ચૂંટણી પૂરી થતા જ એક્શનમાં સરકાર! 60 ઉચ્ચ અધિકારીઓની બદલી-બઢતીના આદેશો તાત્કાલિક જારી
Local Body Elections 2026: વાવ-થરાદના પૂર્વ સદસ્ય ભુરાજી ઠાકોરના મંત્રી સ્વરૂપજી પર આકરા પ્રહાર, મંત્રીએ પાર્ટીની ઘોર ખોદી, પરિણામ ભોગવવું પડશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે બનાસકાંઠા ભાજપમાં ભડકો થયો છે. વાવ-થરાદ પંથકના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભુરાજી ઠાકોરે રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી ખળભળાટ મચાવી દીધો છે. ભુરાજી ઠાકોરે ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે મંત્રીએ પક્ષમાં ‘વ્હાલા-દવાલા’ની નીતિ અપનાવી ભાજપની ઘોર ખોદી છે.
ટિકિટ ફાળવણીમાં અન્યાયનો આક્ષેપ
ભુરાજી ઠાકોરે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, મંત્રી સ્વરૂપજી ઠાકોરે ટિકિટ ફાળવણીમાં પાયાના કાર્યકરોની અવગણના કરી છે. અમારી માંગણી હોવા છતાં ઈરાદાપૂર્વક ટિકિટ ન આપી કોંગ્રેસમાંથી આવેલા નવા ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે મંત્રીની આ જોહુકમીનું ભયંકર પરિણામ ભાજપે ભોગવવું પડશે.
ખોટા વચનો અને વિકાસના કામોનો અભાવ
આક્ષેપોની યાદીમાં ભુરાજીએ વધુમાં ઉમેર્યું કે, પેટાચૂંટણી વખતે મુખ્યમંત્રીની હાજરીમાં સ્વરૂપજી ઠાકોરે 13 ગામોને નર્મદાના પાણી આપવાનું વચન આપ્યું હતું, જે હજુ સુધી પૂરું થયું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાના કામો ઠપ્પ છે. મંત્રી લોકોને રોડ પહોળો થશે તેવા ખોટા વાયદા આપી ઉલ્લુ બનાવી રહ્યા છે.
જાગૃત થવા અપીલ
ભુરાજી ઠાકોરે મતદારો અને કાર્યકરોને અપીલ કરી છે કે ખોટા વચનો આપી પક્ષમાં પેસી જનારા આવા નેતાઓને પાઠ ભણાવવો જરૂરી છે. ચૂંટણીના પરિણામો પહેલા જ ઉઠેલા આ બગાવતી સૂર ભાજપ માટે ચિંતાનો વિષય બન્યા છે.
આ પણ વાંચો—- Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી
Chhota Udepur News: પાવી જેતપુર પાસે ટ્રેલર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, MPના બે યુવકોના મોત
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર રોડ પર આવેલી વન કુટિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પાવાગઢ ખાતે માં કાલિકાના દર્શન કરીને પરત ફરી રહેલા મધ્ય પ્રદેશના બે યુવકોની બાઇકને એક પૂરઝડપે આવતા ટ્રેલરે અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
બે યુવકોએ ગુમાવ્યા જીવ
ઘટનાની મળતી વિગતો અનુસાર, મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના મંડાર ગામના બે યુવકો બાઇક પર પાવાગઢ દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરીને પરત ઘરે જતી વખતે પાવી જેતપુર પાસે કાળમુખા ટ્રેલરે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓને કારણે તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
મૃતકોની ઓળખ
અકસ્માતમાં જીવ ગુમાવનાર બંને યુવકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં શૈતાન મેહડા (રહે. મંડાર ગામ, જિ. અલીરાજપુર, MP) અને રાયમલ મેહડા (રહે. મંડાર ગામ, જિ. અલીરાજપુર, MP)નો સમાવેશ થાય છે.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પાવી જેતપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રેલર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાવાગઢ દર્શને ગયેલા યુવાનોના મોતના સમાચાર મળતા જ તેમના વતન મંડાર ગામમાં માતમ છવાઈ ગયો છે.
આ પણ વાંચો – Chhota Udepur: છોટાઉદેપુર નગરમાં ગમે ત્યારે પાણીની ટાંકી તૂટે તેવી ભીતિ
Gujarat Election 2026: ગુજરાત મનપા ચૂંટણી 2026 પત્રકારોનો પોલ, જાણો 15 શહેરોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે?
Gujarat Election 2026: ગુજરાત મનપા ચૂંટણી 2026 પત્રકારોનો પોલ, જાણો 15 શહેરોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે?
Rajkot News: જસદણમાં આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા 4 માસૂમ બાળકો ડૂબ્યા, પાળી પરથી મળી માત્ર સાયકલ અને કપડાં
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક અત્યંત કરૂણ સમાચાર સામે આવ્યા છે. જસદણથી આશરે 4 કિલોમીટર દૂર બાખલવડ પાસે આવેલા આલણ સાગર તળાવમાં નહાવા પડેલા ચાર કિશોરો ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે અને ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરી છે.
તળાવની પાળ પરથી મળ્યા કપડાં અને સાયકલ
ઘટનાની મળતી માહિતી અનુસાર, સામાન્ય પરિવારના ચાર બાળકો બપોરના સમયે તળાવે ન્હાવા માટે ગયા હતા. મોડી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન તળાવની પાળ પરથી બાળકોની સાયકલ અને કપડાં મળી આવ્યા હતા, જેના પરથી બાળકો પાણીમાં ડૂબ્યા હોવાની પ્રબળ આશંકા સાથે તંત્રને જાણ કરવામાં આવી હતી.
ગૂમ થયેલા બાળકોની વિગત
તળાવની જળરાશિમાં ગૂમ થયેલા ચારેય બાળકો એક જ જ્ઞાતિના અને મિત્રો હોવાનું જાણવા મળ્યું છે.
- રાજવીર સામતભાઈ રાઠોડ (ઉંમર: 15 વર્ષ)
- કિશન મનસુખભાઈ રાઠોડ (ઉંમર: 15 વર્ષ)
- રામુભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉંમર: 14 વર્ષ)
- કાળુભાઈ ભરતભાઈ રાઠોડ (ઉંમર: 10 વર્ષ)
યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન જાહેર
ઘટનાને પગલે જસદણ પોલીસ અને ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી ડેમના ઊંડા પાણીમાં બાળકોને શોધવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચાર-ચાર માસૂમ બાળકોના ડૂબવાની આશંકાએ સમગ્ર જસદણ પંથકમાં અને બાળકોના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો – Rajkot News: ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં લાગી આગ, ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે
શું ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ નક્કી? ટ્રમ્પે છેલ્લી ઘડીએ ડેલિગેશનને મોકલવાનું ટાળ્યું, જાણો હવે શું થશે?
શું ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ નક્કી? ટ્રમ્પે છેલ્લી ઘડીએ ડેલિગેશનને મોકલવાનું ટાળ્યું, જાણો હવે શું થશે?
Surat : અલથાણ છેડતી પ્રકરણમાં મોટો ધડાકો, સમગ્ર છેડતી પ્રકરણ જ AAPનું સ્ક્રીપ્ટેડ ષડયંત્ર હોવાનો ખુલાસો
સુરતમાં અલથાણ વિસ્તારમાં બનેલી છેડતીની ઘટનામાં એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં આ સમગ્ર પ્રકરણ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રચાયેલું એક સ્ક્રિપ્ટેડ કાવતરું હોવાનો ઘટસ્ફોટ થયો છે આ ક્લિપમાં ‘આપ’ના ઉમેદવાર જીવરાજ પટેલના માણસ અને અન્ય વ્યક્તિ વચ્ચે થયેલો સંવાદ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. રિકન્ટ્રક્શન દરમ્યાન પોલીસ અને ભાજપ વિરુદ્ધ નારા લાગવાનું આયોજન હતું. પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય ખાતે હોબાળો કરવાનું પણ આયોજન હોવાનો ઘટસ્ફોટ થયો છે.
“ક્રેડિટ હર્ષ સંઘવી ન લઈ જાય તે જોજો”
વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે કે, “પોલીસે પેલાની (આરોપીની) સર્વિસ કરી નાખી છે, પણ આપણે ઢીલા પડવાનું નથી. જો આપણે ઢીલા પડીશું તો બધી ક્રેડિટ હર્ષ સંઘવી લઈ જશે.” આ સંવાદ પરથી એવું પ્રતીત થાય છે કે પોલીસની ત્વરિત કામગીરીને જ્ઞાતિગત એંગલ આપીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ક્લિપમાં એવી પણ વાત છે કે, “અંદર છે એ માણસ આપણો છે, બધું ઠંડુ પડે એટલે છોડાવી લઈશું.” ઓડિયોમાં સંભળાય છે કે તરત જ પોલીસ સ્ટેશન, ભાજપ કાર્યાલય પર હોબાળો કરવાનો છે અને આખી વાત આપણી બાજુ વળી જશે, પાટીદારો ભાજપની કરી નાખશે
ભાજપ નેતાની ભવિષ્યવાણી સાચી પડી?
નોંધનીય છે કે, ભાજપના નેતા રાજુ કરપડાએ અગાઉ જ ભવિષ્યવાણી કરી હતી કે આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે છેલ્લી ઘડીએ કોઈ મોટું કાવતરું રચી શકે છે. મતો મેળવવા માટે ‘આપ’ ગુજરાતની શાંતિ ડહોળવાનું નીચ કૃત્ય કરી રહી છે. મુસ્લિમ તૃષ્ટિકરણ અને પાટીદારોને ભાજપ વિરુદ્ધ ઉશ્કેરવા માટે આ આખું ષડયંત્ર રચાયું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
આ પણ વાંચો— Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!
Tata Sierra ની બુકિંગ 1 લાખને પાર, હવે CNG મોડલ લોન્ચ કરવા જઈ રહી છે કંપની, જાણો ડિટેલ
Tata Sierra ની બુકિંગ 1 લાખને પાર, હવે CNG મોડલ લોન્ચ કરવા જઈ રહી છે કંપની, જાણો ડિટેલ
Gandhinagar : ધો. 10-12ના માર્કશીટમાં નામ-જન્મતારીખ સુધારવા માટે કેમ્પ યોજાશે, પરિણામ પહેલાં ભૂલ સુધારવાની છેલ્લી તક
ગાંધીનગર જિલ્લાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા વિદ્યાર્થીઓના ડેટામાં રહેલી ક્ષતિઓ સુધારવા અંગે શાળાના આચાર્યોને એક ખાસ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થાય તે પહેલાં વિદ્યાર્થીઓના નામ, અટક કે જન્મતારીખ જેવી વિગતોમાં કોઈ સુધારો હોય તો તે પૂર્ણ કરી લેવાની સુચના આપવામાં આવી છે.
પરિણામ પહેલાં જ સુધારાની પ્રક્રિયા
સામાન્ય રીતે માર્કશીટ આવી ગયા પછી સુધારા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે. આ મુશ્કેલી નિવારવા માટે ગાંધીનગર DEO એ પહેલ કરી છે. આચાર્યોને સુચના આપવામાં આવી છે કે, શાળા કક્ષાએ જ ખાસ કેમ્પ યોજીને વિદ્યાર્થીઓની વિગતો ચકાસી લેવી. જો કોઈ વિદ્યાર્થીના નામ, પિતાનું નામ, અટક કે જન્મતારીખમાં ભૂલ હોય, તો પરિણામ જાહેર થયા પહેલાં તેને સુધારી શકાય તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો અને અરજી
જે વિદ્યાર્થીઓએ સુધારો કરાવવો હોય તેમણે જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજો સાથે પોતાની શાળામાં અરજી કરવાની રહેશે. શાળાના આચાર્ય દ્વારા આ અરજીની ચકાસણી કરવામાં આવશે અને દસ્તાવેજો સાચા જણાયા બાદ જ અરજી સ્વીકારી આગળ મોકલવામાં આવશે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓની ફાઈનલ માર્કશીટમાં સાચી વિગતો છપાઈને આવશે, જેથી ભવિષ્યમાં એડમિશન કે પાસપોર્ટ જેવી પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે.
Rajkot News: ચૂંટણી પૂર્વે પોલીસનું સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, DCP ઝોન-1 દ્વારા રૂબરૂ નિરીક્ષણ
રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ એક્શન મોડમાં છે. ઝોન-1 ના ડીસીપી (DCP) દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં જાતે જઈને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં યોજાયેલા આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ મતદારોમાં સુરક્ષાનો ભાવ જગાડવાનો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત બનાવવાનો છે.
અસામાજિક તત્વો સામે લાલ આંખ
ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો સામે ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડીસીપી ઝોન-1 ની સૂચનાથી પોલીસ ટીમો દ્વારા સંવેદનશીલ ગણાતા પોકેટ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સોની ગતિવિધિઓ પર નજર રાખવાની સાથે તેમની અટકાયતી ધરપકડ કરવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે, જેથી મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની તૈયારી
રાજકોટ પોલીસ દ્વારા વિવિધ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થાનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ મથકો પર વધારાની પોલીસ કુમક અને જરૂર જણાયે પેરા-મિલિટરી ફોર્સની તૈનાતી અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ડર કે ભય વગર મતદાન કરે અને જો કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે.