“ગોપાલ ઈટાલિયા ગુંડાઓ સાથે સ્ટેજ શેર કરે છે”: અલ્પેશ કથિરીયાનો ગોપાલ ઈટાલિયાને જવાબ
Month: April 2026
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ, “AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસને ઉમેદવારો ઉછીના આપ્યા!”
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ, “AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસને ઉમેદવારો ઉછીના આપ્યા!”
Kutch News: પ્રાગપર-રાપર રોડ પર કાર અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, દંપતીનું મોત
સરહદી જિલ્લા કચ્છના વાગડ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પ્રાગપર-રાપર રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા દંપતીનું કરુણ મોત નીપજ્યું છે.
કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર
મળતી વિગતો અનુસાર, પ્રાગપર-રાપર રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારના આગળના ભાગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં બાઈક સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વિસ્તારમાં શોકનું મોજું
વાગડ પંથકમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એકસાથે પતિ-પત્નીના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.
પોલીસ તપાસ શરૂ
અકસ્માત અંગેની જાણ થતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અકસ્માતનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો – Kutch: રાજસ્થાનના ઝવેરીને ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી શખ્સોએ ખેલ પાડ્યો
25 વર્ષની MLA એ અંબાણીના ઘરે ગાયા ભજન, આખો પરિવાર ઝૂમી ઉઠ્યો, જુઓ Video

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે ખાસ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડના અનેક સ્ટાર્સ સહિત આખો અંબાણી પરિવાર હાજર રહ્યો હતો. જોકે, સૌનું ધ્યાન અંબાણી પરિવાર પર જ કેન્દ્રિત રહ્યું, કારણ કે તેઓ જમીન પર બેસીને ભગવાનની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. તેમના પરંપરાગત વેશભૂષાએ પણ સૌનું દિલ જીતી લીધું હતું.
આ ઉજવણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને ભજન સંધ્યાના દ્રશ્યોમાં બિહારની સૌથી નાની ધારાસભ્ય અને લોકગાયિકા મૈથિલી ઠાકુર દ્વારા ગવાયેલા ભજનોને સૌએ ખૂબ માણ્યા. તેમના મધુર અવાજે આખો માહોલ ભક્તિમય બનાવી દીધો હતો.
નીતા અંબાણીનો લુક આ પ્રસંગે ખાસ આકર્ષણ રહ્યો. તેમણે લાલ રંગની સિલ્ક સાડી પહેરી હતી, જેની બોર્ડર સોનેરી ઝરીથી સજાવેલી હતી. મેચિંગ બ્લાઉઝ સાથે તેમણે સાડીને ક્લાસિક રીતે ડ્રેપ કરી હતી. તેમની સાડી સાથેના હીરા, રૂબી અને નીલમના ઘરેણાંએ તેમના લુકને વધુ શાહી બનાવ્યો હતો. ગજરા સાથેનો બન અને કપાળ પરની નાની બિંદીએ તેમની પરંપરાગત સુંદરતા વધારી હતી.
રાધિકા મર્ચન્ટ પણ આ પ્રસંગે ખૂબ જ ગ્રેસફુલ લાગી રહી હતી. તેમણે ક્રીમ અને સોનાના કલરના ફ્યુઝન સ્ટાઈલ ગાઉન પહેર્યો હતો, જેમાં ભારતીય ટચ સ્પષ્ટ જોવા મળતો હતો. તેમણે મોતીના ઘરેણાં સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. જોકે, ભજન દરમિયાન તેમણે ઘરેણાં ઉતારીને સરળ લુક અપનાવ્યો, જે તેમની સાદગી દર્શાવે છે.
શ્લોકા મહેતા અને ઈશા અંબાણી બંને પણ આ પ્રસંગે સરળ અને સૌમ્ય અંદાજમાં નજરે પડ્યા. બંનેએ સૂટ પહેર્યા હતા અને ઓછામાં ઓછા ઘરેણાં સાથે પોતાના લુકને પૂર્ણ કર્યો હતો. શ્લોકાએ લીલો એમ્બ્રોઈડરીવાળો કુર્તો પહેર્યો હતો, જ્યારે ઈશાએ ફ્લોરલ પ્રિન્ટેડ કુર્તો પસંદ કર્યો હતો.
જન્મદિવસના કેન્દ્રમાં રહેલા અનંત અંબાણી વાદળી કુર્તા અને મેચિંગ હાફ જેકેટમાં નજરે પડ્યા હતા. તેમની સાથે મુકેશ અંબાણીએ પણ વાદળી કુર્તા અને સફેદ પાયજામા પહેરીને સિમ્પલ અને એલેગન્ટ લુક અપનાવ્યો હતો.
છેલ્લે, મૈથિલી ઠાકુરની વાત કરીએ તો, તેમણે સોનેરી ટીશ્યુ સાડી સાથે મરૂન બ્લાઉઝ પહેરીને ખૂબ જ સુંદર લુક રજૂ કર્યો હતો. ગોલ્ડન જ્વેલરી સાથે તેમણે પોતાનો પરંપરાગત અંદાજ પૂર્ણ કર્યો અને પોતાની ગાયકીથી આખા કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.
અંબાણી પરિવારે ગુજરાતને આપી સૌથી મોટી ભેટ, જામનગરમાં શરૂ થઈ ‘Vantara University’
Asha Bhosle Passed Away: 10 વર્ષની ઉંમરે પહેલું ગીત, 16 વર્ષની ઉંમરે લગ્ન: સરળ નહોતું આશા ભોસલેનું જીવન
Asha Bhosle Passed Away: 10 વર્ષની ઉંમરે પહેલું ગીત, 16 વર્ષની ઉંમરે લગ્ન: સરળ નહોતું આશા ભોસલેનું જીવન
અમદાવાદ: શાહપુર વોર્ડમાં કોંગ્રેસે રવિવારી બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા- જુઓ Video

એકતરફ કોંગ્રેસમાં જ્યાં અંદરખાને જ ટિકિટ માટે આંતરિક ખેંચતાણ જોવા મળી, ક્યાંક નારાજગી જોવા મળી તો વળી ક્યાંક ટિકિટ વેચીને ટિકિટની ફાળવણી કરાઈ હોવાની પક્ષના અંદરના લોકો દ્વારા આક્ષેપબાજી પણ જોવા મળી. ત્યારે આ તમામ આરોપ પ્રત્યારોપ વચ્ચે શાહપુર વોર્ડમાંથી સાવ જુદુ જ ચિત્ર ઉપસ્યુ છે. કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા ગીતાબેન દંતાણીને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે.
કોંગ્રેસમાંથી શાહપુર જેવા વોર્ડનું ચૂંટણી લડવા માટેનું મેન્ટેડ મળતા ગીતા બહેન અત્યંત ખુશખુશાલ અને ચૂંટણી લડવા માટે ઉત્સાહિતછે. મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની તક આપતા તેમણે કોંગ્રેસનો આભાર વ્યક્ત કરતા કહ્યુ, કોંગ્રેસ પાર્ટીએ અમારા જેવા સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યુ છે. ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના માર્ગદર્શન હેઠળ તેમનુ ફોર્મ ભરાઈ ગયુ છે.
કોંગ્રેસે સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યુંઃ આશા દંતાણી
ગીતાબેન છેલ્લા 25 વર્ષથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પતિ અશ્વિન દંતાણી 25 વર્ષથી કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે. ત્યારે ગીતાબેનનુ કહેવુ છે કે તેમણે ક્યારેય પાર્ટી પાસે ટિકિટની માગણી કરી નથી. પાર્ટીએ જાતે જ તેમની વફાદારીને જોઈને ટિકિટની આપી છે. સાથોસાથ જે ચૂંટણી લડવા માટે, પ્રચાર માટે જે પણ આવશ્યક મદદની જરૂર હશે તે કરવા માટેની બાંહેધરી પણ આપવામાં આવી છે.
કોર્પોરેટર બની ગયા તો રમકડા વેચવાનું ચાલુ રાખશે?
શાહપુર વોર્ડમાંથી તેઓ ચૂંટણી જીતી જશે અને કોર્પોરેટર બની જશે તો રમકડાનો વેપાર ચાલુ રાખશે કે બંધ કરી દેશે એવા સવાલ પર ગીતાબેને જણાવ્યુ કે તેઓ રમકડા વેચવાનો તેમનો બિઝનેસ તો શરૂ જ રાખશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે ગમે તેટલી મોટી કેમ ન બની જઉ મારા જૂના દિવસો ભૂલી જઉ એ ન બની શકે.
ઉલ્લેખનિય છે કે ગીતાબેનની ટક્કર ભાજપના રિપીટ ઉમેદવાર રેખાબેન ચૌહાણની સામે થવાની છે. ભાજપે તેમને શાહપુરથી રિપીટ કર્યા છે ત્યારે જોવુ રહ્યુ કે શાહપુરની જનતા કોના પર પસંદગી ઉતારે છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
ગુજરાતના તમામ જિલ્લાઓના આવા જ રસપ્રદ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
કુદરતની અજીબ કરામત ! દરિયાના ઊંડાણમાં મળી આવ્યું ‘અઢળક સોનું’, વૈજ્ઞાનિકોને હાથ લાગ્યો કુદરતી ખજાનાનો ‘અખૂટ ભંડાર’
વૈજ્ઞાનિકોને પ્રશાંત મહાસાગરના ઊંડા ભાગમાં સોના (Gold In Pacific Ocean) નો મોટો જથ્થો મળી આવ્યો છે. ન્યુઝીલેન્ડની ઉત્તરમાં આવેલા ‘કર્મેડેક આર્ક’ (Kermadec Arc) માં જ્વાળામુખી વિસ્તારોનો અભ્યાસ કરી રહેલા સંશોધકોને ‘વોલ્કેનિક ગ્લાસ’ (Volcanic Glass) ના નમૂનાઓમાં અપેક્ષા કરતા ક્યાંય વધુ સોનું મળ્યું છે. આ નમૂનાઓ તે પીગળેલા પદાર્થમાંથી આવ્યા છે, જે પૃથ્વીના અત્યંત ઊંડા ભાગમાંથી ઉપર સુધી પહોંચ્યા છે. આથી, આ શોધ પૃથ્વીની અંદર થતી પ્રક્રિયાઓને સમજવાની એક દુર્લભ તક આપે છે.
આ અભ્યાસથી એક સરળ પણ મહત્વની વાત સામે આવી છે કે, ‘સોનું’ જમીનની નીચે સ્થિર રહેતું નથી; તે સતત ગતિ કરતું રહે છે. પૃથ્વીના ઊંડા હિસ્સામાં સોનું સામાન્ય રીતે સલ્ફાઈડ મિનરલ્સની અંદર કેદ હોય છે. મોટાભાગના સમયે તે ત્યાં જ ફસાયેલું રહે છે પરંતુ જ્યાં પૃથ્વીની પ્લેટો એકબીજા સાથે અથડાય છે અને એક પ્લેટ બીજી પ્લેટની નીચે જાય છે, ત્યાં સ્થિતિ બદલાઈ જાય છે.
આવી જગ્યાઓએ તાપમાન અને દબાણ વધી જાય છે. ખડકો પીગળવા લાગે છે અને ખનિજો તૂટવા લાગે છે. આનાથી સોનું બહાર નીકળીને પીગળેલા ખડકોમાં ભળી જાય છે. આ પીગળેલા ખડકો ધીમે ધીમે ઉપર તરફ આવે છે. સમય જતાં જ્યારે આ પ્રક્રિયા વારંવાર થાય છે, ત્યારે કેટલીક ખાસ જગ્યાઓ (જ્વાળામુખી વિસ્તારોની આસપાસ) પર સોનાનું પ્રમાણ વધવા લાગે છે.
આ જ કારણે તેને ‘સોનાનું કારખાનું’ કહેવામાં આવ્યું છે. આ પ્રક્રિયા સોનું બનાવતી નથી પરંતુ કુદરતી ચક્રો દ્વારા તેને અહીં-તહીં ખસેડીને એકઠું કરતી રહે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ પ્રક્રિયા સતત થતી જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ ઘણા નમૂનાઓનું વિશ્લેષણ કર્યું અને દરેક વખતે સામાન્ય કરતા વધુ સોનું મળી આવ્યું. એવામાં કહી શકાય કે, આ કોઈ એકવાર બનેલી ઘટના નથી પરંતુ એક વિશાળ અને સતત ચાલતી પ્રક્રિયા છે.
હવે આનો અર્થ એ નથી કે, અહીં કોઈ ખજાનો સરળતાથી મળી જશે. આ તમામ પ્રવૃત્તિ સમુદ્રની નીચે અને ખૂબ ઊંડાઈએ થાય છે, જ્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ છે. ભલે સોનું એકઠું થઈ રહ્યું હોય પરંતુ તે જ્વાળામુખી પ્રણાલી અથવા સમુદ્રના તળની અંદર જ ફસાયેલું રહે છે. આ શોધ સોનું ક્યાંથી આવે છે, તે અંગેની સમજ બદલી નાખે છે. હવે તેને અસ્તવ્યસ્ત ફેલાયેલું માનવામાં આવતું નથી પરંતુ તે પૃથ્વીની પ્લેટોની ગતિ, પીગળેલા ખડકોની ગતિવિધિ અને લાખો વર્ષોમાં પૃથ્વીના ધીમે ધીમે બદલાતા ફેરફારોની પ્રક્રિયાનો એક હિસ્સો છે.
ગમે ત્યારે પલટાઈ શકે છે ‘ખેલ’ ! ભારતીય શેરબજારમાં આવશે તોફાની રિકવરી, મજબૂત સંકેતો વચ્ચે રોકાણકારો માટે ‘મોટા સમાચાર’
કોણ અસલી અને કોણ નકલી? ભરૂચ કોંગ્રેસમાં એક બેઠક પર સત્તાવાર ઉમેદવાર તરીકે બે દાવેદાર!!!

ભરૂચ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભરૂચ નગરપાલિકામાં ટિકિટ ફાળવણીને લઈને કોંગ્રેસમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર-2 માં કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. અહીં એક જ પક્ષના બે અલગ-અલગ ઉમેદવારોએ પોતાને સત્તાવાર ઉમેદવાર ગણાવી ફોર્મ ભરતા રાજકીય આલમમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
શું છે સમગ્ર વિવાદ?
વોર્ડ નંબર-2 માં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કુતુબુદ્દીન પટેલ અને સમસાદ અલી સૈયદ એમ બંને ઉમેદવારોએ કોંગ્રેસ પક્ષનું સત્તાવાર ‘મેન્ડેટ’ રજૂ કર્યું છે. નિયમ મુજબ પક્ષ એક બેઠક પર એક જ મેન્ડેટ આપે છે પરંતુ અહીં બે મેન્ડેટ સામે આવતા ચૂંટણી વિભાગ અને પક્ષના સંગઠનમાં ખળભળાટ મચી ગઈ છે.
શહેર પ્રમુખે વ્યક્ત કરી શંકા!!!
આ ગૂંચવણ અંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ ખુલીને પ્રતિક્રિયા આપી છે. તેમણે સમસાદ અલી સૈયદ દ્વારા રજૂ કરવામાં આવેલા મેન્ડેટ તરફ શંકા વ્યક્ત કરી છે. સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે, “આ મામલે પ્રદેશ કક્ષાએ તપાસ કરવામાં આવશે અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ જ સાચા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.”
સોશિયલ મીડિયા પર એકતરફ પુરાવા તો બીજી તરફ મૌન
વિવાદ વચ્ચે કુતુબુદ્દીન પટેલ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. તેમણે પોતાનું મેન્ડેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરી દીધું છે અને પોતે જ પક્ષના અધિકૃત ઉમેદવાર હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, સમસાદ અલી સૈયદ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે પોતાના પક્ષમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
આગામી વ્યૂહરચના
હવે સૌની નજર પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર છે. જો મેન્ડેટ ખોટું સાબિત થાય તો જે-તે ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે. ભરૂચ કોંગ્રેસમાં ચાલી રહેલો આ આંતરિક કલહ ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું.
એક જ વોર્ડમાં બે મેન્ડેટ રજૂ થવાને કારણે ભરૂચ કોંગ્રેસની સંગઠન શક્તિ અને આંતરિક શિસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે.જો તપાસમાં સાબિત થાય કે કોઈ એક મેન્ડેટ નકલી છે તો જે-તે ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે
સમર્થકોમાં મૂંઝવણ
વોર્ડ નંબર-2 ના કાર્યકરો અને મતદારોમાં ભારે મૂંઝવણ ફેલાઈ છે કે પક્ષના સાચા ઉમેદવાર કોણ છે અને પ્રચાર કોનો કરવો?
તમારી અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરશે Kia Carens Clavis EV? જાણો તેની રિયલ રેન્જ, ફીચર્સ અને ડ્રાઇવિંગ રિવ્યૂ
તમારી અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરશે Kia Carens Clavis EV? જાણો તેની રિયલ રેન્જ, ફીચર્સ અને ડ્રાઇવિંગ રિવ્યૂ
Asha Bhosle Death : આશા ભોંસલેએ 2-2 વાર કર્યા લગ્ન, સાસરિયાએ આપ્યો ત્રાસ તો છોડ્યુ પતિનું ઘર, દીકરીની આત્મહતા, પુત્રનું પણ મોત-સંઘર્ષથી ભરેલુ રહ્યું જીવન
પ્રખ્યાત બોલિવૂડ ગાયિકા આશા ભોંસલેનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. આશા ભોંસલે છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. આશા ભોંસલેએ તેમની કારકિર્દી દરમિયાન 12,000 થી વધુ ગીતો ગાયા હોવાથી, આશા ભોંસલે તેમના અંગત જીવનને લઈને પણ વારંવાર હેડલાઇન્સ બનાવી છે. તેમના બે વાર લગ્ન થયા હતા, અને તેમની પુત્રીએ આત્મહત્યા કરી હતી. અહીં, આપણે આશા ભોંસલેના અંગત જીવન, લગ્નથી લઈને તેમના બાળકો સાથેના સંબંધો વિશે જાણીશું. (ફોટો ક્રેડિટ-Google)
1933માં મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલા આશા ભોંસલે પ્રખ્યાત ગાયિકા દીનાનાથ મંગેશકરની પુત્રી હતી. જોકે, તેમના પિતાનું અવસાન ત્યારે થયું જ્યારે તેઓ માત્ર નવ વર્ષના હતી. પરિણામે, તેમણે તેમની મોટી બહેન લતા મંગેશકર સાથે મળીને તેમના પરિવારને ટેકો આપવાનું શરૂ કર્યું. બંને બહેનોએ ગાયનનો વ્યવસાય શરૂ કર્યો, તેમની કમાણીનો ઉપયોગ પરિવારના ગુજરાન માટે કર્યો.(ફોટો ક્રેડિટ-Google)
જ્યારે લગભગ દરેક વ્યક્તિ આશા ભોંસલેની શાનદાર કારકિર્દી અને સિદ્ધિઓથી પરિચિત છે, ત્યારે તેમના અંગત જીવન અને તેમણે સહન કરેલી મુશ્કેલીઓ વિશે બહુ ઓછું જાણીતું છે. આશા ભોંસલે 16 વર્ષની ઉંમરે ઘરેથી ભાગીને પોતાના પહેલા લગ્ન કર્યા હતા. તેમના પહેલા પતિ ગણપતરાવ ભોંસલે હતા, જે તેમના સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. આશા ભોંસલેના પરિવારે જેમાં તેમની બહેન લતા મંગેશકરનો પણ સમાવેશ થાય છે તેમણે આ લગ્નને મંજૂરી આપી ન હતી, કારણ કે તે સમયે તેમની ઉંમર ફક્ત 16 વર્ષની હતી, જ્યારે ગણપતરાવ 31 વર્ષના હતા. જોકે, આશા ભોંસલે અડગ રહ્યા; તેમણે ઘરેથી ભાગી જઈને ગણપતરાવ સાથે લગ્ન કર્યા. જોકે, આ લગ્ન માત્ર 11 વર્ષ પછી તૂટી ગયા.(ફોટો ક્રેડિટ-Google)
આશા ભોંસલે સાથે તેમના સાસરિયાઓ દ્વારા ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું. તેમનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને તેઓ ઘરેલુ હિંસાનો ભોગ બન્યા. તૂટવાના તબક્કે પહોંચીને, આશા ભોંસલે તેમના વૈવાહિક ઘર અને તેમના પતિને છોડીને, તેમના બાળકોને પોતાની સાથે લઈ તેમનું સાસરિયું છોડી દીધુ. તે સમયે, તેઓ ગર્ભવતી હતી. એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન આશા ભોંસલે જીવનથી ખૂબ જ હતાશ થઈ ગયા હતા. એક તરફ, ગણપતરાવ સાથેના લગ્નને કારણે તેમના પોતાના પરિવારે તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા; બીજી તરફ, તેમણે તેમના સાસરિયાઓ દ્વારા ભારે દુઃખનો સામનો કરવો પડ્યો હતો.(ફોટો ક્રેડિટ-Google)
નિરાશાથી ભરાઈને, આશા ભોંસલેએ પોતાનું જીવન સમાપ્ત કરવાનું પણ વિચાર્યું હતું. પતિથી અલગ થઈ ગયા પછી તેમના મામાના ઘરે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેમની અને તેમના પરિવાર વચ્ચેની તિરાડ ઓછી થવા લાગી હતી. ત્યારબાદ, આશા ભોંસલેએ તેમના બાળકોના ઉછેરની જવાબદારી સંપૂર્ણપણે પોતાના ખભા પર લીધી.(ફોટો ક્રેડિટ-Google)
આશા ભોંસલેને તેના પહેલા લગ્નથી ત્રણ બાળકો હતા: હેમંત, વર્ષા અને આનંદ. આશાના મોટા પુત્ર હેમંત એક સંગીતકાર હતા; જોકે, 2015 માં 66 વર્ષની ઉંમરે કેન્સરને કારણે તેમનું અવસાન થયું. તેમનો પુત્ર – આશા ભોંસલેનો પૌત્ર, ચૈતન્ય – એક ગાયક છે. આશાજીની પુત્રી, વર્ષા ભોંસલે, એક પત્રકાર હતી જેણે 2012 માં આત્મહત્યા કરી લીધી. વર્ષાના લગ્ન રમતગમત લેખક હેમંત કેંક્રે સાથે થયા હતા, પરંતુ થોડા વર્ષો પછી જ તેમના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી, વર્ષા તેની માતા, આશા ભોંસલે સાથે પાછી રહેવા લાગી હતી. પણ ડિપ્રેશનના કારણે તેણે એક દિવસ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી; તે સમયે આશા ભોંસલે 56 વર્ષના હતા. તેમનો સૌથી નાનો પુત્ર, આનંદ ભોંસલે, ફક્ત તેમની માતા આશા ભોંસલેની કારકિર્દી જ નહીં, પણ તેમના રેસ્ટોરન્ટ વ્યવસાયનું પણ સંચાલન કરે છે.(ફોટો ક્રેડિટ-Google)
આશા ભોંસલે ના પહેલા લગ્નના ભંગાણ પછી, આશા ભોંસલે લગભગ 20 વર્ષ સુધી એકલા રહ્યા અને 47 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા. તેમના બીજા લગ્ન પ્રખ્યાત સંગીતકાર આર.ડી. બર્મન સાથે થયા, જેમને બધા પ્રેમથી “પંચમ દા” તરીકે ઓળખે છે. તેઓ આશા ભોંસલે કરતા છ વર્ષ નાના હતા. આ ફક્ત આશા ભોંસલે માટે જ નહીં પરંતુ આર.ડી. બર્મન માટે પણ બીજા લગ્ન હતા. આર.ડી. બર્મન સાથેના લગ્ન પછી આશા ભોંસલે ખૂબ જ ખુશ હતા. સાથે મળીને, તેઓએ ફિલ્મો માટે અસંખ્ય ગીતો રચ્યા અને ગાયા; જોકે, આ ભાગીદારી ફક્ત 14 વર્ષ સુધી ટકી, કારણ કે આર.ડી. બર્મનનું અવસાન થઈ ગયુ અને આશા ભોંસલે ફરી એકલા થઈ ગયા હતા. (ફોટો ક્રેડિટ-Google)











