શનિવાર, 6 જૂનના રોજ BCCI મુખ્યાલયમાં પસંદગી સમિતિની બેઠક બાદ બોર્ડ સચિવ દેવજીત સૈકિયાએ શ્રેયસ અય્યરની કેપ્ટન તરીકે જાહેરાત કરી હતી . આ સાથે ભારતીય T20 ટીમમાં સૂર્યકુમાર યાદવના સફળ યુગસનો અંત આવ્યો હતો. સૂર્યાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ વર્લ્ડ કપ જીત્યો હતો. 2028 વર્લ્ડ કપ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને હવે એક નવા યુગની શરૂઆત થઈ છે.

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

ટીમ ઈન્ડિયા જૂનના અંતમાં આયર્લેન્ડ અને ત્યારબાદ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ભારત આયર્લેન્ડમાં બે અને ઈંગ્લેન્ડમાં પાંચ T20 મેચ રમશે. બંને શ્રેણી માટે 16 ખેલાડીઓની એક ટીમ પસંદ કરવામાં આવી છે, અને તે તમામ સાત મેચ માટે ઉપલબ્ધ રહેશે. આમાં સૌથી ચર્ચાસ્પદ નામ વૈભવ સૂર્યવંશીનું છે, જે ટીમ ઈન્ડિયા માટે પસંદ થનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેની સાથે IPLમાં સારું પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ 27 જૂનથી શરૂ થશે, જ્યારે ઈંગ્લેન્ડ શ્રેણી 1 જુલાઈથી શરૂ થશે.

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ માટે T20 ટીમો

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી.

એશિયન ગેમ્સ માટે ટીમ

આ બે શ્રેણી ઉપરાંત, સપ્ટેમ્બરમાં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી છે. આમાંથી ચૌદ ખેલાડીઓ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડની મેચો માટે પસંદ કરાયેલા ખેલાડીઓ જેવા જ છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રિન્સને બાદ કરવામાં આવ્યા છે. આ રમતો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી અને જસપ્રિત બુમરાહ.

શ્રીલંકા પ્રવાસ માટે ભારત A ટીમ

ધ્રુવ જુરેલ (કેપ્ટન, વિકેટકીપર), સાઈ સુદર્શન, આયુષ પાંડે, દેવદત્ત પડિકલ, ઋતુરાજ ગાયકવાડ, હર્ષ દુબે, સરંશ જૈન, ગુરનુર બ્રાર, આકિબ નબી, યશ ઠાકુર, અંશુલ કંબોજ, એન જગદીસન, અમન મોખાડે, શાક રશીદ, જીશાન અંસારી.

Breaking News: RCB ને IPL 2026 ચેમ્પિયન બનાવ્યાના માત્ર 72 કલાકમાં જ કેપ્ટન રજત પાટીદારને મળી મોટી હાર

નળમાંથી ટપકતું પાણી લાવે છે પૈસાની બરબાદી! વાસ્તુનો આ સંકેત ના કરતા નજરઅંદાજ

Vastu Tips : મંદિરમાં એક જ દેવતાની બે મૂર્તિઓ રાખવી જોઈએ કે નહીં? જાણો વાસ્તુ મુજબ શુભ કે અશુભ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Ahmedabad: ગુજરાત પોલીસ બેડામાં સૌથી મોટા સમાચાર, અમદાવાદના કમિશનર જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા કાયમી DGP

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનને લઈને એક ખુબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના કાર્યદક્ષ અને કડક પોલીસ કમિશનર જી.એસ. મલિક (IPS G.S. Malik) ને હવે પ્રમોશન આપીને ગુજરાત રાજ્યના નવા કાયમી પોલીસ મહાનિદેશક એટલે કે ડીજીપી (DGP – Director General of Police) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારના આ આદેશ સાથે જ રાજ્યના ટોચના પોલીસ વડાના પદને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે.

જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા કાયમી DGP

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના કાયમી ડીજીપીની નિવૃત્તિ અથવા બદલી બાદથી રાજ્યના પોલીસ વડાનો વધારાનો ચાર્જ (ઇન્ચાર્જ ડીજીપી તરીકે) સિનિયર આઈપીએસ અધિકારી ડૉ. કે.એલ.એન. રાવ (Dr. K.L.N. Rao) સંભાળી રહ્યા હતા. ડૉ. રાવ અત્યાર સુધી ઇન્ચાર્જ DGP તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા, પરંતુ હવે સરકારે આ અત્યંત મહત્વના પદ પર કાયમી નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે.

1993 બેચના આઈપીએસ અધિકારી

1993 બેચના બાહોશ આઈપીએસ અધિકારી જી.એસ. મલિકે અમદાવાદ પોલીસ કમિશનર તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન ગુનેગારો પર ધાક બેસાડવામાં અને શહેરમાં શાંતિ સલામતી જાળવવામાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. અગાઉ તેઓ કેન્દ્ર સરકારમાં પણ મહત્વની મિલિટરી કે સિક્યુરિટી ફોર્સમાં ડેપ્યુટેશન પર સેવા આપી ચૂક્યા છે. હવે સમગ્ર ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કમાન તેમના મજબૂત હાથોમાં સોંપવામાં આવી છે. જી.એસ. મલિક ટૂંક સમયમાં જ ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે વિધિવત રીતે રાજ્યના કાયમી DGP તરીકેનો પદભાર સંભાળશે. આ નિમણૂકને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકીય વર્તુળો તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.

આ પણ વાંચો: Surat: તાપી બ્રિજ પર પડ્યો મસમોટો ભુવો, ચોમાસા પહેલાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ


Anant Rajના શેરમાં આવી શકે છે 48%ની તેજી ! Venturaએ આપ્યું Buy રેટિંગ, જાણો શું છે આ સ્ટોકમાં ખાસ

Gold-Silver Rate Today : આજે કેટલું સસ્તુ થયું સોનું? અમદાવાદ સહિત મોટા શહેરોનો જાણો લેટેસ્ટ ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 


1. PM મોદી હજીરા L&T કંપનીમાં પહોંચ્યા, ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું નિરીક્ષણ કર્યું  


2. Delhi High Courtએ Cockroach Janata Partyને રાહત આપી, વિરોધ સામેની અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર  


3. Bihar : પટનામાં ખાન સર વિરુદ્ધ FIR દાખલ, ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ  


4. Tamil Nadu: ભાજપ છોડ્યા બાદ બોલ્યા અન્નામલાઇ, એકલા હાથે ચૂંટણી લડીશ, મતભેદને કારણે પાર્ટી છોડી….  


5. Ahmedabad : બોપલમાં મેકડોનાલ્ડ્સની મોટી લાપરવાહી, વેજ બર્ગરના ઓર્ડરમાં મોકલ્યું નોનવેજ બર્ગ  


6. Dahod: કડાણા વોટર પ્લાન્ટમાં ઝેરી ક્લોરિન ગેસ લીક થતાં દોડધામ,આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો  


7. Ahmedabad : નરોડા GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 7 ટીમો ઘટનાસ્થળે  


8. Putin Praise India: વિશ્વભરમાં વાગ્યો ભારતની હિંમતની ડંકો, પુતિન, ટ્રમ્પ અને ઈરાને કરી પ્રશંસા  


9. Rajkot : પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા રાજા ચાવડા સામે દુષ્કર્મ, અપહરણ અને 20 લાખની ખંડણીની ફરિયાદ 


10. PM Modi: મોદી મંત્રીમંડળમાં મોટા ફેરબદલના એંધાણ, ચાર કેન્દ્રીય મંત્રીઓની વિદાય નક્કી?