સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત, આ સમયે રહેશે બંધ, જુઓ Video

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત, આ સમયે રહેશે બંધ, જુઓ Video

સુરત પોલીસે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વાહનચાલકોની સલામતી અને સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરના ટ્રાફિક સિગ્નલો બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણય 15/04/2026 થી અમલમાં આવશે.

આ પગલાનો મુખ્ય હેતુ બપોરના સમયે પડતી અતિશય ગરમીથી વાહનચાલકોને રાહત પૂરી પાડવાનો છે. સિગ્નલો બંધ હોવા છતાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી (TRB) ના જવાનોને મુખ્ય જંક્શન્સ પર તૈનાત કરવામાં આવશે. આ જવાનો ટ્રાફિકનું નિયમન કરશે અને અકસ્માતો ન થાય તેની તકેદારી રાખશે.

વધુમાં, શહેરમાં મોટા જંક્શન્સ પર તડકાથી બચવા માટે ખાસ શેડ પણ લગાવવામાં આવ્યા છે. આ શેડ વાહનચાલકોને ગરમીથી રાહત આપશે. સુરત પોલીસ ફોર-વ્હીલ વાહનચાલકોને અપીલ કરી રહી છે કે તેઓ ટુ-વ્હીલર વાહનચાલકોને આ શેડ નીચે ઊભા રહેવા માટે જગ્યા કરી આપે, જેથી સૌ કોઈ ગરમીથી બચી શકે. આ પહેલ ગરમીની સિઝનમાં નાગરિકોને સુવિધા અને સુરક્ષા પૂરી પાડવા માટે કરાઈ છે.

સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video

શું ક્રિપ્ટોમાં ‘બુલ રન’ની શરૂઆત થઈ ગઈ? એક મહિના બાદ Bitcoin એ $75,000 ની સપાટી તોડી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂત કોની ‘ખેતી’ બગાડશે? ધોરાજીના ખેડૂતોએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર

Surendranagar : લીંબડી-અમદાવાદ હાઈવે પર કાળમુખા ડમ્પરે ટ્રેક્ટરને ફંગોળ્યું, 15થી વધુ મજૂરો લોહીલુહાણ, એકનો પગ કપાયો

લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જાખણ ગામ નજીક મજૂરો ભરેલા ટ્રેક્ટર અને પૂરપાટ ઝડપે આવતા ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 15થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

25થી વધુ મજૂરો સવાર હતા

પ્રાપ્ત વિગતો અનુસાર, એક સોલાર કંપનીમાં કામ કરતા આશરે 25થી વધુ મજૂરો ટ્રેક્ટરમાં સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન જાખણ પાસે ડમ્પરે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક મજૂરનો પગ ઘટનાસ્થળે જ કપાઈ ગયો હતો. રોડ પર ઈજાગ્રસ્તોની ચીસિયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

108ની ટીમ તત્કાળ પહોંચી

ઘટનાની જાણ થતા જ લીંબડી, શિયાણી અને પાણશીણાથી ત્રણથી વધુ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો—-     Local Body Elections 2026 : મંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર પ્રહાર, મહેસાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ વિખેરાઈ, વિપક્ષ પાસે ઉમેદવાર જ ન હોવાનો દાવો

ચાલબાઝ ચીનની વધુ એક ચાલાકી, અરૂણાચલ પ્રદેશને ગણાવ્યો ચીનનો જાંગનાન વિસ્તાર- વાંચો

ચાલબાઝ ચીનની વધુ એક ચાલાકી, અરૂણાચલ પ્રદેશને ગણાવ્યો ચીનનો જાંગનાન વિસ્તાર- વાંચો

ચીને ફરી એકવાર ભારતના અરૂણાચલ પ્રદેશ વિરુદ્ધ ઝેર ઓક્યુ છે. તેમણે કહ્યુ કે ચીન ભારતના અરૂણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા નથી આપી, તેમણે અરૂણાચલ પ્રદેશને જાંગનાન એટલે કે દક્ષિણી તિબ્બત ગણાવ્યો છે. ચીને 10 એપ્રિલે અરૂણાચલ પ્રદેશના 23 સ્થાનોના નવા નામ જાહેર કર્યા છે. આના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. હવે તેના જ જવાબમાં ચીનનું આ નિવેદન આવ્યુ છે. ચીન 2017 થી લઈને અત્યાર સુધીમાં અવારનવાર અરૂણાચલ પ્રદેશના વિસ્તારોના ચીની નામ જારી કરતુ રહ્યુ છે.

ઝંગનાન ના નામે ચીનની વિસ્તારવાદી નીતિનો પર્દાફાશ

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને મંગળવારે જણાવ્યુ કે જાંગનાન ચીનનો વિસ્તાર છે અને ચીને ભારત દ્વારા ખોટી રીતે સ્થાપિત કરવામાં આવેલ તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા નથી આપી. ગિઓ જિયાકુને દાવો કર્યો છે કે જાંગનાન ક્ષેત્રના કેટલાક સ્થાનોના નામોનું પ્રમાણીકરણ સંપૂર્ણપણે ચીનના સાર્વભૌમત્વના દાયરામાં આવે છે. રવિવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાના પ્રતિભાવ પર તેમની પ્રતિક્રિયા માગવામાં આવતા તેમણે આ ટિપ્પણી કરી હતી. જેમા બાદમાં ચીનના આ પગલાનો સખત વિરોધ કર્યો હતો અને તેને નકારી કાઢ્યો હતો.

જાંગનાન ના નામે ચીનનો વિસ્તારવાદી દાવો

ચીન લાંબા સમયથી અરુણાચલ પ્રદેશને જાંગનાન (દક્ષિણ તિબેટ) તરીકે ઓળખાવે છે. તાજેતરના નિવેદનમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુએ દાવો કર્યો હતો કે, જાંગનાન ચીનનો વિસ્તાર છે અને ચીને ભારત દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત કરવામાં આવેલા કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકાર્યો નથી. ચીનનું માનવું છે કે આ વિસ્તારોના નામોનું માનકીકરણ કરવું એ તેમની પોતાની સંપ્રભુતાનો વિષય છે. આ પ્રકારના નિવેદનો દ્વારા ચીન આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખોટો નેરેટિવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને ભારત હંમેશાથી ફગાવતું આવ્યું છે.

ભારતનો સ્પષ્ટ જવાબ “અરુણાચલ ભારતનું છે અને રહેશે”

ચીનની આ ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે ભારત સરકારે સખત વિરોધ પ્રગટ કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સ્પષ્ટ કર્યું છે કે ભારત ચીન દ્વારા કરવામાં આવતા આવા કોઈ પણ તોફાની, ઉશ્કેરણીજનક પ્રયાસોને સમર્થન આપતું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચીન ભલે ગમે તેટલા ખોટા દાવા કરે અથવા પાયાવિહોણા નેરેટિવ ઘડવાની કોશિશ કરે, પરંતુ તે સત્યને બદલી શકતું નથી. અરુણાચલ પ્રદેશ સહિતના આ વિસ્તારો અને સ્થળો પહેલા પણ ભારતનો હિસ્સો હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. ભારતની આ આકરી પ્રતિક્રિયા દર્શાવે છે કે દેશ પોતાની અખંડિતતા અને સાર્વભૌમત્વ બાબતે કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી.

  • ચીન દ્વારા નક્શા સાથે છેડછાડ 2017 થી લઈને 2026 સુધી યથાવત્
  • ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના સ્થળોના નામ બદલવાની આ પ્રવૃત્તિ નવી નથી. 2017 થી ચીન સમયાંતરે આવી યાદીઓ બહાર પાડે છે
  • મે 2025: 30 નવા નામોની યાદી જાહેર કરવામાં આવી હતી
  • એપ્રિલ 2023: ૧૧ સ્થળોના નામ બદલવાનો પ્રયાસ થયો હતો
  • 2021 અને 2017: આ વર્ષોમાં પણ ચીને ક્રમશઃ છ-છ નામોની યાદી બહાર પાડીને પોતાની મેલી મુરાદ સ્પષ્ટ કરી હતી
  • 10 એપ્રિલ 2026: તાજેતરમાં 23 નવા સ્થળોના નામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની નજીકના વ્યૂહાત્મક વિસ્તારોનો સમાવેશ થાય છે.

વ્યૂહાત્મક મહત્વ અને LAC પર વધતી ગતિવિધિ

ચીને જે 23 નવા નામોની યાદી જાહેર કરી છે, તેમાંના મોટાભાગના વિસ્તારો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની અત્યંત નજીક આવેલા છે. આ વિસ્તારો વ્યૂહાત્મક અને સૈન્યની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. ચીન આ વિસ્તારોના નામ બદલીને માત્ર કાગળ પર દાવો કરવા માંગતું નથી, પરંતુ તે આડકતરી રીતે સરહદ પર પોતાની પકડ મજબૂત હોવાનો દેખાવ કરવા માંગે છે. જોકે, ભારત પણ સરહદ પર પોતાની સુરક્ષા વ્યવસ્થા સતત મજબૂત કરી રહ્યું છે.

આ વિસ્તારોમાં નામ બદલવા પાછળનો ચીનનો હેતુ સૈન્ય ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો અને સરહદ પર રહેતા લોકોને ડરાવવાનો હોઈ શકે છે. ચીન આ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારી રહ્યું છે, જે ભારત માટે સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાનો વિષય છે.

ચીનની કથનીને કરણીમાં વિરોધાભાસ

એક તરફ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા એવું નિવેદન આપે છે કે ચીન ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ એવી આશા પણ વ્યક્ત કરે છે કે બંને પક્ષો એકબીજા તરફ ડગલાં માંડે અને સંબંધો માટે હિતકારક કાર્યો કરે, પરંતુ બીજી તરફ, તેઓ ભારતના સાર્વભૌમ ક્ષેત્ર પર દાવો કરીને અને કાલ્પનિક નામો આપીને સંબંધોમાં તણાવ ઉભો કરી રહ્યા છે. ચીનનું આ વર્તન જ તેની ચાલબાઝ નીતિનો પુરાવો આપે છે. જો કે ચીનની આ બદમાશી એ માત્ર નામો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે તેની વિસ્તારવાદી માનસિકતાનું પ્રતીક છે. ભારત ચીનના આવા કોઈ પણ પ્રયાસોને સખત રીતે નકારી રહ્યું છે અને વૈશ્વિક મંચ પર પણ પોતાનો અવાજ બુલંદ કરી રહ્યુ છે.

ચાલબાઝ ચીનના સમગ્ર એશિયામાં પોતાની પકડ જમાવવા અવનવા પેંતરા

ભૂતકાળની ગતિવિધિઓ અને પ્રાદેશિક વિસ્તરણ માત્ર અરુણાચલ પ્રદેશ જ નહીં, પરંતુ ચીન સમગ્ર એશિયામાં પોતાની પકડ જમાવવા માટે અવનવા પેતરા રચી રહ્યું છે.

 PoK અને વખાન કોરિડોર

ચીને ઉઇગુર મુસ્લિમોના વિસ્તારમાં નવી કાઉન્ટી બનાવી છે, જે પાકિસ્તાન હસ્તક ના કાશ્મીર (PoK) ની એકદમ નજીક છે. . આ ભારત માટે વ્યૂહાત્મક રીતે મોટી ચિંતા છે. ચીન ઈરાન કે અન્ય ખાડી દેશો સાથેના વિવાદમાં પાકિસ્તાનને મોહરા તરીકે વાપરે છે જેથી તે સીધા સંઘર્ષથી બચી શકે.

ભલે ચીન તેને જાંગનાન કહે કે ‘માનકીકરણ’ ના નામે જુઠ્ઠાણું ફેલાવે, પરંતુ જમીની હકીકત એ છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અતૂટ અંગ છે. આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે ચીન પોતાની આ નકારાત્મક નીતિ ચાલુ રાખે છે કે પછી શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે કોઈ નક્કર પગલાં લે છે.

બિઝનેસમેન ટ્રમ્પના મનમાં શું ચાલી રહ્યુ છે? અમેરિકાના આર્થિક હિતો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી વૈશ્વિક તેલ સંકટ ઉભુ કર્યુ?

Local Body Elections 2026 : વાવ-થરાદ નપામાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર બિનહરીફ

બનાસકાંઠા જિલ્લાની વાવ-થરાદ નગરપાલિકાની ચૂંટણીના જંગમાં મતદાન પહેલા જ મોટા સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 6 માં ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ ઠરતા ભાજપ માટે જીતનો રસ્તો સાફ થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કોંગ્રેસના ફોર્મમાં ટેકનિકલ ખામી

મળતી વિગતો અનુસાર, વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસ તરફથી સંતોકબેન મકવાણાએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલી ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં સંતોકબેન મકવાણાના ફોર્મમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. આ ટેકનિકલ ક્ષતિઓને કારણે ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

જશીબેન નાઈ બન્યા વિજેતા

કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા જ મેદાનમાં ભાજપના ઉમેદવાર જશીબેન નાઈ એકમાત્ર પ્રબળ ઉમેદવાર રહી ગયા હતા. અન્ય કોઈ હરીફ ન હોવાથી ચૂંટણી અધિકારીએ જશીબેન નાઈને બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે. ચૂંટણીના સત્તાવાર મતદાન પહેલા જ ભાજપે એક બેઠક પર કબજો જમાવી લેતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ફોર્મ રદ થતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.

 

આ પણ વાંચો—    Local Body Elections 2026 : મનસુખ વસાવા લાલઘૂમ, તકલીફ હોય તો કહી દેજો, મેન્ડેટ બદલી નાખીશું, ગેરહાજર ઉમેદવારોને સાંસદની આખરી ચેતવણી

આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!

આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!

0..2..4..6 અને 91! કેપ્ટન ઇશાન કિશનની ચોંકાવનારી બેટિંગ, રાજસ્થાનના બોલરોને બતાવ્યા તારા

Breaking News: અભિષેક શર્માએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, 9 વર્ષ અને 79 ઈનિંગ્સમાં પહેલીવાર આવું બન્યું

Local Body Elections 2026 : રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે ‘નો ઇન્ડિવિઝ્યુઅલ’ પ્રચાર, પેનલ તૂટવાના ડર વચ્ચે કડક સૂચના

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપ સંગઠને આંતરિક શિસ્ત અને એકતા જાળવવા માટે ઉમેદવારોને મહત્વની સૂચનાઓ આપી છે. ખાસ કરીને મતદાન સમયે ‘પેનલ’ તૂટવાની આશંકાઓને જોતા પક્ષ દ્વારા પ્રચાર પ્રસારની પદ્ધતિમાં ચુસ્તતા લાવવાનો નિર્ણય લેવાયો છે.

વ્યક્તિગત પ્રચાર પર પ્રતિબંધ

પક્ષના આદેશ મુજબ, વોર્ડના ચારેય ઉમેદવારોએ પ્રચાર માટે ફરજિયાતપણે સાથે જવાનું રહેશે. કોઈ પણ ઉમેદવાર વ્યક્તિગત રીતે કે પોતાની પેનલ તોડીને અલગથી પ્રચાર કરી શકશે નહીં. ભાજપનું માનવું છે કે જો ઉમેદવારો અલગ-અલગ પ્રચાર કરે તો મતદારોમાં ખોટો સંદેશ જાય છે અને તેનાથી પેનલ તૂટવાનું જોખમ વધી જાય છે. તમામ ચારેય ચહેરાઓ એકસાથે જનતા વચ્ચે જાય તેવું સંગઠન ઈચ્છી રહ્યું છે.

જ્ઞાતિગત સમીકરણો પર ભાર

બેઠક દરમિયાન જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને પણ ખાસ સૂચન કરવામાં આવ્યું છે. દરેક જ્ઞાતિના મતદારોને રિઝવવા માટે રણનીતિ ઘડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ઘણીવાર ઉમેદવારો પોતાના અંગત સંપર્કોને કારણે માત્ર પોતાના માટે જ મત માંગતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ વખતે આવી કોઈ ભૂલ ન થાય અને ભાજપની આખી પેનલ વિજેતા બને તે માટે હાઈકમાન્ડે અત્યારથી જ ઉમેદવારોને શિસ્તના પાઠ ભણાવ્યા છે.

આ પણ વાંચો—-    Local Body Elections 2026 : મનસુખ વસાવા લાલઘૂમ, તકલીફ હોય તો કહી દેજો, મેન્ડેટ બદલી નાખીશું, ગેરહાજર ઉમેદવારોને સાંસદની આખરી ચેતવણી

Botad : ટુ-ફોર વ્હીલર વાહનની સિલ્વર તથા ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે

બોટાદની વાહન વ્યવહાર કચેરી દ્વારા નોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33Tની સિલ્વર ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શનની પ્રક્રિયા 16 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ સિરીઝ માટે ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનચાલકો તેમના વાહનોનું parivahan.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે.

7 દિવસમાં સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે

વાહન ખરીદ્યાને 30 દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લિકેશન કરી ફી તથા ટેક્સ ભરપાઈ કરી આરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ટર બીડ ભરી ઈ-ઑક્શનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે તથા વાહન ખરીદ્યાના દિવસ-7 (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે અને તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લિકેશન parivahan.gov.in વેબસાઈટ પર નીચે મુજબની કાર્યવાહી રહેશે.

2 દિવસ સુધીમાં અરજી કરી શકાશે

આ સિરીઝના ગોલ્ડન, સિલ્વરના નંબર મેળવવા માટે તારીખ 16/04/2026થી 18/04/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ તા.18/04/2026થી તા. 20/04/2026ના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઓનલાઈન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, જે અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) કરવાનું રહેશે. જેમણે સીએનએ ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે. કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. ઉપર્યુક્ત હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે.

આ પણ વાંચો : Gujarat local election 2026: ચૂંટણી પહેલા બે સગા ભાઈ આમનેસામને, મંત્રી ઈશ્વરસિંહે કહ્યું- ‘વલ્લભદાસ હાંસોટનો રાજા હોય તેમ…’