Breaking News: ઈરાને માંગી ભીખ… 13,000 સૈન્ય ઠેકાણા રાખમાં ફેરવાયા, અમેરિકી રક્ષા મંત્રીએ આને ગણાવ્યું ‘ઐતિહાસિક ઓપરેશન’

Breaking News: ઈરાને માંગી ભીખ… 13,000 સૈન્ય ઠેકાણા રાખમાં ફેરવાયા, અમેરિકી રક્ષા મંત્રીએ આને ગણાવ્યું ‘ઐતિહાસિક ઓપરેશન’

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સીઝફાયર બાદ અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથ તેમજ જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને પેન્ટાગોનમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન હેગસેથે દાવો કર્યો હતો કે, ‘ઓપરેશન એપિક ફ્યુરી’ એક ઐતિહાસિક સફળતા છે અને ઈરાને સીઝફાયર માટે ભીખ માંગી હતી. ઈરાનની સેનાને સંપૂર્ણપણે પાયમાલ કરી દેવામાં આવી છે અને આગામી ઘણા વર્ષો સુધી તે યુદ્ધ કરવા માટે અસમર્થ બની ગયું છે.

‘ઈરાન પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ સાબિત થયું’

અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે જણાવ્યું હતું કે, 40 દિવસથી પણ ઓછા સમયમાં અમેરિકાની સૈન્ય શક્તિનો માત્ર 10 ટકા ઉપયોગ કરીને દેશે દુનિયાની સૌથી મોટી સેનાઓ પૈકીની એકને તબાહ કરી દીધી છે. તેમણે દાવો કર્યો કે, ઈરાન પોતાનું રક્ષણ કરવામાં અસમર્થ સાબિત થયું છે. હેગસેથે વધુમાં ઉમેર્યું કે, તેહરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત અભિયાને યોજના મુજબ અને નિર્ધારિત સમયમાં દરેક લક્ષ્ય હાંસલ કર્યા છે.

‘ઈરાન હવે મિસાઈલ બનાવી શકશે નહીં’

પીટ હેગસેથે કહ્યું, “ઈરાનની નૌકાદળ સમુદ્રના તળિયે પહોંચી ગઈ છે અને તેની પાસે હવે કોઈ હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defense) બચી નથી. ઈરાનનો મિસાઈલ કાર્યક્રમ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. અમે ઈરાનના સંરક્ષણ ઔદ્યોગિક આધારને ખતમ કરી દીધો છે, જે અમારા મિશનનો મુખ્ય હેતુ હતો. હવે તેઓ મિસાઈલ બનાવી શકશે નહીં.”

‘તેહરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય’

અમેરિકી રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, તેહરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય. હેગસેથે જણાવ્યું કે, ઈરાન સરકાર સમજી ગઈ હતી કે તેમની જે હાલત થવાની હતી, તેના કરતા આ કરાર કરવો વધુ સારો રહેશે. તેમણે અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા ઈરાનના ઘણા વરિષ્ઠ નેતાઓના નામ પણ ગણાવ્યા હતા. ઈરાની સરકાર પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો અને સમય પણ પૂરો થઈ રહ્યો હતો, તેથી તેમણે આ સમજૂતી કરી છે.

‘સીઝફાયર એ માત્ર એક વિરામ છે’

અમેરિકાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ સીઝફાયર એ માત્ર એક વિરામ છે. જો આદેશ આપવામાં આવશે તો સેના ફરીથી ઓપરેશન માટે તૈયાર છે. કેને માહિતી આપી હતી કે, સેનાએ ઈરાનમાં 13,000 થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, અમેરિકાએ ઈરાનની 80 ટકા એર ડિફેન્સ સિસ્ટમ, 90 ટકાથી વધુ પરંપરાગત નૌકાદળ અને 90 ટકા હથિયાર ફેક્ટરીઓનો નાશ કર્યો છે.

40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું ‘કિંગ’? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી

Breaking News: વૈભવ સૂર્યવંશીએ બુમરાહના પહેલા બોલ પર સિક્સર ફટકારવાનો પ્લાન બે વર્ષ પહેલા જ બનાવી લીધો હતો

Breaking News: વૈભવ સૂર્યવંશી સહિત આ પાંચ યુવા સ્ટાર્સે IPL 2026 ના પહેલા બે અઠવાડિયામાં મચાવી ધમાલ

WGTT: મુન્દ્રાના દલદલથી ‘અબજો’ ટનના સામ્રાજ્ય સુધી, 500 મિલિયન ટનની સિદ્ધિ શ્રમિકોને અર્પણ, અદાણીએ 2030 માટે જાહેર કર્યો ‘મિશન 1 બિલિયન’નો માસ્ટરપ્લાન

WGTT: મુન્દ્રાના દલદલથી ‘અબજો’ ટનના સામ્રાજ્ય સુધી, 500 મિલિયન ટનની સિદ્ધિ શ્રમિકોને અર્પણ, અદાણીએ 2030 માટે જાહેર કર્યો ‘મિશન 1 બિલિયન’નો માસ્ટરપ્લાન

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમદાવાદ ખાતે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે માત્ર બિઝનેસના આંકડા જ નહીં, પણ મુન્દ્રાના એ દિવસોની વાતો કરી જ્યારે ત્યાં માત્ર કાદવ-કીચડ અને અનંત માર્શલેન્ડ (દળદલ) હતું.

90ના દાયકાની એ જૂની ‘કોન્ટેસા’ કાર અને એક ‘ગીત’

ગૌતમ અદાણીએ જૂની યાદો તાજી કરતા જણાવ્યું કે, 1990ના દાયકામાં જ્યારે મુન્દ્રા જવા માટે પાકા રસ્તા પણ નહોતા, ત્યારે તેઓ મલય મહાદેવિયા સાથે જૂની કોન્ટેસા કારમાં આખી રાત ડ્રાઈવ કરીને ત્યાં પહોંચતા હતા. જ્યારે પણ રસ્તામાં શંકા કે ડર લાગતો, ત્યારે મલય તે સમયની ફેમસ ફિલ્મનું એક ગીત ગાતા- “રોતે હુએ આતે હૈ સબ – હસતા હુઆ જો જાયેગા, વો મુકદ્દર કા સિકંદર – જાનેમન કહેલાયેગા!”. આ ગીત તેમનું ખાનગી રાષ્ટ્રગીત બની ગયું હતું, જે તેમને નસીબ પોતે બનાવવાની તાકાત આપતું હતું.

સિદ્ધિનો શ્રેય શ્રમિકોને: ‘પરસેવાના દરેક ટીપાને પ્રણામ’

આ ભવ્ય સફળતા પાછળ ગૌતમ અદાણીએ કોઈ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી નહીં પણ તેના શ્રમિકોના પરસેવાને મહત્વ આપ્યું છે. તેમણે ભાવુક થતા હિન્દીમાં પંક્તિઓ કહી:
“અભી તો બસ જમીન નાપી હૈ હોંસલો કા આસમાન બાકી હૈ તુમ્હારી હી બાજુઓ કે દમ પર કઈ ઓર બડે ઇમ્તેહાન બાકી હૈ.” “યે 500 મિલિયન ટન કી સિદ્ધિ અપને શ્રમિકો કે નામ કરતા હૂં. તુમ્હારે પસીને કી હર બુંદ કો ઝુકકર પ્રણામ કરતા હૂં.”

તેમણે કહ્યું કે જે શ્રમિકો પોતાના ઘરથી હજારો કિલોમીટર દૂર રહીને પોતાના બાળકોનું બાળપણ જોયા વગર મહેનત કરે છે, આ સિદ્ધિ તેમની છે.

મિશન 2030: શું છે આગામી મોટો ટાર્ગેટ?

ગૌતમ અદાણી અહીં અટકવાના મૂડમાં નથી. તેમણે ભવિષ્યની રૂપરેખા આપતા જણાવ્યું કે, જે પ્રથમ 100 મિલિયન ટન સુધી પહોંચતા 16 વર્ષ લાગ્યા હતા, તે હવે માત્ર 2 વર્ષમાં હાંસલ થઈ રહ્યા છે. તેમણે જાહેરાત કરી કે 2030 સુધીમાં APSEZ 1 બિલિયન ટન (1000 મિલિયન ટન) કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક રાખે છે.

સ્પીચના અંતમાં તેમણે ફરી કવિતાના માધ્યમથી પોતાનો સંકલ્પ દોહરાવ્યો:

“હમને મુન્દ્રા કી લહેરો સે સીખા… કિનારો પર ઠહરના ક્યા, નિકલ પડે ઉસ રાહ પર… જહાં લક્ષ્ય હૈ આસમાં.” “રુકના હમારી ફિતરત નહીં… ઉઠના હમારી પહચાન હૈ, એક શિખર કે બાદ – દૂસરે કી તલાશ… યહી અદાણી કી ઉડાન હૈ”

તેમણે સ્પષ્ટ કર્યું કે અદાણી ગ્રુપ અને ભારત માટે હજુ શ્રેષ્ઠ સમય આવવાનો બાકી છે.

40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું ‘કિંગ’? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી

Diu : ગાંધીપરા મેઈન રોડ પર છકડો રિક્ષા પલટી, આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગાંધીપરા મેઈન રોડ પર આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વણાકબારાથી દીવ તરફ જઈ રહેલી એક છકડો રિક્ષા અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષા ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

ઘટનાની વિગત

પ્રાપ્ત માહિતી અનુસાર, છકડો રિક્ષામાં લાખાભાઈ અને સંજયભાઈ નામના બે યુવાનો સવાર હતા. રિક્ષા જ્યારે ગાંધીપરા મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષા ચાલક સંજયભાઈ (ઉંમર વર્ષ 25, રહેવાસી-ઝાખરવાડ) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઇજાગ્રસ્તને ઉના રિફર કરાયા

અકસ્માત સર્જાતા જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. રિક્ષામાં સવાર અન્ય યુવાન લાખાભાઈને પણ શરીરે વધતી-ઓછી ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેમને ઉના ખાતે રિફર કરવામાં આવ્યા છે. 25 વર્ષીય આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી ઝાખરવાડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો—-     Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

Surendranagar : નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળતા ખળભળાટ, ACB એ નોંધ્યો ગુનો

ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સુરેન્દ્રનગરમાં મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત (DA) નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીએ પોતાની કાયદેસરની આવક કરતા ₹1.22 કરોડથી વધુની મિલકત ગેરકાયદેસર રીતે એકત્રિત કરી છે.

12 વર્ષમાં ઊભું કર્યું કાળું નાણું

ACB ના જોઈન્ટ ડાયરેક્ટર પિયુષ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે, ચંદ્રસિંહ મોરીએ વર્ષ 2013 થી 2025 ના સમયગાળા દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. તેમની પાસે કુલ આવકના 56.89% જેટલી વધુ મિલકત મળી આવી છે. આ મામલાની ગંભીરતાને જોતા ખાસ SITની રચના કરવામાં આવી છે, જે આરોપીએ સગા-સંબંધીઓના નામે કરેલા રોકાણોની પણ ઊંડી તપાસ કરી રહી છે.

આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં

મહત્વનું છે કે, આરોપી ચંદ્રસિંહ મોરી અન્ય એક કેસમાં હાલ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટના આદેશથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જોકે, હવે ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ નવો ગુનો નોંધી તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. સરકારી બાબુ દ્વારા આટલી મોટી માત્રામાં અપ્રમાણસર મિલકત વસાવવાના ખુલાસાથી સમગ્ર મહેસૂલ વિભાગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો—      Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

Surat: ટિન્ડર એપ પર દોસ્તી કરવા જતા શિક્ષક લૂંટાયો, અવાવરું જગ્યાએ માર મારી 2 શખ્સોએ 30 હજાર પડાવ્યા

આજના ડિજિટલ યુગમાં ડેટિંગ એપ્સનો ઉપયોગ સાવચેતી વગર કરવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, તેનો જીવંત દાખલો સુરતના વરિયાવ વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં એક શાળાના શિક્ષકને ટિન્ડર એપ દ્વારા પ્રેમજાળમાં ફસાવી, લૂંટારુઓએ માર મારી હજારો રૂપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. જોકે, સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા છે.

બ્લેકમેઈલિંગનો ખેલ

મળતી માહિતી મુજબ, શિક્ષકે ટિન્ડર એપ પર એક આઈડી સાથે વાતચીત શરૂ કરી હતી. સામે પક્ષેથી વ્યક્તિએ તેમને મળવા માટે વરિયાવ વિસ્તારની એક અવાવરું જગ્યાએ બોલાવ્યા હતા. શિક્ષક જેવા ત્યાં પહોંચ્યા, કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. લૂંટારુઓએ શિક્ષકને બેફામ માર માર્યો હતો અને તેમનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો.

પોલીસનો સંપર્ક કર્યો

આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શિક્ષકને બ્લેકમેઈલ કરવામાં આવ્યા હતા. બદનામીના ડરથી શિક્ષકે લૂંટારુઓને 30,000 આપી દીધા હતા. પરંતુ લૂંટારુઓની લાલચ વધતા શિક્ષકે આખરે હિંમત કરી પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે જાળ બિછાવી દબોચ્યા

શિક્ષકની ફરિયાદના આધારે સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી છટકું ગોઠવ્યું હતું. લૂંટારુઓ જ્યારે વધુ પૈસા લેવા આવ્યા ત્યારે જ પોલીસે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ ટોળકીએ અગાઉ કેટલા લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે.

આ પણ વાંચો—-     Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

Banaskantha News: પાલનપુર પોક્સો કોર્ટે સગીરાને ગર્ભવતી બનાવનાર નરાધમને ફટકારી 20 વર્ષની કેદ, ચુકવવું પડશે 10.50 લાખનું વળતર

બનાસકાંઠા જિલ્લાની પાલનપુર પોક્સો કોર્ટે સગીરાના શોષણના એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી દેવાભાઈ રાજાભાઈ કોદરવીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે પીડિતાને ન્યાય અપાવવા માટે આકરા વલણ સાથે મોટા આર્થિક વળતરનો પણ આદેશ કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?

કેસની વિગત મુજબ, આરોપી દેવાભાઈ કોદરવીએ પાલનપુર પંથકની એક સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈને તેની મરજી વિરૂદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અમાનવીય કૃત્યને કારણે પીડિત સગીરા ગર્ભવતી બની હતી અને તેણે બે બાળકોને જન્મ આપ્યો હતો. નાની ઉંમરે સગીરા પર થયેલા આ અત્યાચારે સમાજમાં ભારે રોષ જગાડ્યો હતો.

કોર્ટનું કડક વલણ અને સજા

પાલનપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આ કેસને ગંભીરતાથી લઈ તમામ પુરાવાઓ અને સાક્ષીઓની તપાસ બાદ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી દેવા રાજા કોદરવીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે 14 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. આ સાથે પીડિતા અને તેના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી 10 લાખ 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

ન્યાયની જીત

સગીરાના શોષણના આ કેસમાં કોર્ટે જે રીતે કડક સજા સંભળાવી છે, તેનાથી નરાધમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પીડિતા જે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી, તેને આ ચુકાદાથી મોડો પણ સાચો ન્યાય મળ્યો છે. સરકારી વકીલની ધારદાર દલીલો અને પોલીસની તપાસને અંતે કોર્ટે આ ઐતિહાસિક સજાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો – Banaskantha: લવ જેહાદની ચોંકાવનારી ઘટના, 5 વિધર્મીઓએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

Kheda : જમીન કૌભાંડમાં અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિર્મિઝીની ધરપકડ, બોગસ પેઢીનામું બનાવી ખેડૂત બનવાનો ખેલ ઉઘાડો પડ્યો

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પુનાદરા ગામમાં ગાજેલા જમીન કૌભાંડમાં નડીઆદ એલસીબીએ મોટી સફળતા મેળવી છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિર્મિઝીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ બોગસ પેઢીનામું ઉભું કરીને ખેડૂત તરીકે જમીન ખરીદવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે.

શું છે સમગ્ર કૌભાંડ?

આરોપી તસ્લીમ તિર્મિઝીએ દિમાગરા ગામમાં ખેડૂત તરીકે સ્થાપિત થવા માટે કથિત રીતે નકલી દસ્તાવેજો અને બોગસ પેઢીનામું તૈયાર કર્યું હતું. આ મામલે પુનાદરા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આતરસુંબા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ નડીઆદ એલસીબીએ તપાસનો ધમધમાટ તેજ કરી પૂર્વ કોર્પોરેટરને દબોચી લીધા હતા.

LCBએ 5 દિવસના રિમાન્ડ માંગ્યા

આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તસ્લીમ તિર્મિઝીને કપડવંજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. બીજી તરફ, આ વિવાદની અસર સ્થાનિક પ્રશાસન પર પણ જોવા મળી છે. પુનાદરા ગ્રામ પંચાયતના તલાટી ફરિયાદ નોંધાવ્યા બાદ રહસ્યમય રીતે રજા પર ઉતરી ગયા છે, જેના કારણે આજે બપોરના સમયે ગ્રામ પંચાયતને ‘ખંભાતી તાળા’ વાગેલા જોવા મળ્યા હતા. હાલ પોલીસ આ કૌભાંડમાં અન્ય કોઈ સરકારી કર્મચારી કે મધ્યસ્થી સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો—-      Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

Mallikarjun Kharge Controversy: ખડગેની માફી અસ્વીકાર્ય, દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય બહાર ગુજરાતીઓનો પ્રચંડ વિરોધ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને ‘અભણ અને મૂર્ખ’ કહેવા મામલે વિવાદ વકર્યો છે. આ મામલે ખડગેએ સોશિયલ મીડિયા પર માફી માંગી હોવા છતાં, ભાજપે તેને અસ્વીકાર્ય ગણાવી છે. આજે દિલ્હીમાં લોકસભા સાંસદ અને ભાજપના સહ-પ્રવક્તા ધવલ પટેલની આગેવાનીમાં સમસ્ત ગુજરાતી સમાજે કોંગ્રેસ મુખ્યાલય બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શક્તિપ્રદર્શન કર્યું હતું.

દિલ્હીના માર્ગો પર ગુંજી ગુજરાતીઓની સિંહ ગર્જના

સાંસદ ધવલ પટેલે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓનું અપમાન કરીને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. તેમની માફી માત્ર દેખાડો છે અને તે અમને મંજૂર નથી. આજે દિલ્હીમાં સમસ્ત ગુજરાતી સમાજે એકઠાં થઈને કોંગ્રેસના અહંકારને લપડાક લગાવી છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે સવાલોના પ્રહાર

ધવલ પટેલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીને આડેહાથ લેતા પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓ વિશે આટલી અપમાનજનક ટિપ્પણી કરી છે, ત્યારે તમે ખડગેને સપોર્ટ કરશો કે ગુજરાત અને ગુજરાતીઓને? શું તમે તમારા નેતાના આ નિવેદનને વખોડો છો ખરા?

આ લડાઈ ગુજરાતી ગૌરવની છે

વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે, આ લડાઈ માત્ર રાજકીય નથી, પરંતુ ગુજરાતની ગરિમા અને સ્વાભિમાનની છે. ગુજરાતનો ઇતિહાસ બહાદુરી અને સાહસનો રહ્યો છે, ત્યારે કોઈ પણ પક્ષ કે નેતા સમગ્ર રાજ્યના નાગરિકોને નીચું દેખાડે તે સહન કરવામાં આવશે નહીં.

કોંગ્રેસ કાર્યાલય બહાર ધરણા

દિલ્હી સ્થિત કોંગ્રેસના રાષ્ટ્રીય મુખ્યાલયની બહાર મોટી સંખ્યામાં ગુજરાતીઓ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ માગ કરી હતી કે, જાહેર પ્લેટફોર્મ પર ગુજરાતની ગરિમાને અપમાનિત કરવાની આ પ્રથાનો કાયમી અંત આવવો જોઈએ. જ્યારે પણ ગુજરાતના સ્વાભિમાનને પડકારવામાં આવશે, ત્યારે ગુજરાતનો દરેક પુત્ર અને પુત્રી એક થઈને જવાબ આપશે તેવી ગર્જના પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – મલ્લિકાર્જુન ખડગેએ નમતું જોખ્યું, ગુજરાતીઓની માફી માંગતા કહ્યું- ‘મારો ઇરાદો ઠેસ પહોંચાડવાનો ન હતો’

Ahmedabad : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મણિનગરમાં લોન્ચ કરાયો 1360 મેટ્રિક ટનનો અત્યાર સુધીનો સૌથી ભારે ગર્ડર

ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી હવે પૂરજોશમાં અને અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે. આ કડીમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક એવી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે જેણે ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. મણિનગરમાં બુલેટ ટ્રેન માટે અત્યાર સુધીનો સૌથી વજનદાર અને વિશાળ બીમ (ગર્ડર) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે.

3 કલાક અને 30 મિનિટનું જટિલ ઓપરેશન

આ કોઈ સામાન્ય ગર્ડર નથી, પરંતુ તેનું વજન અધધ… 1360 મેટ્રિક ટન છે. આટલા વિશાળ ગર્ડરને સુરક્ષિત રીતે તેના સ્થાને ગોઠવવા માટે રેલવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એન્જિનિયરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર લોન્ચિંગ પ્રક્રિયામાં કુલ 3 કલાક અને 30 મિનિટનો સમય લાગ્યો હતો. પ્રોજેક્ટની જટિલતાને જોતા આ એક ખૂબ જ મહત્વપૂર્ણ માઈલસ્ટોન ગણવામાં આવી રહ્યો છે.

આવા વધુ 5 ગર્ડર લોન્ચ થશે

મણિનગર વિસ્તારમાં ટ્રેકના નિર્માણ માટે આવા કુલ 5 ગતિશીલ ગર્ડર લોન્ચ કરવામાં આવનાર છે, જેમાંથી આ પ્રથમ અને સૌથી પડકારજનક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સફળતા બાદ હવે અમદાવાદમાં બુલેટ ટ્રેનના ટ્રેક અને પ્લેટફોર્મની કામગીરીમાં વધુ ગતિ આવશે તેવી શક્યતા છે..

આ પણ વાંચો—    Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર