Amazon का AI Store लॉन्च, आसान भाषा में समझाएगा टेक, शॉपिंग होगी स्मार्ट!

Amazon ने भारत में AI Store लॉन्च किया है, जो AI-पावर्ड डिवाइसेस को खोजने और समझने के लिए एक नया प्लेटफॉर्म है। इसमें स्मार्टफोन, लैपटॉप, स्मार्ट टीवी और वियरेबल्स जैसे प्रोडक्ट्स शामिल हैं। कंपनी के मुताबिक, यह स्टोर यूजर्स को टेक्निकल जानकारी के बजाय AI फीचर्स के रियल लाइफ फायदे समझाने पर फोकस करता है। इसके अलावा Amazon ने Rufus AI असिस्टेंट, Lens सर्च और AR “view in your room” जैसे फीचर्स भी जोड़े हैं, जिससे शॉपिंग एक्सपीरियंस बेहतर होता है।

नहीं देखना चाहते YouTube Shorts? फीड को हमेशा के लिए करें बंद

YouTube ने Shorts फीड को कंट्रोल करने के लिए नया फीचर पेश किया है, जिसमें यूजर्स टाइमर को 0 मिनट पर सेट कर सकते हैं। इससे होमपेज पर Shorts दिखना लगभग बंद हो जाता है। पहले यह लिमिट 15 मिनट से 2 घंटे तक थी, लेकिन अब इसे और फ्लेक्सिबल बना दिया गया है। हालांकि Shorts पूरी तरह हटते नहीं हैं और कुछ सेक्शन में दिखाई दे सकते हैं। यह फीचर उन यूजर्स के लिए उपयोगी है, जो Shorts को कम देखना चाहते हैं और अपने फीड को क्लीन रखना चाहते हैं।

Red Magic 11s Pro जल्द होगा इंटरनेशनल मार्केट में लॉन्च, NBTC पर हुई लिस्टिंग

Red Magic 11s Pro की थाईलैंड में नेशनल ब्रॉडकास्टिंग एंड टेलीकम्युनिकेशंस कमीशन (NBTC) के डेटाबेस पर मॉडल नंबर – NX809J के साथ लिस्टिंग हुई है। यह मॉडल नंबर पहले Red Magic 11 Pro+ से जुड़ा था। आगामी स्मार्टफोन के स्पेसिफिकेशंस Red Magic 11 Pro+ के समान हो सकते हैं। हालांकि, कंपनी ने इस स्मार्टफोन की पुष्टि नहीं की है।

Breaking News: ક્વિન્ટન ડી કોકે IPLમાં ત્રીજી સદી ફટકારી, બનાવ્યો મોટો રેકોર્ડ

Breaking News: પાંચમી ઓવરના બીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે કરી મોટી ભૂલ, પંજાબ કિંગ્સને 108 રનનું ભારે નુકસાન

 

IPL 2026માં MI vs PBKS વચ્ચેની મેચમાં આ હતી પૈસા વસૂલ મોમેન્ટ, એક જમ્પ અને પલટી નાખી આખી ગેમ, જુઓ Video

IPL 2026માં MI vs PBKS વચ્ચેની મેચમાં આ હતી પૈસા વસૂલ મોમેન્ટ, એક જમ્પ અને પલટી નાખી આખી ગેમ, જુઓ Video

શ્રેયસ ઐયરે Shreyas Iyerએ રોહિત અને સૂર્યાની સામે જ એવો કમાલ કર્યો કે એક જ ક્ષણે આખી મેચનું મૂડ બદલાઈ ગયું. મુંબઈ ઇન્ડિયન્સ સામેની આ મેચમાં પંજાબ કિંગ્સે શરૂઆત સારી કરી હતી, પરંતુ ત્યારબાદ ટીમને વિકેટ લેવા માટે ભારે મહેનત કરવી પડી. ખાસ કરીને નબળી ફિલ્ડિંગને કારણે ઘણી તકો હાથમાંથી સરકી ગઈ, જેના કારણે વિરોધી ટીમને મજબૂત સ્કોર બનાવવા મદદ મળી.

મેચ દરમિયાન પંજાબની ફિલ્ડિંગ ખૂબ જ સામાન્ય રહી. શરૂઆતમાં જ એક સરળ કેચ છોડાયો હતો, ત્યારબાદ રન-આઉટની તકો પણ બગાડી દેવામાં આવી. આવી ભૂલોનો સીધો અસર ટીમના પ્રદર્શન પર પડ્યો અને મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનોને દબાણમાંથી બહાર આવવાની તક મળી.

પણ મેચના અંતિમ ઓવરોમાં, કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાની ટીમ માટે રમત ફેરવી નાખી. 18મી ઓવરમાં, જ્યારે Hardik Pandya બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે મોટા શોટ્સ મારવાનો પ્રયાસ કર્યો. એક બોલ પર તેણે છગ્ગો ફટકાર્યો, પરંતુ ત્યારબાદ તે જ શોટ ફરી રમવા ગયો અને ત્યાં જ ગેમ બદલાઈ ગઈ.

લોંગ-ઓન બાઉન્ડ્રી પર ઉભેલા ઐયરે અદભુત ટાઈમિંગ સાથે ઊંચો કૂદકો મારીને બોલ પકડ્યો. પરંતુ તરત જ તેને સમજાયું કે તે બાઉન્ડ્રી લાઇન પાર કરી જશે. એ સ્પ્લિટ સેકન્ડમાં તેણે અદ્ભુત સમજદારી બતાવી અને હવામાં જ બોલને પાછો મેદાનમાં ફેંકી દીધો. જ્યાં Xavier Bartlettએ સરળતાથી કેચ પૂર્ણ કર્યો. આ ક્ષણે માત્ર એક વિકેટ નહીં, પણ આખી મેચનું મોમેન્ટમ બદલાઈ ગયું.

આ દ્રશ્ય એટલું અચંબિત કરનારું હતું કે Rohit Sharma અને Suryakumar Yadav સહિત મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ પણ સ્તબ્ધ રહી ગયા. ખાસ વાત એ હતી કે આ કેચ મુંબઈના ડગઆઉટથી ખૂબ નજીક લેવામાં આવ્યો હતો, જેના કારણે બધાએ આ ક્ષણને લાઈવ જોઈ અને તરત જ પ્રતિક્રિયા આપી.

આ શાનદાર ફિલ્ડિંગના કારણે હાર્દિક માત્ર 14 રન પર આઉટ થયો અને મુંબઈ ઇન્ડિયન્સ, જે 200 પાર જતી દેખાતી હતી, તે 195 રન પર અટકી ગઈ. એક જ ફિલ્ડિંગ મોમેન્ટ કેવી રીતે મેચનું ચિત્ર બદલી શકે છે, તેનો આ એક પરફેક્ટ ઉદાહરણ બની ગયું.

પાંચમી ઓવરના બીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે કરી મોટી ભૂલ, પંજાબ કિંગ્સને 108 રનનું ભારે નુકસાન

Local Body Elections 2026 : પૂર્વ IPS મનોજ નીનામા સામે નોંધાયેલો છે હત્યાની કોશિશનો ગુનો, એફિડેવિટમાં થયા ચોંકાવનારા ખુલાસા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાની ઓડ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પૂર્વ IPS અધિકારી મનોજ નીનામા હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ચૂંટણી પંચમાં રજૂ કરેલી તેમની એફિડેવિટ (સોગંદનામા) માં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીની સામે હત્યાની કોશિશ (કલમ 307) જેવો ગંભીર ફોજદારી ગુનો નોંધાયેલો હોવાની વિગતો સામે આવી છે.

4.19 કરોડની સ્થાવર અને જંગમ મિલકત

મનોજ નીનામાની આર્થિક સ્થિતિની વાત કરીએ તો, તેઓ કરોડોની મિલકતના આસામી છે. સોગંદનામા મુજબ, તેમની પાસે કુલ રૂ. 4.19 કરોડની સ્થાવર અને જંગમ મિલકત છે. આ ઉપરાંત, તેમના અને પરિવારના નામે શેરબજાર અને બેંકિંગ ક્ષેત્રમાં કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે.

તેમના માથે રૂ. 1.24 કરોડનું દેવું

જોકે, આ સંપત્તિની સાથે તેમના માથે રૂ. 1.24 કરોડનું દેવું પણ બોલે છે. ગાંધીનગર અને પંચમહાલ જેવા વિસ્તારોમાં તેઓ કિંમતી જમીનો ધરાવે છે.

સુરક્ષા માટે 32 બોરની રિવોલ્વર પણ રાખે છે

પોલીસ બેડામાં વર્ષો સુધી સેવા આપનાર નીનામા પોતાની સુરક્ષા માટે 32 બોરની રિવોલ્વર પણ રાખે છે. એક તરફ પૂર્વ IPS અધિકારી તરીકેની તેમની ઓળખ અને બીજી તરફ તેમની સામે નોંધાયેલો ગંભીર ગુનો – આ બંને પાસાઓએ ઓડ બેઠક પરના રાજકીય સમીકરણોમાં ઉત્તેજના ભરી દીધી છે. અરવલ્લી જિલ્લા પંચાયતની આ બેઠક પર હવે મતદારો પૂર્વ અધિકારીના ભૂતકાળ અને મિલકતની વિગતોને કઈ રીતે લે છે, તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો—-    Local Body Elections 2026 : 7 વાગ્યાનું અપડેટ, ગુજરાતમાં 194 બેઠકો બિનહરીફ, 1832 ફોર્મ પરત ખેંચાતા રાજકીય ચિત્ર સ્પષ્ટ

Breaking News: સચિન તેંડુલકરના મિત્ર વિનોદ કાંબલીની તબિયત બગડી, પહેલા યાદશક્તિ નબળી પડી, હવે મોટો ખતરો

Breaking News: સચિન તેંડુલકરના મિત્ર વિનોદ કાંબલીની તબિયત બગડી, પહેલા યાદશક્તિ નબળી પડી, હવે મોટો ખતરો

વિનોદ કાંબલી લાંબા સમયથી આરોગ્યની સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. થોડા મહિના પહેલા તેના ક્રિકેટર મિત્રો અને રાજ્ય સરકારની મદદથી તેની સારવાર કરવામાં આવી હતી, જેના કારણે તેના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ તાજેતરમાં મળેલી માહિતી મુજબ તેની સ્થિતિ ફરી નબળી પડી રહી છે.

કાંબલીની યાદશક્તિમાં નોંધપાત્ર ઘટાડો

ખાસ કરીને તેની યાદશક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે દવાઓ લેવાનું પણ ઘણીવાર ભૂલી જાય છે, જે તેની સારવાર માટે મોટી અડચણ બની રહી છે. આ સ્થિતિને કારણે તેના સ્વાસ્થ્ય પર વધુ ગંભીર અસર પડી શકે છે.

કાંબલીને મગજના સ્ટ્રોકનો ખતરો

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાંબલીને મગજના સ્ટ્રોકનો ખતરો છે. મગજમાં લોહી ગંઠાવાની સમસ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. યોગ્ય આહાર અને દવાઓનું પાલન ન થવાને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

 

કાંબલીની મદદ માટે વોટ્સએપ ગ્રુપ

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ક્રિકેટર મિત્રો ફરી એકવાર મદદ માટે આગળ આવ્યા છે. તેની સારવાર માટે નાણાં એકત્રિત કરવા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સચિન તેંડુલકર સહિતના નજીકના મિત્રો જોડાયા હોવાના અહેવાલ છે.

ઘણી બાબતો ભૂલી જાય છે કાંબલી

કાંબલીના મિત્રોએ જણાવ્યું કે તેણે દારૂ પીવાનું બંધ કર્યું છે, પરંતુ તે ઘણી બાબતો ભૂલી જાય છે. ક્યારેક તે ભૂલી જાય છે કે તેને ધુમ્રપાન નથી કરવાનું અને રસ્તા પર લોકો પાસેથી સિગારેટ માંગતો જોવા મળે છે, જે તેની હાલતનું ગંભીરની નિશાની છે.

મગજ પર પડતી અસરથી સંતુલન બગડ્યું

હાલમાં કાંબલીની કિડની, હૃદય અને લીવર પર કોઈ ગંભીર અસર નથી, પરંતુ મગજ પર પડતી અસરને કારણે તેના શરીરનું સંતુલન બગડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં યોગ્ય સારવાર અને સતત દેખરેખ ખૂબ જરૂરી બની ગઈ છે. ચાહકો તેના સ્વાસ્થ્યમાં સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Breaking News: રિષભ પંત સાથે રોહિત શર્મા જેવી જ ઘટના બની, આઉટ થયા વિના જ મેદાન છોડવું પડ્યું

Banaskantha : ધાનેરાના કોટડા પાસે કાર અને પિકઅપ વચ્ચે ભયાનક અકસ્માત, 1નું મોત, 21 લોકો ઘાયલ

ધાનેરા તાલુકાના કોટડા નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં શટલ ઈકો કાર અને પિકઅપ ડાલા વચ્ચે જોરદાર અથડામણ થતાં 21થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને કારણે વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

18થી વધુ લોકોને ઘેટાં-બકરાંની જેમ બેસાડ્યા હતા

મળતી માહિતી મુજબ ઈકો ગાડીમાં સવાર લોકો ડીસાથી જેલોત્રા ગામ તરફ જઈ રહ્યા હતા. ગાડીમાં ક્ષમતા કરતાં ઘણાં વધુ લોકો ભરાયા હતા અને અંદાજે 18થી વધુ લોકોને ઘેટાં-બકરાંની જેમ ગોઠવીને મુસાફરી કરાવવામાં આવી રહી હતી, જેના કારણે અકસ્માત સમયે નુકસાન વધુ થયું હોવાનું માનવામાં આવે છે. અકસ્મતમાં ઈકો અને પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થતાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઘટના બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોમાંથી 12થી વધુ લોકોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે.

બેદરકારી આ અકસ્માતનું મુખ્ય કારણ

સ્થળ પર સરકારી એમ્બ્યુલન્સોની અછત જોવા મળતા બચાવ કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ હતી, જેના કારણે ખાનગી એમ્બ્યુલન્સોની મદદ લેવામાં આવી હતી. ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા જ મોટાભાગના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ ઓવરલોડિંગ અને બેદરકારી આ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ માર્ગ સુરક્ષા અને વાહન વ્યવહારના નિયમો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : Ahmedabad : ચાંદખેડાના બે બાળકીઓના મોત મામલે માતા-પિતા અને દાદા-દાદીની શરૂ કરાઇ ઉલટ તપાસ

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત, આ સમયે રહેશે બંધ, જુઓ Video

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત, આ સમયે રહેશે બંધ, જુઓ Video

સુરત પોલીસે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વાહનચાલકોની સલામતી અને સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરના ટ્રાફિક સિગ્નલો બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણય 15/04/2026 થી અમલમાં આવશે.

આ પગલાનો મુખ્ય હેતુ બપોરના સમયે પડતી અતિશય ગરમીથી વાહનચાલકોને રાહત પૂરી પાડવાનો છે. સિગ્નલો બંધ હોવા છતાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી (TRB) ના જવાનોને મુખ્ય જંક્શન્સ પર તૈનાત કરવામાં આવશે. આ જવાનો ટ્રાફિકનું નિયમન કરશે અને અકસ્માતો ન થાય તેની તકેદારી રાખશે.

વધુમાં, શહેરમાં મોટા જંક્શન્સ પર તડકાથી બચવા માટે ખાસ શેડ પણ લગાવવામાં આવ્યા છે. આ શેડ વાહનચાલકોને ગરમીથી રાહત આપશે. સુરત પોલીસ ફોર-વ્હીલ વાહનચાલકોને અપીલ કરી રહી છે કે તેઓ ટુ-વ્હીલર વાહનચાલકોને આ શેડ નીચે ઊભા રહેવા માટે જગ્યા કરી આપે, જેથી સૌ કોઈ ગરમીથી બચી શકે. આ પહેલ ગરમીની સિઝનમાં નાગરિકોને સુવિધા અને સુરક્ષા પૂરી પાડવા માટે કરાઈ છે.

સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video

શું ક્રિપ્ટોમાં ‘બુલ રન’ની શરૂઆત થઈ ગઈ? એક મહિના બાદ Bitcoin એ $75,000 ની સપાટી તોડી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂત કોની ‘ખેતી’ બગાડશે? ધોરાજીના ખેડૂતોએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર