Himatnagar: સાબરકાંઠા જિલ્લા પોલીસે સજા વોરંટમાં નાસતા ફરતા પાંચને ઝડપી લીધા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ-ડિવીઝન તથા ઈડર પોલીસ સ્ટેશનની હદમાંથી શુક્રવારે સ્થાનિક પોલીસે સજાના વોરંટમાં નાસતા ફરતા પાંચ જણાને ઝડપી લીધા હતા.

આ અંગેની વિગત એવી છે કે, એ-ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં સજાના વોરંટના ઈન્દ્રસિંહ અમરસિંહ પરમારને પોલીસે છાપરીયા ચાર રસ્તાથી ઝડપી લીધો હતો. તેજ પ્રમાણે ગાયત્રી મંદિર રોડ પર આવેલ વાઘેલા વાસમાં રહેતા મહેશ ભીખાભાઈ વાઘેલાને પણ સજાના વોરંટમાં એ-ડિવીઝન પોલીસે મહાવીરનગર સર્કલ નજીકથી શુક્રવારે પકડીને ઘટતી કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. આ ઉપરાંત ઈડર તાલુકાના બડોલી ગામના કાળાભાઈ બાલાભાઈ રાવળ, સુધાબેન વિનોદભાઈ રાવળ અને વિનોદ લલ્લુભાઈ રાવળ વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજર થતાં ન હતા જેથી કોર્ટે તેમને ઝડપી લેવા માટે સજા વોરંટ જારી કર્યું હતું જે આધારે ઈડર પોલીસે આ ત્રણેયને બડોલીમાં આવેલ તેમના ઘરેથી ઝડપી લીધા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment