છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓમાં તડબૂચની ખેતી ફુલ બહારમાં થાય છે. જિલ્લામાં આવેલી નદીઓમાં તથા ખેતરોમાં આ તડબૂચનું વાવેતર થાય છે. જે તડબૂચને ઉનાળામાં અમૃત સમાન માનવામાં આવે છે. આ તડબૂચનું છોટાઉદેપુર જિલ્લામાં ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. રોજના 150 ટન તડબૂચ વેચાતા હોવાનો અંદાજ ખેડૂતો બતાવી રહ્યા છે. જ્યારે લોકો પેટની ઠંડક માટે આ તડબૂચનું સેવન ઉનાળામાં કરતા હોય છે. જ્યારે છોટાઉદેપુરના તડબૂચ અન્ય જિલ્લા અને રાજ્યોમાં પણ સપ્લાય થાય છે.
છોટાઉદેપુર પંથકમાં આવેલી ઓરસંગ નદી સહિત અન્ય નદીઓમાં તડબૂચની ખેતી ફેમસ છે. લીલા તડબૂચ પીળા તડબૂચ પીળા, તથા લીલા પટ્ટાવાળા તડબૂચનું ઉત્પાદન થાય છે. જેટલી ગરમી વધુ પડે એટલું જલ્દી તડબૂચ તૈયાર થાય છે. આ તડબૂચની ડિમાન્ડ છોટાઉદેપુર માં સ્થાનિક તો ઠીક પરંતુ અન્ય શહેરોમાં પણ હોય છે જે પ્રતિ ટન ના વજનમાં બહારના શહેરોમાં પણ સપ્લાય થાય છે.
છોટાઉદેપુર જિલ્લામાં ધૂમ વેચાતા તડબૂચ માનવના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક અને ગુણકારી છે. જેમાં ભરપૂર માત્રામાં પાણી હોય જે પાણીનો સોસ પડવા દેતું નથી. બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. પાચન સુધારે છે. વજન ઘટાડે છે, ત્વચા સ્વસ્થ રાખે છે, જેમાં રહેલું લાઈકોપીન અને સિદ્રુલીન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે આ તડબૂચનું સેવન માનવ જીવન માટે કાળઝાળ ગરમીમાં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.