EPFO: નોકરી કરતા લોકોએ તાત્કાલિક આ PF વિગતો તપાસવી જોઈએ, નહીં તો ફસાઈ શકે છે રુપિયા!

EPFO: નોકરી કરતા લોકોએ તાત્કાલિક આ PF વિગતો તપાસવી જોઈએ, નહીં તો ફસાઈ શકે છે રુપિયા!

જો તમે નોકરી કરતા હો અને તમારી પાસે PF ખાતું હોય, તો આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. EPFO ​​એ તાજેતરમાં જ તેના સભ્યોને તેમના PF ખાતામાં નોંધાયેલી કેટલીક મહત્વપૂર્ણ વિગતો તપાસવા માટે ચેતવણી આપી છે. નાની ભૂલો પણ, ખાસ કરીને જોડાવાની તારીખ અને બહાર નીકળવાની તારીખ અંગે પાછળથી નોંધપાત્ર નુકસાન તરફ દોરી શકે છે. ઘણા લોકો આ વિગતોને અવગણે છે, પરંતુ આ માહિતી સીધી તમારા PF બેલેન્સ, પેન્શન અને દાવાની પ્રક્રિયાને અસર કરે છે.

તમારી પેન્શન પાત્રતા નક્કી કરે છે

જોડાવાની તારીખ અને બહાર નીકળવાની તારીખ દર્શાવે છે કે તમે કંપનીમાં કેટલો સમય કામ કર્યું છે અને તમારા PF માં કેટલો ફાળો આપ્યો છે. આ તમારી પેન્શન પાત્રતા નક્કી કરે છે. આ તારીખો વચ્ચે કોઈપણ વિસંગતતા પેન્શનમાં ઘટાડો અથવા PF ઉપાડમાં વિલંબ તરફ દોરી શકે છે. ઘણા કિસ્સાઓમાં દાવાઓ નકારી પણ શકાય છે. તેથી આ બે વિગતો સાચી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

PF પેન્શન અને વ્યાજને અસર કરે છે

PF ડિપોઝિટ પર મળતું વ્યાજ, તમારી કુલ સેવા અવધિ અને પેન્શન ગણતરીઓ આ તારીખો પર આધાર રાખે છે. જો રેકોર્ડમાં ખોટી માહિતી દાખલ કરવામાં આવે છે, તો સિસ્ટમ તે તારીખના આધારે ગણતરી કરશે. આનો અર્થ એ છે કે એક નાની ભૂલ તમારી ભવિષ્યની બચત ઘટાડી શકે છે.

સુધારા હવે સરળ છે

સારા સમાચાર એ છે કે EPFO ​​એ આ ભૂલોને સુધારવાનું ઘણું સરળ બનાવી દીધું છે. જો તમારો UAN આધાર સાથે લિંક થયેલો હોય અને સંપૂર્ણ રીતે ચકાસાયેલ હોય, તો તમે નામ, જન્મ તારીખ, જાતી અને જોડાવાની કે બહાર નીકળવાની તારીખ જેવી ઘણી મહત્વપૂર્ણ વિગતો ઓનલાઈન અપડેટ કરી શકો છો.

ઘણા કિસ્સાઓમાં તમારે કોઈ દસ્તાવેજો અપલોડ કરવાની પણ જરૂર નથી. જો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે જોડાવાની અને બહાર નીકળવાની તારીખોમાં ફેરફાર ફક્ત ત્યારે જ સ્વીકારવામાં આવશે જો તે તમારા PF યોગદાન રેકોર્ડ સાથે મેળ ખાય. જો આવું ન થાય તો EPFO ​​ની મંજૂરી જરૂરી છે.

જ્યારે UAN સંપૂર્ણપણે ચકાસાયેલ ન હોય

જો તમારું UAN જૂનું હોય અથવા સંપૂર્ણપણે ચકાસાયેલ ન હોય, તો તમારે તમારા એમ્પ્લોયરની મદદ લેવાની જરૂર પડશે. આ માટે ઓનલાઈન સંયુક્ત ઘોષણા સબમિટ કરવાની જરૂર પડશે. જેને કંપનીની મંજૂરીની જરૂર પડશે. કેટલાક કિસ્સાઓમાં તમારે એક ભૌતિક ફોર્મ ભરીને સબમિટ કરવાની જરૂર પડી શકે છે, જે એમ્પ્લોયર EPFO ​​પોર્ટલ પર અપલોડ કરે છે.

જો કંપની બંધ થઈ જાય તો શું કરવું?

ઘણા લોકોને તેમની જૂની કંપની બંધ થવાની અથવા તેમના એમ્પ્લોયરનો સંપર્ક કરવામાં અસમર્થ હોવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિઓમાં પણ ગભરાવાની જરૂર નથી. તમે સંયુક્ત ઘોષણા ફોર્મ ભરી શકો છો, તેને અધિકૃત અધિકારી દ્વારા ચકાસો અને પછી તેને EPFO ​​ઓફિસમાં સબમિટ કરી શકો છો.

આ પ્રક્રિયા દ્વારા સુધારા પણ શક્ય છે. EPFO ​​ની સ્પષ્ટ સલાહ છે કે તમારા PF એકાઉન્ટને હળવાશથી ન લો. તાત્કાલિક UAN પોર્ટલમાં લોગ ઇન કરો અને તમારી બધી વિગતો કાળજીપૂર્વક તપાસો. જો તમને કોઈ ભૂલ દેખાય, તો તેને તાત્કાલિક સુધારી લો. એક નાની ભૂલ ભવિષ્યમાં મોટી સમસ્યાઓ તરફ દોરી શકે છે.

Gold: ગોલ્ડ લોન અને Gold Overdraft વચ્ચેનો તફાવત શુ છે? જાણો તમારી જરૂરિયાત માટે શું બેસ્ટ

Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લામાંથી રોજના અંદાજે 150 ટન તડબૂચનું વેચાણ

છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓમાં તડબૂચની ખેતી ફુલ બહારમાં થાય છે. જિલ્લામાં આવેલી નદીઓમાં તથા ખેતરોમાં આ તડબૂચનું વાવેતર થાય છે. જે તડબૂચને ઉનાળામાં અમૃત સમાન માનવામાં આવે છે. આ તડબૂચનું છોટાઉદેપુર જિલ્લામાં ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. રોજના 150 ટન તડબૂચ વેચાતા હોવાનો અંદાજ ખેડૂતો બતાવી રહ્યા છે. જ્યારે લોકો પેટની ઠંડક માટે આ તડબૂચનું સેવન ઉનાળામાં કરતા હોય છે. જ્યારે છોટાઉદેપુરના તડબૂચ અન્ય જિલ્લા અને રાજ્યોમાં પણ સપ્લાય થાય છે.

છોટાઉદેપુર પંથકમાં આવેલી ઓરસંગ નદી સહિત અન્ય નદીઓમાં તડબૂચની ખેતી ફેમસ છે. લીલા તડબૂચ પીળા તડબૂચ પીળા, તથા લીલા પટ્ટાવાળા તડબૂચનું ઉત્પાદન થાય છે. જેટલી ગરમી વધુ પડે એટલું જલ્દી તડબૂચ તૈયાર થાય છે. આ તડબૂચની ડિમાન્ડ છોટાઉદેપુર માં સ્થાનિક તો ઠીક પરંતુ અન્ય શહેરોમાં પણ હોય છે જે પ્રતિ ટન ના વજનમાં બહારના શહેરોમાં પણ સપ્લાય થાય છે.

છોટાઉદેપુર જિલ્લામાં ધૂમ વેચાતા તડબૂચ માનવના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક અને ગુણકારી છે. જેમાં ભરપૂર માત્રામાં પાણી હોય જે પાણીનો સોસ પડવા દેતું નથી. બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. પાચન સુધારે છે. વજન ઘટાડે છે, ત્વચા સ્વસ્થ રાખે છે, જેમાં રહેલું લાઈકોપીન અને સિદ્રુલીન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે આ તડબૂચનું સેવન માનવ જીવન માટે કાળઝાળ ગરમીમાં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Dabhoi: ડભોઇ તાલુકાના શિરોલા ગામે શ્રમજીવીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં મોત

ડભોઈ તાલુકાના શીરોલા ગામે શ્રમજીવીએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું. મળતી વિગત મુજબ ડભોઇ તાલુકાના શીરોલા ગામે રહેતા 55 વર્ષના પ્રવીણ મગન તડવી ગત બપોરે 12:30 વાગ્યે પોતાના ખેતરમાં ગયા હતા ત્યારે જંતુનાશક દવા કોઈ અગમ્ય કારણસર પી લીધી હતી. તેમને સારવાર માટે ડભોઈની બી એ પી એસ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. કયા કારણસર અંતિમ પગલું ભર્યું તે જાણવા ડભોઇ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Dwarka : અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકાને મોટી ભેટ, 30 કરોડના ખર્ચે બનશે ભવ્ય યાત્રી ભવન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુવા ચહેરા અને અંબાણી પરિવારના લાડકવાયા અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકાને એક મોટી અને ઐતિહાસિક ભેટ મળી છે. ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારે જગત મંદિરના શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹30 કરોડનું માતબર અનુદાન જાહેર કર્યું છે. આ રકમનો ઉપયોગ યાત્રાળુઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘યાત્રી ભવન’ બનાવવા માટે કરવામાં આવશે.

શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બનશે ‘યાત્રી ભવન’

છેલ્લા કેટલાક વર્ષોમાં દેવભૂમિ દ્વારકા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. ઘણીવાર તહેવારો અને રજાઓના દિવસોમાં યાત્રાળુઓને રહેવા અને પાયાની સુવિધાઓમાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે અંબાણી પરિવાર દ્વારા નિર્મિત થનારું આ ગેસ્ટ હાઉસ આશીર્વાદરૂપ સાબિત થશે. આ ભવનમાં પ્રવાસન ક્ષેત્રની પાયાની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે, જેથી દૂર-દૂરથી આવતા ભક્તો સુખરૂપ દર્શન કરી શકે.

અંબાણી પરિવારની અતૂટ આસ્થા

મુકેશ અંબાણી હોય કે અનંત અંબાણી, અંબાણી પરિવાર અવારનવાર દ્વારકાધીશના આશીર્વાદ લેવા આવતા રહે છે. અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે આટલી મોટી રકમનું દાન આપીને પરિવારે સાબિત કર્યું છે કે તેમના જીવનમાં ધર્મ અને સેવાનું વિશેષ મહત્વ છે. આ ભવ્ય નિર્માણથી દ્વારકાના પ્રવાસનને પણ નવો વેગ મળશે.

આ પણ વાંચો—-     Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી

Ahmedabad : તસ્કરોનો આતંક, અસલાલીમાં સિક્યોરિટી ગાર્ડની હાજરીમાં પાનમસાલાના ગોડાઉનમાંથી 44.92 લાખની ચોરી

અમદાવાદ શહેરના અસલાલી વિસ્તારમાં તસ્કરોએ પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી એક મોટી ચોરીને અંજામ આપ્યો છે. અસલાલીમાં આવેલા પાનમસાલાના એક પ્રતિષ્ઠિત ગોડાઉનમાં ત્રાટકેલી ચોર ટોળકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પરોઢિયે ખેલાયો ચોરીનો ખેલ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ચોરી વહેલી પરોઢના સમયે થઈ હતી. તસ્કરોએ અત્યંત આયોજનબદ્ધ રીતે ગોડાઉનમાં પ્રવેશ કર્યો અને પાનમસાલાના કુલ 96 બોક્સની ચોરી કરી હતી. આ ચોરી થયેલા માલની કુલ કિંમત આશરે ₹44.92 લાખ હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે, ગોડાઉનમાં સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડ તૈનાત હોવા છતાં તસ્કરો આટલી મોટી માત્રામાં માલ લઈ જવામાં સફળ રહ્યા હતા.

સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ

સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હિલચાલ કેદ થઈ છે. પરંતુ સિક્યોરિટી ગાર્ડની હાજરીમાં થયેલી આ લૂંટ સુરક્ષા એજન્સીઓ પર અનેક સવાલો ઉભા કરે છે. તસ્કરો આટલા બધા બોક્સ કયા વાહનમાં ભરીને લઈ ગયા તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ અસલાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગોડાઉન માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના રસ્તાઓના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી ચોર ટોળકી કયા માર્ગે ભાગી છે તેની માહિતી મળી શકે. 

આ પણ વાંચો—     Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો દેશનો સૌથી અજીબોગરીબ કિસ્સો: કોમામાં રહેલા પતિના સ્પર્મથી પત્ની બનવા…..

દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો દેશનો સૌથી અજીબોગરીબ કિસ્સો: કોમામાં રહેલા પતિના સ્પર્મથી પત્ની બનવા…..

રાજધાની દિલ્હીમાં એક એવી કાયદાકીય અને ભાવનાત્મક લડાઈ શરૂ થઈ છે, જેણે ન્યાયતંત્ર અને તબીબી જગતને વિચારતા કરી દીધા છે. એક લાચાર પત્ની તેના કોમામાં રહેલા પતિના અંશને સાચવી રાખવા માટે અને ભવિષ્યમાં તેના બાળકની માતા બનવા માટે દિલ્હી હાઈકોર્ટના દ્વારા પહોંચી છે. આ કિસ્સો માત્ર ભાવનાત્મક નથી, પરંતુ જટિલ કાયદાકીય ગૂંચવણોથી ભરેલો છે.

શું છે સમગ્ર મામલો?

પીડિત મહિલાના પતિ ગયા વર્ષના માર્ચ મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે. કમનસીબે, તેઓ અત્યારે ‘વેજિટેટિવ સ્ટેટ’ એટલે કે અર્ધબેભાન અવસ્થામાં છે અને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર જીવન ટકાવી રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમની હાલત અત્યંત નાજુક છે. આવી સ્થિતિમાં, પત્નીએ તેના પતિના ‘સ્પર્મ’ (શુક્રાણુ) મેળવવા અને તેને સુરક્ષિત રાખવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી છે. મહિલાની ઈચ્છા છે કે તેના પતિની હયાતીમાં કે ગેરહાજરીમાં પણ તે તેમના જ સંતાનને જન્મ આપે.

સમય સામેની રેસ અને મેડિકલ પડકારો

મહિલાના વકીલ અરિજીત ગૌરે કોર્ટમાં દલીલ કરી હતી કે જો શુક્રાણુના સેમ્પલ લેવામાં જરા પણ વિલંબ થશે, તો તેની ગુણવત્તા બગડી શકે છે અને મહિલાની માતૃત્વની આશા કાયમ માટે છીનવાઈ શકે છે. આ પ્રક્રિયામાં સ્પર્મને ‘સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ’ માંથી કાઢીને લેબમાં -196 ડિગ્રી સેલ્સિયસ પર થીજવી દેવામાં આવે છે. IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પ્રક્રિયામાં ઘણીવાર એકથી વધુ પ્રયત્નોની જરૂર પડતી હોવાથી સેમ્પલનું સુરક્ષિત રહેવું અનિવાર્ય છે.

કાયદો અને સંમતિનો પેચ

ભારતમાં 2021માં લાગુ થયેલા નવા નિયમો મુજબ, પ્રજનન પ્રક્રિયા માટે પતિ અને પત્ની બંનેની સ્પષ્ટ લેખિત સંમતિ હોવી જરૂરી છે. અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જે વ્યક્તિ કોમામાં છે તે પોતાની સંમતિ કેવી રીતે આપી શકે? અરજદારે આ મામલે એક નિષ્ણાત મેડિકલ કમિટી બનાવવાની દરખાસ્ત પણ મૂકી છે, જે તપાસ કરશે કે શું આ સ્થિતિમાં શુક્રાણુ સુરક્ષિત રીતે કાઢી શકાય તેમ છે કે નહીં.

કેન્દ્ર સરકારના વકીલ આયુષ ગૌરે કોર્ટને જણાવ્યું છે કે આ મામલો ગંભીર છે અને તેની તપાસ ચાલી રહી છે. દિલ્હી હાઈકોર્ટ આ મામલે 9 એપ્રિલે સુનાવણી હાથ ધરશે. શું કોર્ટ માનવીય સંવેદનાઓને પ્રાધાન્ય આપશે કે કાયદાના કડક નિયમો આ પત્નીની ઈચ્છા પર પાણી ફેરવી દેશે? આ ફેંસલો આવનારા સમયમાં સરોગસી અને પ્રજનન કાયદાઓ માટે એક મોટું ઉદાહરણ સાબિત થશે.

 

40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું ‘કિંગ’? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: ઈરાને માંગી ભીખ… 13,000 સૈન્ય ઠેકાણા રાખમાં ફેરવાયા, અમેરિકી રક્ષા મંત્રીએ આને ગણાવ્યું ‘ઐતિહાસિક ઓપરેશન’

Breaking News: ઈરાને માંગી ભીખ… 13,000 સૈન્ય ઠેકાણા રાખમાં ફેરવાયા, અમેરિકી રક્ષા મંત્રીએ આને ગણાવ્યું ‘ઐતિહાસિક ઓપરેશન’

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સીઝફાયર બાદ અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથ તેમજ જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને પેન્ટાગોનમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન હેગસેથે દાવો કર્યો હતો કે, ‘ઓપરેશન એપિક ફ્યુરી’ એક ઐતિહાસિક સફળતા છે અને ઈરાને સીઝફાયર માટે ભીખ માંગી હતી. ઈરાનની સેનાને સંપૂર્ણપણે પાયમાલ કરી દેવામાં આવી છે અને આગામી ઘણા વર્ષો સુધી તે યુદ્ધ કરવા માટે અસમર્થ બની ગયું છે.

‘ઈરાન પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ સાબિત થયું’

અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે જણાવ્યું હતું કે, 40 દિવસથી પણ ઓછા સમયમાં અમેરિકાની સૈન્ય શક્તિનો માત્ર 10 ટકા ઉપયોગ કરીને દેશે દુનિયાની સૌથી મોટી સેનાઓ પૈકીની એકને તબાહ કરી દીધી છે. તેમણે દાવો કર્યો કે, ઈરાન પોતાનું રક્ષણ કરવામાં અસમર્થ સાબિત થયું છે. હેગસેથે વધુમાં ઉમેર્યું કે, તેહરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત અભિયાને યોજના મુજબ અને નિર્ધારિત સમયમાં દરેક લક્ષ્ય હાંસલ કર્યા છે.

‘ઈરાન હવે મિસાઈલ બનાવી શકશે નહીં’

પીટ હેગસેથે કહ્યું, “ઈરાનની નૌકાદળ સમુદ્રના તળિયે પહોંચી ગઈ છે અને તેની પાસે હવે કોઈ હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defense) બચી નથી. ઈરાનનો મિસાઈલ કાર્યક્રમ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. અમે ઈરાનના સંરક્ષણ ઔદ્યોગિક આધારને ખતમ કરી દીધો છે, જે અમારા મિશનનો મુખ્ય હેતુ હતો. હવે તેઓ મિસાઈલ બનાવી શકશે નહીં.”

‘તેહરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય’

અમેરિકી રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, તેહરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય. હેગસેથે જણાવ્યું કે, ઈરાન સરકાર સમજી ગઈ હતી કે તેમની જે હાલત થવાની હતી, તેના કરતા આ કરાર કરવો વધુ સારો રહેશે. તેમણે અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા ઈરાનના ઘણા વરિષ્ઠ નેતાઓના નામ પણ ગણાવ્યા હતા. ઈરાની સરકાર પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો અને સમય પણ પૂરો થઈ રહ્યો હતો, તેથી તેમણે આ સમજૂતી કરી છે.

‘સીઝફાયર એ માત્ર એક વિરામ છે’

અમેરિકાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ સીઝફાયર એ માત્ર એક વિરામ છે. જો આદેશ આપવામાં આવશે તો સેના ફરીથી ઓપરેશન માટે તૈયાર છે. કેને માહિતી આપી હતી કે, સેનાએ ઈરાનમાં 13,000 થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, અમેરિકાએ ઈરાનની 80 ટકા એર ડિફેન્સ સિસ્ટમ, 90 ટકાથી વધુ પરંપરાગત નૌકાદળ અને 90 ટકા હથિયાર ફેક્ટરીઓનો નાશ કર્યો છે.

40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું ‘કિંગ’? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી

Breaking News: વૈભવ સૂર્યવંશીએ બુમરાહના પહેલા બોલ પર સિક્સર ફટકારવાનો પ્લાન બે વર્ષ પહેલા જ બનાવી લીધો હતો

Breaking News: વૈભવ સૂર્યવંશી સહિત આ પાંચ યુવા સ્ટાર્સે IPL 2026 ના પહેલા બે અઠવાડિયામાં મચાવી ધમાલ

WGTT: મુન્દ્રાના દલદલથી ‘અબજો’ ટનના સામ્રાજ્ય સુધી, 500 મિલિયન ટનની સિદ્ધિ શ્રમિકોને અર્પણ, અદાણીએ 2030 માટે જાહેર કર્યો ‘મિશન 1 બિલિયન’નો માસ્ટરપ્લાન

WGTT: મુન્દ્રાના દલદલથી ‘અબજો’ ટનના સામ્રાજ્ય સુધી, 500 મિલિયન ટનની સિદ્ધિ શ્રમિકોને અર્પણ, અદાણીએ 2030 માટે જાહેર કર્યો ‘મિશન 1 બિલિયન’નો માસ્ટરપ્લાન

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમદાવાદ ખાતે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે માત્ર બિઝનેસના આંકડા જ નહીં, પણ મુન્દ્રાના એ દિવસોની વાતો કરી જ્યારે ત્યાં માત્ર કાદવ-કીચડ અને અનંત માર્શલેન્ડ (દળદલ) હતું.

90ના દાયકાની એ જૂની ‘કોન્ટેસા’ કાર અને એક ‘ગીત’

ગૌતમ અદાણીએ જૂની યાદો તાજી કરતા જણાવ્યું કે, 1990ના દાયકામાં જ્યારે મુન્દ્રા જવા માટે પાકા રસ્તા પણ નહોતા, ત્યારે તેઓ મલય મહાદેવિયા સાથે જૂની કોન્ટેસા કારમાં આખી રાત ડ્રાઈવ કરીને ત્યાં પહોંચતા હતા. જ્યારે પણ રસ્તામાં શંકા કે ડર લાગતો, ત્યારે મલય તે સમયની ફેમસ ફિલ્મનું એક ગીત ગાતા- “રોતે હુએ આતે હૈ સબ – હસતા હુઆ જો જાયેગા, વો મુકદ્દર કા સિકંદર – જાનેમન કહેલાયેગા!”. આ ગીત તેમનું ખાનગી રાષ્ટ્રગીત બની ગયું હતું, જે તેમને નસીબ પોતે બનાવવાની તાકાત આપતું હતું.

સિદ્ધિનો શ્રેય શ્રમિકોને: ‘પરસેવાના દરેક ટીપાને પ્રણામ’

આ ભવ્ય સફળતા પાછળ ગૌતમ અદાણીએ કોઈ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી નહીં પણ તેના શ્રમિકોના પરસેવાને મહત્વ આપ્યું છે. તેમણે ભાવુક થતા હિન્દીમાં પંક્તિઓ કહી:
“અભી તો બસ જમીન નાપી હૈ હોંસલો કા આસમાન બાકી હૈ તુમ્હારી હી બાજુઓ કે દમ પર કઈ ઓર બડે ઇમ્તેહાન બાકી હૈ.” “યે 500 મિલિયન ટન કી સિદ્ધિ અપને શ્રમિકો કે નામ કરતા હૂં. તુમ્હારે પસીને કી હર બુંદ કો ઝુકકર પ્રણામ કરતા હૂં.”

તેમણે કહ્યું કે જે શ્રમિકો પોતાના ઘરથી હજારો કિલોમીટર દૂર રહીને પોતાના બાળકોનું બાળપણ જોયા વગર મહેનત કરે છે, આ સિદ્ધિ તેમની છે.

મિશન 2030: શું છે આગામી મોટો ટાર્ગેટ?

ગૌતમ અદાણી અહીં અટકવાના મૂડમાં નથી. તેમણે ભવિષ્યની રૂપરેખા આપતા જણાવ્યું કે, જે પ્રથમ 100 મિલિયન ટન સુધી પહોંચતા 16 વર્ષ લાગ્યા હતા, તે હવે માત્ર 2 વર્ષમાં હાંસલ થઈ રહ્યા છે. તેમણે જાહેરાત કરી કે 2030 સુધીમાં APSEZ 1 બિલિયન ટન (1000 મિલિયન ટન) કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક રાખે છે.

સ્પીચના અંતમાં તેમણે ફરી કવિતાના માધ્યમથી પોતાનો સંકલ્પ દોહરાવ્યો:

“હમને મુન્દ્રા કી લહેરો સે સીખા… કિનારો પર ઠહરના ક્યા, નિકલ પડે ઉસ રાહ પર… જહાં લક્ષ્ય હૈ આસમાં.” “રુકના હમારી ફિતરત નહીં… ઉઠના હમારી પહચાન હૈ, એક શિખર કે બાદ – દૂસરે કી તલાશ… યહી અદાણી કી ઉડાન હૈ”

તેમણે સ્પષ્ટ કર્યું કે અદાણી ગ્રુપ અને ભારત માટે હજુ શ્રેષ્ઠ સમય આવવાનો બાકી છે.

40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું ‘કિંગ’? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી