17 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો પિતાની સાથે મિત્રની જેમ વાત કરશે અને કોણ એકાંતમાં સમય વિતાવશે?

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Patan: પાટણ જિલ્લા કલેકટરની બદલી થતાં વિદાય સમારોહ યોજી વિદાય અપાઈ

તાજેતરમાં જ રાજ્યમાં IAS અધિકારીઓની કરવામાં આવેલી બદલીઓ દરમિયાન પાટણ જિલ્લા કલેકટર તથા રાધનપુર મદદનીશ કલેકટરની પણ બદલી થવા પામી હતી. જેને લઈ બંને અધિકારીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદાય સમારોહનું આયોજન કરી વિદાય આપી હતી. આ પ્રસંગે બંને અધિકારીઓ દ્વારા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે વર્ષમાં ફરજ સંભાળનાર કલેકટર તુષાર ભટ્ટની તાજેતરમાં જ બદલી કરી દેવામાં આવી છે. તેમની સાથે સાથે મુળ રાજસ્થાનના અને 2022ની બેચના IAS રાધનપુર ખાતેના મદદનીશ કલેકટર રાજેશકુમાર મોર્યને પણ બઢતી સાથે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન તાપી ખાતે બદલી થતાં જિલ્લા કલેકટર કચેરી ખાતે બંને અધિકારીઓનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને અધિકારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયમાં કરેલી કામગીરીને બિરદાવી હતી. આ તબક્કે વિદાયમાન બંને અધિકારીઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Patan: પાટણમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસ અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. 3 નો વધારો કરવામાં આવતાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં શનિવારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં આવેલ સિદ્ધપુર ચોકડી પર ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ટ્રાફ્કિ જામ થઈ જતાં પોલીસ દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.

શનિવારે પાટણમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા રાજ્યમાં થયેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા બાદ સિદ્ધપુર ચોકડી પાસે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. જે દરમિયાન ટ્રાફ્કિ જામ થઈ જતાં પોલીસ દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી આગેવાનોએ? સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તાત્કાલિક અસરથી ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી. તદ્પરાંત સરકાર સામે આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની પ્રજાને ભોળવી ખોબલે ખોબલે મત લીધા બાદ ચુંટણી પુરી થતાં જ તોતિંગ ભાવ વધારો ઝીંકી દીધો છે. વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે ભાવ વધારો પરત નહીં ખેંચાય તો આગામી સમયમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વધુ ઉગ્ર આંદોલન કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Kheda: સગીરા પર દૂષ્કર્મ, કપડવંજના શખ્સને 10 વર્ષની કેદ

કપડવંજના એક યુવકે એક સગીરા યુવતી ને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને 27 સપ્ટેમ્બર 2024માં ગેસ્ટ હાઉસમાં લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.સગીરાને રૂ. 4 લાખ વળતર ચુકવવાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો.

કપડવંજ શહેરના દાણા રોડ પર આવેલી રામબાગ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગરે એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ ઘનશ્યામે સગીરાને લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી લાલચ આપી હતી.

ગત તા. 27 સપ્ટેમ્બર 2024ના રોજ યુવકે સગીરાને કપડવંજ -નડિયાદ રોડ પર આવેલા આવકાર ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. ત્યાં રૂમ નંબર 117માં યુવકે સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ સંદર્ભે સગીરાના સંબંધીની ફરિયાદના આધારે કપડવંજ શહેર પોલીસે ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગર વિરૂદ્ધ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી ઘનશ્યામ ડબગરની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ ચાર્જશીટ બનાવીને કપડવંજ સેશન્સ કોર્ટમાં મૂકી હતી. આ કેસની સુનાવણી કપડવંજ સેશન્સ કોર્ટમાં હાથ ધરાતાં સરકારી વકીલ મિનેષ આર પટેલની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખ્યા બાદ ન્યાયાધિશ કે.એેસ .પટેલે આરોપી ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગરને કસુરવાર ઠરાવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. અને કુલ રૂ. 7500 દંડ , દંડ નભરે તો વધુ પાંચ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત વિકટીમ કોમ્પેસેશન સ્કીમની જોગવાઇ મુજબ ભોગબનનાર સગીરાને રૂ. 4 લાખ ચુકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદને આદેશ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Idar: ઈડરના હાલુડી વિસ્તારમાં જુગાર રમતા 4 જુગારી પકડાયા

સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હાલુડી વિસ્તાર સ્થિત કુંજ કસ્બા પાસે ગુરૂવારે છાપરાના શેડમાં ગંજીપાનાનો જુગાર રમતા ચાર જણાને સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે ઝડપી લઈને રૂ.30 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ જુગાર ધારાના ભંગ બદલ ચારેય વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી અને ચારેયની અટકાયત કરી હતી. આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા અને સ્ટાફના જણાવાયા મુજબ, ગુરૂવારે તેમનો સ્ટાફ ઈડર પોલીસ સ્ટેશનની હદમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે, ઈડરના હાલુડી વિસ્તારમાં આવેલ કુંજ કસ્બા પાસે છાપરાના શેડમાં કેટલાક શખ્સો ગંજીપાનાનો જુગાર રમી રહ્યા છે. જે આધારે એલસીબીના સ્ટાફે તરત જ પહોંચી જઈ કુંજ કસ્બા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો ત્યારબાદ જુગાર રમતા વિપુલ અરવિંદભાઈ પરમાર, જગદીશ લલીતભાઈ ચાવડા, અજીત ગલબાભાઈ પરમાર અને સુભાષ મુળજીભાઈ પરમારને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ એલસીબીએ રૂ.10,230 રોકડ અને રૂ.20 હજારના મોબાઈલ મળી અંદાજે રૂ.30 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા ચારેય વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Himatnagar: વડાલીના સવાસલા ગામે 25 લાખના સાધનો ભાડે રાખી પરત ન આપી ઠગાઈ

વડાલી તાલુકાના સવાસલા ગામે રહેતા એક રહીશ પાસેથી 9 મહિના અગાઉ વડાલીના થુરાવાસ, મહેસાણાના પોલવાસ તથા નાના ચિલોડાના એક શખ્સ મળી ત્રણેય જણાએ સવાસલાના રહીશને વિશ્વાસમાં લઈ રૂ.25 લાખના જેસીબી તથા રોટોવેટર અને ટ્રેકટર ભાડે લઈ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ગુરૂવારે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે બે જણાની અટકાયત કરી હતી. આ અંગે સવાસલા ગામના મુકેશ ખીમજીભાઈ ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા.29-8-2025ના સમયગાળા દરમિયાન થુરાવાસના દશરથ વણઝારા, મહેસાણા જિલ્લાના પોલવાસ ગામના રતનજી શંકરજી ઠાકોર તથા નાનાચિલોડામાં આવેલ અમરદિપ એપાર્ટમેન્ટરમાં રહેતા સુખદેવદાન તેજદાન ગઢવીએ એકસંપ થઈ મુકેશ ગઢવીને વિશ્વાસમાં લઈ ટ્રેકટર નં.જીજે.09બીએમ.0450, રૂ.8.50 લાખનું રોટેવેટર તથા અન્ય સાધનો મળી રૂ.25 લાખની કિંમતના આ સાધનો ભાડા પટ્ટે લીધા હતા ઉપરાંત યતીન પરમારનું રૂ.26 હજારની કિંમતનું એક્ટિવા નં.જીજે.09ડીએસ.6468ને ગીરવે રાખી દશરથ વણઝારાએ કરાર કરી આપ્યો હતો. તેમજ રતનજી ઠાકોર અને સુખદેવદાન ગઢવીએ ટ્રેકટર, રોટોવેટર ગીરો કરાર કરી લઈ લીધા બાદ મુકેશ ગઢવીને જેસીબી ભાડે તથા વેચાણથી લીધા બાદ દશરથ વણઝારાએ રૂ.26 હજારનું એક્ટિવા ગીરોથી મેળવી લીધુ હતું ત્યારબાદ સમય પૂર્ણ થવા છતાં વાહનો પરત આપવામાં આવ્યા ન હતા. તેમજ વાહનોની કિંમત ન ચુકવીને આ ત્રણેય જણાએ મુકેશ ગઢવી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ગુરૂવારે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવાતાં પોલીસે ગુનોની તપાસ કરીને દશરથ મોતીલાલ વણઝારા અને સુખદેવદાન ગઢવીની અટકાત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

ડભોઈ પંથકના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી

ડભોઇ નગરના પેટ્રોલ પંપો ઉપર ક્યારેક લાંબી કતારો તો ક્યારેક પેટ્રોલ પંપો બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે. ઇઝરાયેલ ઈરાક ઈરાન જેવા દેશોમાં હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈ પેટ્રોલ ડીઝલ કેરોસીન બળતણ ગેસની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા પણ ઈંધણ બચાવોની અપીલ કરાઈ છે. ત્યારે ડભોઇના પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ આવતાની સાથે જ લોકો ભરાવા માટે લાંબી કતારોમાં ઊભા થઈ જાય છે તો વળી પુરવઠો ખલાસ થતાં પેટ્રોલ પંપને પણ બંધ રાખવાનો વારો આવી ગયો છે.

ડભોઇ પંથકમાં 15 જેટલા પેટ્રોલ પંપ છે, જ્યાં પેટ્રોલ કે ડીઝલો ખૂટી જવાની વાતો બહાર આવે છે, એટલું જ નહીં જ્યાં સુધી બીજો પુરવઠો ના આવે ત્યાં સુધી આ પેટ્રોલ પંપોને બંધ રાખવાની પણ ફ્રજ વિક્રેતાઓને પડી રહી છે, જે પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલની આયાત થાય ત્યાં તો લાંબી કથાઓમાં જ લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવા માટે આવી જતા હોવાના કારણે લાંબી કતારો જોવા મળી રહી છે.

પુરવઠો ઓછો અને પ્રમાણસર ન મળતો હોવાથી આવનારા દિવસોમાં કદાચ પેટ્રોલ કે ડીઝલનો અસહ્ય ભાવ વધારો પણ થાય ત્યારે પ્રજા ભાવ વધારો થાય તે પહેલા પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરી દેવાની લ્હાયમાં પણ કતારોમાં ઊભા થઈ જતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

કાલોલમાં ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે વિરુદ્ધ પોલીસની લાલ આંખ

કાલોલ પોલીસે પાછલા ત્રણ ચાર દિવસમાં રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન કાલોલ શહેર અને તાલુકામાં નિયત ડેસિબલ કરતાં મોટા અવાજે ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે સાઉન્ડ સિસ્ટમ સામે લાલ આંખ કરીને ત્રણ ડીજે કબજે કરી ડીજે માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામમાંથી ગણેશ ડીજેના ઘનશ્યામભાઈ ઉફે ગનિયો રાવજીભાઈ પરમાર (ડી.જે.સંચાલક) અને પ્રકાશકુમાર ઉફે પકો અર્જુનભાઈ બારિઆ (ડીજે ઓપરેટર) સાથે આઇશર, ડીજે સાઉન્ડ સિસ્ટમ અને મળીને કુલ રૂા.25,30,000નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં કાલોલ શહેરમાંથી મહાકાળી ડી.જે.સંચાલક અને ઓપરેટર દિપકકુમાર અર્જુનસિંહ રાઠોડનું ડીજે સાઉન્ડ સિસ્ટમ અને ત્રીજા કિસ્સામાં શહેરના બોરુ ટર્નિગ પાસેથી વિરાજ ડીજેના ઓપરેટર મિતેશસિહ બળદેવસિંહ ચાવડા અને ડીજે સંચાલક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણનું ડીજે તેમજ આઇશર સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ડીજે સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

ગોધરા શહેરના બામરોલી બાયપાસથી અછાલા જંગલ સુધીનો માર્ગ બિસમાર

ગોધરા શહેરના બામરોલી બાયપાસ રોડથી અછાલા જંગલ સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર પડેલા મોટા ખાડાઓ, ઉખડેલા ડામર અને ધૂળના ગોટેગોટા વચ્ચે વાહનચાલકો તથા રાહદારીઓને રોજિંદી અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામેનો કરવો પડી રહ્યો છે. આશરે 15થી વધુ ગામોને જોડતો અત્યંત મહત્વનો સંપર્ક માર્ગ છે. છતાં પણ આર એન્ડ બી વિભાગ દ્વારા માર્ગના સમારકામ અથવા જાળવણી માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પરથી બામરોલી, મહુલીયા, અછાલા, મલ્લાકુવા, દામાવાવ, રીછવાણી, ગોલ્લાવ, કાળી ડુંગરી, દેવગઢબારીયા તેમજ છોટાઉદેપુર તરફ જતાં લોકો રોજિંદી અવરજવર કરે છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને માટે આ માર્ગ જ મુખ્ય આધારરૂપ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Dwarka News: ઓમાન પાસે સલાયાના ‘હાજી અલી’ જહાજ પર મિસાઈલ કે ડ્રોન હુમલાની આશંકા, વિસ્ફોટ બાદ જહાજ જળસમાધિ લેતા 14 ખલાસીઓનો આબાદ બચાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના દરિયાઈ વેપારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઓમાનના લિમાહ નજીક સલાયાનું માલવાહક જહાજ ‘હાજી અલી’ એક ભયાનક વિસ્ફોટ બાદ દરિયામાં ડૂબી ગયું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ જહાજ પર ડ્રોન અથવા મિસાઈલથી હુમલો થયો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે જહાજમાં વિકરાળ આગ લાગી હતી અને તે જોતજોતામાં દરિયામાં ગરકાવ થઈ ગયું હતું.

લાઇફબોટે જીવ બચાવ્યો

જહાજ પર જે સમયે વિસ્ફોટ થયો ત્યારે તેમાં એક ટંડેલ સહિત કુલ 14 ખલાસીઓ સવાર હતા. વિસ્ફોટ બાદ આગ લાગતા ખલાસીઓએ સમયસૂચકતા વાપરી લાઈફબોટનો સહારો લીધો હતો. આ તમામ ખલાસીઓ દરિયામાં તરતા હતા ત્યારે ઓમાન કોસ્ટગાર્ડે ત્વરિત કાર્યવાહી કરી તમામને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા. હાલ તમામ 14 ખલાસીઓને ડીબા બંદરે પહોંચાડવામાં આવ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ખલાસીઓના જરૂરી દસ્તાવેજો પણ સલામત હોવાનું જાણવા મળ્યું છે.

હુમલા પાછળ કોનો હાથ? તપાસ તેજ

‘હાજી અલી’ જહાજ ગત 5 મેના રોજ બરબરા બંદરેથી લાઇવ સ્ટોક (પશુઓ) ભરીને શારજાહ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન વહેલી સવારે તેના પર હુમલો થયો હતો. નિષ્ણાતોના મતે વર્તમાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવનો આ જહાજ ભોગ બન્યું હોવાની શક્યતા છે. ઓમાન રોયલ પોલીસ દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે કે, આ હુમલો ડ્રોનથી થયો હતો કે રોકેટથી.

દરિયાઈ વેપારીઓમાં ફફડાટ

એક જ અઠવાડિયામાં સલાયાના બીજા વહાણ સાથે આવી દુર્ઘટના ઘટતા શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ચિંતાનો માહોલ છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશને આ બાબતે ભારત સરકારમાં રજૂઆત કરી છે, અને તમામ ખલાસીઓને વહેલી તકે સલામત રીતે વતન પરત લાવવાની માગ કરી છે.

આ પણ વાંચો – Dwarka News: દુધિયા ગામે રસ્તાના ડખ્ખામાં યુવકની હત્યા, કુટુંબીજનોએ કુહાડી અને પાઇપ વડે કર્યો હુમલો