Gujarat local election 2026: ચૂંટણી પહેલા બે સગા ભાઈ આમનેસામને, મંત્રી ઈશ્વરસિંહે કહ્યું- ‘વલ્લભદાસ હાંસોટનો રાજા હોય તેમ…’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા જ ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને હાંસોટ પંથકમાં ભાઈ-ભાઈ વચ્ચેનો રાજકીય જંગ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે તેમના સગા ભાઈ વલ્લભ પટેલ પર આકરા પ્રહારો કર્યા છે.

એક જ પરિવારના 5 સભ્યો મેદાનમાં

મંત્રી ઇશ્વરસિંહ પટેલે વલ્લભ પટેલની પરિવારવાદની નીતિ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, વલ્લભદાસ પોતે હાંસોટના રાજા હોય તેવું વર્તન કરી રહ્યા છે. તેમણે પત્ની, પુત્રી, પુત્ર અને પુત્રવધૂ સહિત પરિવારના કુલ 5 સભ્યો પાસે ફોર્મ ભરાવ્યા છે. ઇશ્વરસિંહ પટેલે કટાક્ષમાં કહ્યું કે, કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા એટલે તેમણે આખા પરિવારને ચૂંટણી મેદાનમાં ઉતારવો પડ્યો છે.

‘કામ કર્યું હોય તો બતાવે, હું રાજનીતિ છોડી દઈશ’

ઇશ્વરસિંહ પટેલે વલ્લભ પટેલને પડકાર ફેંકતા કહ્યું કે, જો વલ્લભદાસે હાંસોટમાં એક પણ નોંધપાત્ર કામ કર્યું હોય, તો તે બતાવે, જો તે સાબિત કરી દેશે તો હું રાજનીતિ છોડી દઈશ. વધુમાં તેમણે ઘટસ્ફોટ કર્યો હતો કે, વલ્લભ પટેલ ભાજપમાં આવવા માટે ખૂબ જ તલપાપડ હતા, પરંતુ તેમની સત્તાની લાલસાને કારણે તેઓ ભાજપમાં સામેલ થઈ શક્યા નથી. આ શાબ્દિક પ્રહારોને લીધે હાંસોટનું રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું એ રહે છે કે, વલ્લભ પટેલ પોતાના ભાઈ અને મંત્રીના આ આક્ષેપોનો શું જવાબ આપે છે.

આ પણ વાંચો –  Gujarat local election 2026: ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કુબેરનગરથી કર્યા શ્રીગણેશ

આભમાંથી વરસશે અગનગોળા! આગામી 48 કલાક ભારે, જાણો કયા વિસ્તારોમાં અપાયું ‘યલો એલર્ટ’ – જુઓ Video

આભમાંથી વરસશે અગનગોળા! આગામી 48 કલાક ભારે, જાણો કયા વિસ્તારોમાં અપાયું ‘યલો એલર્ટ’ – જુઓ Video

રાજ્યભરમાં હવે ગરમીનું જોર આક્રમક રીતે વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. ખાસ કરીને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થશે. આગામી 48 કલાક રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળશે, તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

ગરમીની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં હિટવેવની આશંકા વ્યક્ત કરી છે, જેના પગલે સાવચેતીના ભાગરૂપે આગામી બે દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બપોરના સમયે તાપમાનનો પારો ઊંચકાતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા વહીવટી તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના 6 જિલ્લામાં તાપમાનનો પારો પહેલાં જ 40 ડિગ્રી ઉપર પહોંચી ચુક્યો છે. રાજકોટ અને અમદાવાદમાં તાપમાનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એવામાં સૌથી વધુ સૌરાષ્ટ્ર, કચ્છમાં ઊંચા તાપમાન અને હિટવેવની આશંકાએ 2 દિવસ ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.

આ પણ વાંચો: કડીમાં ચૂંટણી પહેલા જ ભાજપની જીત ! 36માંથી 22 બેઠકો બિનહરીફ જાહેર

“ગોપાલ ઈટાલિયા ગુંડાઓ સાથે સ્ટેજ શેર કરે છે”: અલ્પેશ કથિરીયાનો ગોપાલ ઈટાલિયાને જવાબ

“ગોપાલ ઈટાલિયા ગુંડાઓ સાથે સ્ટેજ શેર કરે છે”: અલ્પેશ કથિરીયાનો ગોપાલ ઈટાલિયાને જવાબ

સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ, “AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસને ઉમેદવારો ઉછીના આપ્યા!”

સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ, “AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસને ઉમેદવારો ઉછીના આપ્યા!”

Kutch News: પ્રાગપર-રાપર રોડ પર કાર અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, દંપતીનું મોત

સરહદી જિલ્લા કચ્છના વાગડ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પ્રાગપર-રાપર રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા દંપતીનું કરુણ મોત નીપજ્યું છે.

કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર

મળતી વિગતો અનુસાર, પ્રાગપર-રાપર રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારના આગળના ભાગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં બાઈક સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વિસ્તારમાં શોકનું મોજું

વાગડ પંથકમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એકસાથે પતિ-પત્નીના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.

પોલીસ તપાસ શરૂ

અકસ્માત અંગેની જાણ થતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અકસ્માતનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો – Kutch: રાજસ્થાનના ઝવેરીને ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી શખ્સોએ ખેલ પાડ્યો

25 વર્ષની MLA એ અંબાણીના ઘરે ગાયા ભજન, આખો પરિવાર ઝૂમી ઉઠ્યો, જુઓ Video

25 વર્ષની MLA એ અંબાણીના ઘરે ગાયા ભજન, આખો પરિવાર ઝૂમી ઉઠ્યો, જુઓ Video

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે ખાસ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડના અનેક સ્ટાર્સ સહિત આખો અંબાણી પરિવાર હાજર રહ્યો હતો. જોકે, સૌનું ધ્યાન અંબાણી પરિવાર પર જ કેન્દ્રિત રહ્યું, કારણ કે તેઓ જમીન પર બેસીને ભગવાનની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. તેમના પરંપરાગત વેશભૂષાએ પણ સૌનું દિલ જીતી લીધું હતું.

આ ઉજવણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને ભજન સંધ્યાના દ્રશ્યોમાં બિહારની સૌથી નાની ધારાસભ્ય અને લોકગાયિકા મૈથિલી ઠાકુર દ્વારા ગવાયેલા ભજનોને સૌએ ખૂબ માણ્યા. તેમના મધુર અવાજે આખો માહોલ ભક્તિમય બનાવી દીધો હતો.

નીતા અંબાણીનો લુક આ પ્રસંગે ખાસ આકર્ષણ રહ્યો. તેમણે લાલ રંગની સિલ્ક સાડી પહેરી હતી, જેની બોર્ડર સોનેરી ઝરીથી સજાવેલી હતી. મેચિંગ બ્લાઉઝ સાથે તેમણે સાડીને ક્લાસિક રીતે ડ્રેપ કરી હતી. તેમની સાડી સાથેના હીરા, રૂબી અને નીલમના ઘરેણાંએ તેમના લુકને વધુ શાહી બનાવ્યો હતો. ગજરા સાથેનો બન અને કપાળ પરની નાની બિંદીએ તેમની પરંપરાગત સુંદરતા વધારી હતી.

રાધિકા મર્ચન્ટ પણ આ પ્રસંગે ખૂબ જ ગ્રેસફુલ લાગી રહી હતી. તેમણે ક્રીમ અને સોનાના કલરના ફ્યુઝન સ્ટાઈલ ગાઉન પહેર્યો હતો, જેમાં ભારતીય ટચ સ્પષ્ટ જોવા મળતો હતો. તેમણે મોતીના ઘરેણાં સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. જોકે, ભજન દરમિયાન તેમણે ઘરેણાં ઉતારીને સરળ લુક અપનાવ્યો, જે તેમની સાદગી દર્શાવે છે.

શ્લોકા મહેતા અને ઈશા અંબાણી બંને પણ આ પ્રસંગે સરળ અને સૌમ્ય અંદાજમાં નજરે પડ્યા. બંનેએ સૂટ પહેર્યા હતા અને ઓછામાં ઓછા ઘરેણાં સાથે પોતાના લુકને પૂર્ણ કર્યો હતો. શ્લોકાએ લીલો એમ્બ્રોઈડરીવાળો કુર્તો પહેર્યો હતો, જ્યારે ઈશાએ ફ્લોરલ પ્રિન્ટેડ કુર્તો પસંદ કર્યો હતો.

જન્મદિવસના કેન્દ્રમાં રહેલા અનંત અંબાણી વાદળી કુર્તા અને મેચિંગ હાફ જેકેટમાં નજરે પડ્યા હતા. તેમની સાથે મુકેશ અંબાણીએ પણ વાદળી કુર્તા અને સફેદ પાયજામા પહેરીને સિમ્પલ અને એલેગન્ટ લુક અપનાવ્યો હતો.

છેલ્લે, મૈથિલી ઠાકુરની વાત કરીએ તો, તેમણે સોનેરી ટીશ્યુ સાડી સાથે મરૂન બ્લાઉઝ પહેરીને ખૂબ જ સુંદર લુક રજૂ કર્યો હતો. ગોલ્ડન જ્વેલરી સાથે તેમણે પોતાનો પરંપરાગત અંદાજ પૂર્ણ કર્યો અને પોતાની ગાયકીથી આખા કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.

અંબાણી પરિવારે ગુજરાતને આપી સૌથી મોટી ભેટ, જામનગરમાં શરૂ થઈ ‘Vantara University’

Asha Bhosle Passed Away: 10 વર્ષની ઉંમરે પહેલું ગીત, 16 વર્ષની ઉંમરે લગ્ન: સરળ નહોતું આશા ભોસલેનું જીવન

Asha Bhosle Passed Away: 10 વર્ષની ઉંમરે પહેલું ગીત, 16 વર્ષની ઉંમરે લગ્ન: સરળ નહોતું આશા ભોસલેનું જીવન

અમદાવાદ: શાહપુર વોર્ડમાં કોંગ્રેસે રવિવારી બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા- જુઓ Video

અમદાવાદ: શાહપુર વોર્ડમાં કોંગ્રેસે રવિવારી બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા- જુઓ Video

એકતરફ કોંગ્રેસમાં જ્યાં અંદરખાને જ ટિકિટ માટે આંતરિક ખેંચતાણ જોવા મળી, ક્યાંક નારાજગી જોવા મળી તો વળી ક્યાંક ટિકિટ વેચીને ટિકિટની ફાળવણી કરાઈ હોવાની પક્ષના અંદરના લોકો દ્વારા આક્ષેપબાજી પણ જોવા મળી. ત્યારે આ તમામ આરોપ પ્રત્યારોપ વચ્ચે શાહપુર વોર્ડમાંથી સાવ જુદુ જ ચિત્ર ઉપસ્યુ છે. કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા ગીતાબેન દંતાણીને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે.

કોંગ્રેસમાંથી શાહપુર જેવા વોર્ડનું ચૂંટણી લડવા માટેનું મેન્ટેડ મળતા ગીતા બહેન અત્યંત ખુશખુશાલ અને ચૂંટણી લડવા માટે ઉત્સાહિતછે. મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની તક આપતા તેમણે કોંગ્રેસનો આભાર વ્યક્ત કરતા કહ્યુ, કોંગ્રેસ પાર્ટીએ અમારા જેવા સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યુ છે. ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના માર્ગદર્શન હેઠળ તેમનુ ફોર્મ ભરાઈ ગયુ છે.

કોંગ્રેસે સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યુંઃ આશા દંતાણી

ગીતાબેન છેલ્લા 25 વર્ષથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પતિ અશ્વિન દંતાણી 25 વર્ષથી કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે. ત્યારે ગીતાબેનનુ કહેવુ છે કે તેમણે ક્યારેય પાર્ટી પાસે ટિકિટની માગણી કરી નથી. પાર્ટીએ જાતે જ તેમની વફાદારીને જોઈને ટિકિટની આપી છે. સાથોસાથ જે ચૂંટણી લડવા માટે, પ્રચાર માટે જે પણ આવશ્યક મદદની જરૂર હશે તે કરવા માટેની બાંહેધરી પણ આપવામાં આવી છે.

 કોર્પોરેટર બની ગયા તો રમકડા વેચવાનું ચાલુ રાખશે?

શાહપુર વોર્ડમાંથી તેઓ ચૂંટણી જીતી જશે અને કોર્પોરેટર બની જશે તો રમકડાનો વેપાર ચાલુ રાખશે કે બંધ કરી દેશે એવા સવાલ પર ગીતાબેને જણાવ્યુ કે તેઓ રમકડા વેચવાનો તેમનો બિઝનેસ તો શરૂ જ રાખશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે ગમે તેટલી મોટી કેમ ન બની જઉ મારા જૂના દિવસો ભૂલી જઉ એ ન બની શકે.

ઉલ્લેખનિય છે કે ગીતાબેનની ટક્કર ભાજપના રિપીટ ઉમેદવાર રેખાબેન ચૌહાણની સામે થવાની છે. ભાજપે તેમને શાહપુરથી રિપીટ કર્યા છે ત્યારે જોવુ રહ્યુ કે શાહપુરની જનતા કોના પર પસંદગી ઉતારે છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

ગુજરાતના તમામ જિલ્લાઓના આવા જ રસપ્રદ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

કુદરતની અજીબ કરામત ! દરિયાના ઊંડાણમાં મળી આવ્યું ‘અઢળક સોનું’, વૈજ્ઞાનિકોને હાથ લાગ્યો કુદરતી ખજાનાનો ‘અખૂટ ભંડાર’

ગમે ત્યારે પલટાઈ શકે છે ‘ખેલ’ ! ભારતીય શેરબજારમાં આવશે તોફાની રિકવરી, મજબૂત સંકેતો વચ્ચે રોકાણકારો માટે ‘મોટા સમાચાર’

કોણ અસલી અને કોણ નકલી? ભરૂચ કોંગ્રેસમાં એક બેઠક પર સત્તાવાર ઉમેદવાર તરીકે બે દાવેદાર!!!

કોણ અસલી અને કોણ નકલી? ભરૂચ કોંગ્રેસમાં એક બેઠક પર સત્તાવાર ઉમેદવાર તરીકે બે દાવેદાર!!!

ભરૂચ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભરૂચ નગરપાલિકામાં ટિકિટ ફાળવણીને લઈને કોંગ્રેસમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર-2 માં કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. અહીં એક જ પક્ષના બે અલગ-અલગ ઉમેદવારોએ પોતાને સત્તાવાર ઉમેદવાર ગણાવી ફોર્મ ભરતા રાજકીય આલમમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

શું છે સમગ્ર વિવાદ?

વોર્ડ નંબર-2 માં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કુતુબુદ્દીન પટેલ અને સમસાદ અલી સૈયદ એમ બંને ઉમેદવારોએ કોંગ્રેસ પક્ષનું સત્તાવાર ‘મેન્ડેટ’ રજૂ કર્યું છે. નિયમ મુજબ પક્ષ એક બેઠક પર એક જ મેન્ડેટ આપે છે પરંતુ અહીં બે મેન્ડેટ સામે આવતા ચૂંટણી વિભાગ અને પક્ષના સંગઠનમાં ખળભળાટ મચી ગઈ છે.

શહેર પ્રમુખે વ્યક્ત કરી શંકા!!!

આ ગૂંચવણ અંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ ખુલીને પ્રતિક્રિયા આપી છે. તેમણે સમસાદ અલી સૈયદ દ્વારા રજૂ કરવામાં આવેલા મેન્ડેટ તરફ શંકા વ્યક્ત કરી છે. સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે, “આ મામલે પ્રદેશ કક્ષાએ તપાસ કરવામાં આવશે અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ જ સાચા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.”

સોશિયલ મીડિયા પર એકતરફ પુરાવા તો બીજી તરફ મૌન

વિવાદ વચ્ચે કુતુબુદ્દીન પટેલ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. તેમણે પોતાનું મેન્ડેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરી દીધું છે અને પોતે જ પક્ષના અધિકૃત ઉમેદવાર હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, સમસાદ અલી સૈયદ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે પોતાના પક્ષમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

આગામી વ્યૂહરચના

હવે સૌની નજર પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર છે. જો મેન્ડેટ ખોટું સાબિત થાય તો જે-તે ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે. ભરૂચ કોંગ્રેસમાં ચાલી રહેલો આ આંતરિક કલહ ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું.

એક જ વોર્ડમાં બે મેન્ડેટ રજૂ થવાને કારણે ભરૂચ કોંગ્રેસની સંગઠન શક્તિ અને આંતરિક શિસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે.જો તપાસમાં સાબિત થાય કે કોઈ એક મેન્ડેટ નકલી છે તો જે-તે ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે

સમર્થકોમાં મૂંઝવણ

વોર્ડ નંબર-2 ના કાર્યકરો અને મતદારોમાં ભારે મૂંઝવણ ફેલાઈ છે કે પક્ષના સાચા ઉમેદવાર કોણ છે અને પ્રચાર કોનો કરવો?