Gujarat Latest News Live : આજે રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળશે, તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત

San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત

Vadodara: ચાંદોદ ખાતે બૅંક ઑફ બરોડાના કથળેલા વહીવટથી ગ્રાહકોમાં રોષ

બેંક ઓફ્ બરોડા (BoB)ની ચાંદોદ શાખામાં આજરોજ બેંકના નિયત કરેલા સમયે કામકાજ શરૂ ન થતાં એટલું જ નહીં બેંક મેનેજર સહિતનો સમગ્ર સ્ટાફ્ પણ ટેબલ પર ન દેખાતા બેંકના ગ્રાહકોએ બેંકની વાસ્તવિકતાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં ફ્રતો કરતા ચાંદોદ પંથકમાં બેંક મેનેજર સહિતના સ્ટાફ્ની ફ્રજનિષ્ઠા અંગે ચર્ચા સાથે રોષ ફેલાયો હતો.

ત્યારબાદ બેંકમાં ચાલતી લાલિયાવાડી માટે જવાબદારો સામે હેડ ઓફ્સિ દ્વારા તપાસ સાથેની કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. આર્થિક લેવડ દેવડ સહિતના તમામ કામકાજો માટે બેંક એ દરેક ક્ષેત્રમાં મહત્વની મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવે છે. ત્યારે ચાંદોદની BOB બેંકમાં માત્ર પટાવાળા અને સફઈ કામદારની સમયસરની હાજરી સાથે બેંકમાં ઉપસ્થિતિ હોય છે. જ્યારે બેંક મેનેજર સહિતના સ્ટાફ્ને બેંકના કામકાજનો સમય યાદ ન હોય કે તેના નિયમને ઘોળીને પી જતા હોય તેમ બે પરવાહી સાથે બેંકમાં મોડી એન્ટ્રી થતી હોય છે. સાથે ટેકનિકલ સિસ્ટમ કાર્યરત થવામાં પણ ખાસ્સો સમય પસાર થઈ જતો હોયા છે. જેથી ગ્રાહકોને સમયસર બેન્કિંગ સેવાનો લાભ લઈ શકતા નથી તેવા આક્ષેપો થતા રહ્યા છે. ચાંદોદની બીઓબી બેંકમાં કામકાજના સમયે સેવા નહીં મળતા ગ્રાહકો બેંકની આવી નીતિથી રોષે ભરાયા છે. ત્યારે હેડ ઓફ્સિ દ્વારા તેની તટસ્થ તપાસ કરી ફ્રજ પ્રત્યે લાલિયાવાડી અને મનસ્વી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

8th Pay Commission News: 8મા પગાર પંચમાં બેસિક સેલેરીમાં DAને સામેલ કરવાની માંગ, પગારમાં થશે ફેરફાર

8th Pay Commission News: 8મા પગાર પંચમાં બેસિક સેલેરીમાં DAને સામેલ કરવાની માંગ, પગારમાં થશે ફેરફાર

‘તોફાન પહેલાની શાંતિ…’, ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો?

‘તોફાન પહેલાની શાંતિ…’, ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો?

Vadodara: ડભોઇમાં બદ્રીનારાયણ મંદિર ખાતે ભાગવત કથાનો પ્રારંભ

ડભોઇ વડોદરી ભાગોળ શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે અધિક માસ નિમિત્તે આયોજિત પુરુષોત્તમ-ભાગવત કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી. પરંતુ ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિક છે.હિંદુ ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે વિશેષ મહત્વ અપાયું છે.આ માસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત મનાય છે. વર્ષના અન્ય મહિનાઓ કરતાં અનેકગણું પુણ્યદાયી ગણાય છે. સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજના પાવન સાનિધ્યમાં યોજાતી આ કથા ભક્તોને ધર્મપ્રેમ અને સંસ્કૃતિ સાથે જોડવાનો ઉત્તમ પ્રયાસ છે. કથાના મુખ્ય યજમાન હરીશ પંચાલ અને કિરણબેન પંચાલ દ્વારા યોજાયેલી પોથીયાત્રા, પોથી પૂજન, ભગવાન પુરુષોત્તમની આરતી અને પૂજા-અર્ચનાએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Vadodara: ટુંડાવ ખાતે નવીન રોડ તોડીને ગટર લાઇન નાખતા કામગીરી અટકાવાઇ

સાવલી તાલુકાના ટુંડાવ ગામે રૂા.15 લાખના ખર્ચે બનેલ નવીન રોડને તોડીને ગટરની પાઇપલાઇન નાખતા વિફ્રેલા ગ્રામજનોએ વિવિધ આક્ષેપ સાથે કામગીરી અટકાવતા પંચાયતની કામગીરી સામે સવાલો ખડા કર્યા છે. ટુંડાવ ગામે બે વર્ષ પહેલાં બનેલા આશરે રૂા.15 લાખના રોડને તોડી ગટર લાઈન નાખવાના નિર્ણય સામે ભારે વિરોધ જાગ્યો છે. ટુંડાવ ગામમાં ગટર લાઈન નાખવાના કામને લઈને ગ્રામજનો અને ગ્રામ પંચાયત વચ્ચે વિવાદ સર્જાયો છે. ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગટર યોજનાનું કામ શરૂ કરાયું હતું. પરંતુ બે વર્ષ પહેલાં અંદાજે રૂા.15 લાખના ખર્ચે બનાવેલા રોડને જેસીબી વડે તોડીને પંચાયત દ્વારા બુધ્ધિનું પ્રદર્શન કરીને ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ થતાં ગ્રામજનોએ ભારે વિરોધ કરીને કામ રોકાવ્યું હતું. આ બાબતે એડવોકેટ અનિલ રાણાએ જણાવ્યું હતું કે, અમે વિકાસના કામના વિરોધી નથી.પૂર્વ સરપંચ દ્વારા થોડા સમય પહેલાં જ ગામમાં આ રોડનું નિર્માણ કરાયું હતું. રોડ હજુ પણ સારી સ્થિતિમાં છે. છતાં યોગ્ય આયોજન વિના રોડ તોડીને ગટરનું કામ શરૂ કર્યું છે. તેનો અમારો વિરોધ છે. રોડ તોડવા કરતા રોડની સાઇડમાં અથવા અન્ય વૈકલ્પિક રીતે ગટર લાઇન નાખી શકાય તેમ છે. ભાજપ સરકારમાં વિકાસના વિવિધ કામો આવે છે અને થવાના છે. તેમાં અમારો સાથ સહકાર છે જ અને આપીશું.પરંતુ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે નાણા આમતેમ વાપરી રહ્યાં છે.આ વિકાસ નથી વિનાશ છે તેવો આક્ષેપ કર્યો હતો. જ્યારે રોડ તોડી કામગીરી કરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. રોડનો એક ભાગ તોડાયા બાદ ગ્રામજનો સ્થળ પર દોડી આવીને તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું.ગ્રામજનોએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરવાની અને જવાબદાર અધિકારીઓ તથા સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ માટે ગ્રામજનોના વિરોધને પગલે ગટરનું કામ સ્થગિત કરાયું છે. હવે આ મુદ્દે સંબંધિત તંત્ર આ મામલે શું નિર્ણય લે છે. તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

17 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો પિતાની સાથે મિત્રની જેમ વાત કરશે અને કોણ એકાંતમાં સમય વિતાવશે?

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Patan: પાટણ જિલ્લા કલેકટરની બદલી થતાં વિદાય સમારોહ યોજી વિદાય અપાઈ

તાજેતરમાં જ રાજ્યમાં IAS અધિકારીઓની કરવામાં આવેલી બદલીઓ દરમિયાન પાટણ જિલ્લા કલેકટર તથા રાધનપુર મદદનીશ કલેકટરની પણ બદલી થવા પામી હતી. જેને લઈ બંને અધિકારીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદાય સમારોહનું આયોજન કરી વિદાય આપી હતી. આ પ્રસંગે બંને અધિકારીઓ દ્વારા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે વર્ષમાં ફરજ સંભાળનાર કલેકટર તુષાર ભટ્ટની તાજેતરમાં જ બદલી કરી દેવામાં આવી છે. તેમની સાથે સાથે મુળ રાજસ્થાનના અને 2022ની બેચના IAS રાધનપુર ખાતેના મદદનીશ કલેકટર રાજેશકુમાર મોર્યને પણ બઢતી સાથે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન તાપી ખાતે બદલી થતાં જિલ્લા કલેકટર કચેરી ખાતે બંને અધિકારીઓનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને અધિકારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયમાં કરેલી કામગીરીને બિરદાવી હતી. આ તબક્કે વિદાયમાન બંને અધિકારીઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Patan: પાટણમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસ અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. 3 નો વધારો કરવામાં આવતાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં શનિવારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં આવેલ સિદ્ધપુર ચોકડી પર ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ટ્રાફ્કિ જામ થઈ જતાં પોલીસ દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.

શનિવારે પાટણમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા રાજ્યમાં થયેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા બાદ સિદ્ધપુર ચોકડી પાસે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. જે દરમિયાન ટ્રાફ્કિ જામ થઈ જતાં પોલીસ દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી આગેવાનોએ? સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તાત્કાલિક અસરથી ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી. તદ્પરાંત સરકાર સામે આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની પ્રજાને ભોળવી ખોબલે ખોબલે મત લીધા બાદ ચુંટણી પુરી થતાં જ તોતિંગ ભાવ વધારો ઝીંકી દીધો છે. વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે ભાવ વધારો પરત નહીં ખેંચાય તો આગામી સમયમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વધુ ઉગ્ર આંદોલન કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો