Asha Bhosle Passed Away: 10 વર્ષની ઉંમરે પહેલું ગીત, 16 વર્ષની ઉંમરે લગ્ન: સરળ નહોતું આશા ભોસલેનું જીવન
સમાચાર
અમદાવાદ: શાહપુર વોર્ડમાં કોંગ્રેસે રવિવારી બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા- જુઓ Video

એકતરફ કોંગ્રેસમાં જ્યાં અંદરખાને જ ટિકિટ માટે આંતરિક ખેંચતાણ જોવા મળી, ક્યાંક નારાજગી જોવા મળી તો વળી ક્યાંક ટિકિટ વેચીને ટિકિટની ફાળવણી કરાઈ હોવાની પક્ષના અંદરના લોકો દ્વારા આક્ષેપબાજી પણ જોવા મળી. ત્યારે આ તમામ આરોપ પ્રત્યારોપ વચ્ચે શાહપુર વોર્ડમાંથી સાવ જુદુ જ ચિત્ર ઉપસ્યુ છે. કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા ગીતાબેન દંતાણીને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે.
કોંગ્રેસમાંથી શાહપુર જેવા વોર્ડનું ચૂંટણી લડવા માટેનું મેન્ટેડ મળતા ગીતા બહેન અત્યંત ખુશખુશાલ અને ચૂંટણી લડવા માટે ઉત્સાહિતછે. મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની તક આપતા તેમણે કોંગ્રેસનો આભાર વ્યક્ત કરતા કહ્યુ, કોંગ્રેસ પાર્ટીએ અમારા જેવા સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યુ છે. ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના માર્ગદર્શન હેઠળ તેમનુ ફોર્મ ભરાઈ ગયુ છે.
કોંગ્રેસે સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યુંઃ આશા દંતાણી
ગીતાબેન છેલ્લા 25 વર્ષથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પતિ અશ્વિન દંતાણી 25 વર્ષથી કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે. ત્યારે ગીતાબેનનુ કહેવુ છે કે તેમણે ક્યારેય પાર્ટી પાસે ટિકિટની માગણી કરી નથી. પાર્ટીએ જાતે જ તેમની વફાદારીને જોઈને ટિકિટની આપી છે. સાથોસાથ જે ચૂંટણી લડવા માટે, પ્રચાર માટે જે પણ આવશ્યક મદદની જરૂર હશે તે કરવા માટેની બાંહેધરી પણ આપવામાં આવી છે.
કોર્પોરેટર બની ગયા તો રમકડા વેચવાનું ચાલુ રાખશે?
શાહપુર વોર્ડમાંથી તેઓ ચૂંટણી જીતી જશે અને કોર્પોરેટર બની જશે તો રમકડાનો વેપાર ચાલુ રાખશે કે બંધ કરી દેશે એવા સવાલ પર ગીતાબેને જણાવ્યુ કે તેઓ રમકડા વેચવાનો તેમનો બિઝનેસ તો શરૂ જ રાખશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે ગમે તેટલી મોટી કેમ ન બની જઉ મારા જૂના દિવસો ભૂલી જઉ એ ન બની શકે.
ઉલ્લેખનિય છે કે ગીતાબેનની ટક્કર ભાજપના રિપીટ ઉમેદવાર રેખાબેન ચૌહાણની સામે થવાની છે. ભાજપે તેમને શાહપુરથી રિપીટ કર્યા છે ત્યારે જોવુ રહ્યુ કે શાહપુરની જનતા કોના પર પસંદગી ઉતારે છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
ગુજરાતના તમામ જિલ્લાઓના આવા જ રસપ્રદ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
કુદરતની અજીબ કરામત ! દરિયાના ઊંડાણમાં મળી આવ્યું ‘અઢળક સોનું’, વૈજ્ઞાનિકોને હાથ લાગ્યો કુદરતી ખજાનાનો ‘અખૂટ ભંડાર’
વૈજ્ઞાનિકોને પ્રશાંત મહાસાગરના ઊંડા ભાગમાં સોના (Gold In Pacific Ocean) નો મોટો જથ્થો મળી આવ્યો છે. ન્યુઝીલેન્ડની ઉત્તરમાં આવેલા ‘કર્મેડેક આર્ક’ (Kermadec Arc) માં જ્વાળામુખી વિસ્તારોનો અભ્યાસ કરી રહેલા સંશોધકોને ‘વોલ્કેનિક ગ્લાસ’ (Volcanic Glass) ના નમૂનાઓમાં અપેક્ષા કરતા ક્યાંય વધુ સોનું મળ્યું છે. આ નમૂનાઓ તે પીગળેલા પદાર્થમાંથી આવ્યા છે, જે પૃથ્વીના અત્યંત ઊંડા ભાગમાંથી ઉપર સુધી પહોંચ્યા છે. આથી, આ શોધ પૃથ્વીની અંદર થતી પ્રક્રિયાઓને સમજવાની એક દુર્લભ તક આપે છે.
આ અભ્યાસથી એક સરળ પણ મહત્વની વાત સામે આવી છે કે, ‘સોનું’ જમીનની નીચે સ્થિર રહેતું નથી; તે સતત ગતિ કરતું રહે છે. પૃથ્વીના ઊંડા હિસ્સામાં સોનું સામાન્ય રીતે સલ્ફાઈડ મિનરલ્સની અંદર કેદ હોય છે. મોટાભાગના સમયે તે ત્યાં જ ફસાયેલું રહે છે પરંતુ જ્યાં પૃથ્વીની પ્લેટો એકબીજા સાથે અથડાય છે અને એક પ્લેટ બીજી પ્લેટની નીચે જાય છે, ત્યાં સ્થિતિ બદલાઈ જાય છે.
આવી જગ્યાઓએ તાપમાન અને દબાણ વધી જાય છે. ખડકો પીગળવા લાગે છે અને ખનિજો તૂટવા લાગે છે. આનાથી સોનું બહાર નીકળીને પીગળેલા ખડકોમાં ભળી જાય છે. આ પીગળેલા ખડકો ધીમે ધીમે ઉપર તરફ આવે છે. સમય જતાં જ્યારે આ પ્રક્રિયા વારંવાર થાય છે, ત્યારે કેટલીક ખાસ જગ્યાઓ (જ્વાળામુખી વિસ્તારોની આસપાસ) પર સોનાનું પ્રમાણ વધવા લાગે છે.
આ જ કારણે તેને ‘સોનાનું કારખાનું’ કહેવામાં આવ્યું છે. આ પ્રક્રિયા સોનું બનાવતી નથી પરંતુ કુદરતી ચક્રો દ્વારા તેને અહીં-તહીં ખસેડીને એકઠું કરતી રહે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ પ્રક્રિયા સતત થતી જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ ઘણા નમૂનાઓનું વિશ્લેષણ કર્યું અને દરેક વખતે સામાન્ય કરતા વધુ સોનું મળી આવ્યું. એવામાં કહી શકાય કે, આ કોઈ એકવાર બનેલી ઘટના નથી પરંતુ એક વિશાળ અને સતત ચાલતી પ્રક્રિયા છે.
હવે આનો અર્થ એ નથી કે, અહીં કોઈ ખજાનો સરળતાથી મળી જશે. આ તમામ પ્રવૃત્તિ સમુદ્રની નીચે અને ખૂબ ઊંડાઈએ થાય છે, જ્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ છે. ભલે સોનું એકઠું થઈ રહ્યું હોય પરંતુ તે જ્વાળામુખી પ્રણાલી અથવા સમુદ્રના તળની અંદર જ ફસાયેલું રહે છે. આ શોધ સોનું ક્યાંથી આવે છે, તે અંગેની સમજ બદલી નાખે છે. હવે તેને અસ્તવ્યસ્ત ફેલાયેલું માનવામાં આવતું નથી પરંતુ તે પૃથ્વીની પ્લેટોની ગતિ, પીગળેલા ખડકોની ગતિવિધિ અને લાખો વર્ષોમાં પૃથ્વીના ધીમે ધીમે બદલાતા ફેરફારોની પ્રક્રિયાનો એક હિસ્સો છે.
ગમે ત્યારે પલટાઈ શકે છે ‘ખેલ’ ! ભારતીય શેરબજારમાં આવશે તોફાની રિકવરી, મજબૂત સંકેતો વચ્ચે રોકાણકારો માટે ‘મોટા સમાચાર’
કોણ અસલી અને કોણ નકલી? ભરૂચ કોંગ્રેસમાં એક બેઠક પર સત્તાવાર ઉમેદવાર તરીકે બે દાવેદાર!!!

ભરૂચ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભરૂચ નગરપાલિકામાં ટિકિટ ફાળવણીને લઈને કોંગ્રેસમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર-2 માં કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. અહીં એક જ પક્ષના બે અલગ-અલગ ઉમેદવારોએ પોતાને સત્તાવાર ઉમેદવાર ગણાવી ફોર્મ ભરતા રાજકીય આલમમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
શું છે સમગ્ર વિવાદ?
વોર્ડ નંબર-2 માં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કુતુબુદ્દીન પટેલ અને સમસાદ અલી સૈયદ એમ બંને ઉમેદવારોએ કોંગ્રેસ પક્ષનું સત્તાવાર ‘મેન્ડેટ’ રજૂ કર્યું છે. નિયમ મુજબ પક્ષ એક બેઠક પર એક જ મેન્ડેટ આપે છે પરંતુ અહીં બે મેન્ડેટ સામે આવતા ચૂંટણી વિભાગ અને પક્ષના સંગઠનમાં ખળભળાટ મચી ગઈ છે.
શહેર પ્રમુખે વ્યક્ત કરી શંકા!!!
આ ગૂંચવણ અંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ ખુલીને પ્રતિક્રિયા આપી છે. તેમણે સમસાદ અલી સૈયદ દ્વારા રજૂ કરવામાં આવેલા મેન્ડેટ તરફ શંકા વ્યક્ત કરી છે. સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે, “આ મામલે પ્રદેશ કક્ષાએ તપાસ કરવામાં આવશે અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ જ સાચા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.”
સોશિયલ મીડિયા પર એકતરફ પુરાવા તો બીજી તરફ મૌન
વિવાદ વચ્ચે કુતુબુદ્દીન પટેલ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. તેમણે પોતાનું મેન્ડેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરી દીધું છે અને પોતે જ પક્ષના અધિકૃત ઉમેદવાર હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, સમસાદ અલી સૈયદ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે પોતાના પક્ષમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
આગામી વ્યૂહરચના
હવે સૌની નજર પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર છે. જો મેન્ડેટ ખોટું સાબિત થાય તો જે-તે ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે. ભરૂચ કોંગ્રેસમાં ચાલી રહેલો આ આંતરિક કલહ ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું.
એક જ વોર્ડમાં બે મેન્ડેટ રજૂ થવાને કારણે ભરૂચ કોંગ્રેસની સંગઠન શક્તિ અને આંતરિક શિસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે.જો તપાસમાં સાબિત થાય કે કોઈ એક મેન્ડેટ નકલી છે તો જે-તે ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે
સમર્થકોમાં મૂંઝવણ
વોર્ડ નંબર-2 ના કાર્યકરો અને મતદારોમાં ભારે મૂંઝવણ ફેલાઈ છે કે પક્ષના સાચા ઉમેદવાર કોણ છે અને પ્રચાર કોનો કરવો?
તમારી અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરશે Kia Carens Clavis EV? જાણો તેની રિયલ રેન્જ, ફીચર્સ અને ડ્રાઇવિંગ રિવ્યૂ
તમારી અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરશે Kia Carens Clavis EV? જાણો તેની રિયલ રેન્જ, ફીચર્સ અને ડ્રાઇવિંગ રિવ્યૂ
Asha Bhosle Death : આશા ભોંસલેએ 2-2 વાર કર્યા લગ્ન, સાસરિયાએ આપ્યો ત્રાસ તો છોડ્યુ પતિનું ઘર, દીકરીની આત્મહતા, પુત્રનું પણ મોત-સંઘર્ષથી ભરેલુ રહ્યું જીવન
પ્રખ્યાત બોલિવૂડ ગાયિકા આશા ભોંસલેનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. આશા ભોંસલે છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. આશા ભોંસલેએ તેમની કારકિર્દી દરમિયાન 12,000 થી વધુ ગીતો ગાયા હોવાથી, આશા ભોંસલે તેમના અંગત જીવનને લઈને પણ વારંવાર હેડલાઇન્સ બનાવી છે. તેમના બે વાર લગ્ન થયા હતા, અને તેમની પુત્રીએ આત્મહત્યા કરી હતી. અહીં, આપણે આશા ભોંસલેના અંગત જીવન, લગ્નથી લઈને તેમના બાળકો સાથેના સંબંધો વિશે જાણીશું. (ફોટો ક્રેડિટ-Google)
1933માં મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલા આશા ભોંસલે પ્રખ્યાત ગાયિકા દીનાનાથ મંગેશકરની પુત્રી હતી. જોકે, તેમના પિતાનું અવસાન ત્યારે થયું જ્યારે તેઓ માત્ર નવ વર્ષના હતી. પરિણામે, તેમણે તેમની મોટી બહેન લતા મંગેશકર સાથે મળીને તેમના પરિવારને ટેકો આપવાનું શરૂ કર્યું. બંને બહેનોએ ગાયનનો વ્યવસાય શરૂ કર્યો, તેમની કમાણીનો ઉપયોગ પરિવારના ગુજરાન માટે કર્યો.(ફોટો ક્રેડિટ-Google)
જ્યારે લગભગ દરેક વ્યક્તિ આશા ભોંસલેની શાનદાર કારકિર્દી અને સિદ્ધિઓથી પરિચિત છે, ત્યારે તેમના અંગત જીવન અને તેમણે સહન કરેલી મુશ્કેલીઓ વિશે બહુ ઓછું જાણીતું છે. આશા ભોંસલે 16 વર્ષની ઉંમરે ઘરેથી ભાગીને પોતાના પહેલા લગ્ન કર્યા હતા. તેમના પહેલા પતિ ગણપતરાવ ભોંસલે હતા, જે તેમના સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. આશા ભોંસલેના પરિવારે જેમાં તેમની બહેન લતા મંગેશકરનો પણ સમાવેશ થાય છે તેમણે આ લગ્નને મંજૂરી આપી ન હતી, કારણ કે તે સમયે તેમની ઉંમર ફક્ત 16 વર્ષની હતી, જ્યારે ગણપતરાવ 31 વર્ષના હતા. જોકે, આશા ભોંસલે અડગ રહ્યા; તેમણે ઘરેથી ભાગી જઈને ગણપતરાવ સાથે લગ્ન કર્યા. જોકે, આ લગ્ન માત્ર 11 વર્ષ પછી તૂટી ગયા.(ફોટો ક્રેડિટ-Google)
આશા ભોંસલે સાથે તેમના સાસરિયાઓ દ્વારા ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું. તેમનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને તેઓ ઘરેલુ હિંસાનો ભોગ બન્યા. તૂટવાના તબક્કે પહોંચીને, આશા ભોંસલે તેમના વૈવાહિક ઘર અને તેમના પતિને છોડીને, તેમના બાળકોને પોતાની સાથે લઈ તેમનું સાસરિયું છોડી દીધુ. તે સમયે, તેઓ ગર્ભવતી હતી. એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન આશા ભોંસલે જીવનથી ખૂબ જ હતાશ થઈ ગયા હતા. એક તરફ, ગણપતરાવ સાથેના લગ્નને કારણે તેમના પોતાના પરિવારે તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા; બીજી તરફ, તેમણે તેમના સાસરિયાઓ દ્વારા ભારે દુઃખનો સામનો કરવો પડ્યો હતો.(ફોટો ક્રેડિટ-Google)
નિરાશાથી ભરાઈને, આશા ભોંસલેએ પોતાનું જીવન સમાપ્ત કરવાનું પણ વિચાર્યું હતું. પતિથી અલગ થઈ ગયા પછી તેમના મામાના ઘરે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેમની અને તેમના પરિવાર વચ્ચેની તિરાડ ઓછી થવા લાગી હતી. ત્યારબાદ, આશા ભોંસલેએ તેમના બાળકોના ઉછેરની જવાબદારી સંપૂર્ણપણે પોતાના ખભા પર લીધી.(ફોટો ક્રેડિટ-Google)
આશા ભોંસલેને તેના પહેલા લગ્નથી ત્રણ બાળકો હતા: હેમંત, વર્ષા અને આનંદ. આશાના મોટા પુત્ર હેમંત એક સંગીતકાર હતા; જોકે, 2015 માં 66 વર્ષની ઉંમરે કેન્સરને કારણે તેમનું અવસાન થયું. તેમનો પુત્ર – આશા ભોંસલેનો પૌત્ર, ચૈતન્ય – એક ગાયક છે. આશાજીની પુત્રી, વર્ષા ભોંસલે, એક પત્રકાર હતી જેણે 2012 માં આત્મહત્યા કરી લીધી. વર્ષાના લગ્ન રમતગમત લેખક હેમંત કેંક્રે સાથે થયા હતા, પરંતુ થોડા વર્ષો પછી જ તેમના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી, વર્ષા તેની માતા, આશા ભોંસલે સાથે પાછી રહેવા લાગી હતી. પણ ડિપ્રેશનના કારણે તેણે એક દિવસ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી; તે સમયે આશા ભોંસલે 56 વર્ષના હતા. તેમનો સૌથી નાનો પુત્ર, આનંદ ભોંસલે, ફક્ત તેમની માતા આશા ભોંસલેની કારકિર્દી જ નહીં, પણ તેમના રેસ્ટોરન્ટ વ્યવસાયનું પણ સંચાલન કરે છે.(ફોટો ક્રેડિટ-Google)
આશા ભોંસલે ના પહેલા લગ્નના ભંગાણ પછી, આશા ભોંસલે લગભગ 20 વર્ષ સુધી એકલા રહ્યા અને 47 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા. તેમના બીજા લગ્ન પ્રખ્યાત સંગીતકાર આર.ડી. બર્મન સાથે થયા, જેમને બધા પ્રેમથી “પંચમ દા” તરીકે ઓળખે છે. તેઓ આશા ભોંસલે કરતા છ વર્ષ નાના હતા. આ ફક્ત આશા ભોંસલે માટે જ નહીં પરંતુ આર.ડી. બર્મન માટે પણ બીજા લગ્ન હતા. આર.ડી. બર્મન સાથેના લગ્ન પછી આશા ભોંસલે ખૂબ જ ખુશ હતા. સાથે મળીને, તેઓએ ફિલ્મો માટે અસંખ્ય ગીતો રચ્યા અને ગાયા; જોકે, આ ભાગીદારી ફક્ત 14 વર્ષ સુધી ટકી, કારણ કે આર.ડી. બર્મનનું અવસાન થઈ ગયુ અને આશા ભોંસલે ફરી એકલા થઈ ગયા હતા. (ફોટો ક્રેડિટ-Google)
Breaking News: 92 વર્ષની વયે દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું નિધન, દેશભરમાં શોકની લહેર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
Breaking news: અમદાવાદમાં ભાજપાનો ‘જન સંકલ્પ’ મહાઅભિયાન, 192 ઉમેદવારો સાથે પ્રચારનો ધમાકેદાર પ્રારંભ, જુઓ Video

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ભવ્ય ‘જન સંકલ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કાંકરિયા ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્ટેચ્યુ પાસે યોજાશે. જ્યાં અમદાવાદના તમામ 192 ઉમેદવારો એકસાથે જન સેવાનો સંકલ્પ લેશે અને પોતાના પ્રચાર અભિયાનનો શ્રી ગણેશ કરશે.
15 મહાનગરપાલિકાઓમાં એકસાથે આ કાર્યક્રમ યોજાશે
આ ‘જન સંકલ્પ’ કાર્યક્રમ માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં એકસાથે આ કાર્યક્રમ યોજાશે. ભાજપે આ અભિયાનને વ્યાપક બનાવવા માટે રાજ્યભરના સિનિયર આગેવાનોને અલગ-અલગ શહેરોમાં જવાબદારી સોંપી છે.
મહામંત્રી રત્નાકરજી વડોદરાના કાર્યક્રમમાં જોડાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના કર્ણાવતી મહાનગરમાં ઉપસ્થિત રહીને ઉમેદવારોને માર્ગદર્શન આપશે અને સંકલ્પ લેવડાવશે. બીજી તરફ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ ખાતે હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી વડોદરાના કાર્યક્રમમાં જોડાશે.
ભાજપના આ આયોજનનો મુખ્ય હેતુ ઉમેદવારોને એક સાથે લાવીને પ્રજાસેવા માટે પ્રતિબદ્ધ બનાવવાનો છે. એક સાથે, એક સમયે સમગ્ર રાજ્યમાં યોજાતા આ કાર્યક્રમથી ચૂંટણી પ્રચારને મજબૂત ગતિ મળશે અને સંગઠનની શક્તિનું પ્રદર્શન પણ થશે.
કડીમાં ચૂંટણી પહેલા જ ભાજપની જીત ! 36માંથી 22 બેઠકો બિનહરીફ જાહેર
Asha Bhosle Passes Away : આશા ભોંસલેના આ ગુજરાતી ગીતો આજે પણ એવરગ્રીન છે
ભારત દેશના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ એટેક આવતા શનિવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે ચાર વાગ્યે થશે. તેમણે માત્ર હિન્દી જ નહીં પણ ભારત દેશની અનેક ભાષાઓમાં ગીતો ગાયા હતાં.
છેલા જી રે પાટણથી પટોળા મોંઘા લાવજો
ગુજરાતી ફિલ્મોની વાત કરવામાં આવે તો આશા ભોંસલેએ અવિનાશ વ્યાસના સંગીત નિદર્શન હેઠળ અનેક સુપરહિટ ગીતો ગાયા છે. જે આજે Gen Zના સમયમાં પણ લોકપ્રિય છે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં 450 કરતાં વધુ ગીતો ગાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. તેમણે ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે મળીને સોના વાટકડી રે, ઊંચી તલાવડીની કોર, માડી તારુ કંકુ ખર્યું ને, છાનુ રે છાપનું થાય નહીં, છેલા જી રે પાટણથી પટોળા મોંઘા લાવજો, ખમ્મા મારા નંદજીના લાલ, દૂધે તે ભરી તલાવડીને, મારા રામ તમે સીતાજીને તોલે, જેવા ગીતો ગાયા છે. આ તમામ ગીતો આજના યુગમાં પણ એટલા જ સુપરહીટ છે જે એ સમયે હતાં.
નવરાત્રિમાં આશા ભોંસલે દ્વારા ગાવામાં આવેલા ગીતોની ધૂમ મચે છે
આશા ભોંસલેએ માર્ચ 2024માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ગાયિકા આશા ભોસલેની ફોટો બાયોગ્રાફી લોન્ચ કરી હતી. આ દરમિયાન આશા ભોંસલેએ કેટલાક ગીતો ગાયા હતાં. તેમાં પાટણથી પટોળા મોંઘા લાવજો અને તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે ગીત પણ ગાયું હતું. ગુજરાતી ફિલ્મોમાં આશા ભોંસલે સહિત કિશોર કુમાર અને લતા મંગેશ્કરે પણ ગીતો ગાયા છે. જ્યારે પણ નવરાત્રી આવે એટલે એટલા બધા ગીતો અને ગરબાની ધૂન પણ યુવાધન હીલોળે ચઢે છે જે આશા ભોંસલે દ્વારા ગાવામાં આવ્યાં છે.
Breaking News: 92 વર્ષીય દિગ્ગજ ગાયિકા આશા ભોસલેને ‘કાર્ડિયાક અરેસ્ટ’, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

ભારતીય સંગીત જગતના દિગ્ગજ અને કરોડો લોકોના મનપસંદ ગાયિકા આશા ભોસલે અંગે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શનિવારે અચાનક તબિયત બગડતા તેમને મુંબઈની જાણીતી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, હાર્ટ એટેક (હૃદયરોગનો હુમલો) આવ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
ડો. પ્રતિક સમતાનીએ પુષ્ટિ કરી છે કે, આશાજી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને ઈમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જો કે, હોસ્પિટલ તરફથી તેમની વર્તમાન સ્થિતિ અંગે હજુ સુધી કોઈ વિગતવાર મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી.
સાત દાયકાની અવિરત સંગીત યાત્રા
માત્ર 10 વર્ષની ઉંમરે સંગીતની સફર શરૂ કરનાર આશા ભોસલેએ ભારતીય સિનેમાને હજારો યાદગાર ગીતો આપ્યા છે. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, બંગાળી અને અનેક પ્રાદેશિક ભાષાઓમાં પોતાની ગાયકીનો જાદુ પાથર્યો છે.
યાદગાર ગીતોની ઝલક:
- રોમેન્ટિક ગીતો: ‘અભી ના જાઓ છોડકર’, ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’.
- ચુલબુલા ગીતો: ‘પિયા તુ અબ તો આજા’, ‘દમ મારો દમ’.
- ગઝલ: ‘ઈન આંખો કી મસ્તી કે’, ‘દિલ ચીઝ ક્યા હૈ’ (ફિલ્મ: ઉમરાવ જાન).
- ગુજરાતી ગીતો: ‘મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો’ અને ‘તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે’.
પરિવાર અને વારસો
આશા ભોસલે સંગીત પરિવારમાંથી આવે છે. તેઓ દિગ્ગજ ગાયિકા સ્વ. લતા મંગેશકરના નાના બહેન છે. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો. તેમના લગ્ન જાણીતા સંગીતકાર આર.ડી. બર્મન (પંચમ દા) સાથે થયા હતા, જેમના સંગીત નિર્દેશનમાં આશાજીએ અનેક સુપરહિટ ગીતો આપ્યા છે.
સન્માન અને પુરસ્કારો
આશા ભોસલેના સંગીત પ્રદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે:
- દાદાસાહેબ ફાળકે એવોર્ડ: ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર.
- પદ્મ વિભૂષણ: ભારત સરકાર દ્વારા બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન.
- ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ: સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ્સ (ગીતો) ગાવા માટે તેમનું નામ ગિનીસ બુકમાં નોંધાયેલું છે.
- નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: અનેક ફિલ્મો માટે શ્રેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય પુરસ્કાર.
ચાહકોની પ્રાર્થના
90 વર્ષની વયે પણ આશા તાઈ હંમેશા ઉત્સાહી અને હસમુખા જોવા મળતા રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને બોલિવૂડની હસ્તીઓ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહી છે. સંગીત પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે કે તેમનો સુરીલો અવાજ ફરી એકવાર ગુંજી ઊઠે.
Asha Bhosle Family Tree : અડધા ગુજરાતી છે આશા ભોંસલે, ગુજરાતી સહિત અનેક ગીતોમાં આપી ચૂક્યા છે અવાજ જાણો તેમના પરિવાર વિશે
Gir Somnathના ઉનામાં મતદાન પહેલા જ ભાજપનો વિજય ટંકાર: સનખડા તાલુકા પંચાયત બેઠક બિનહરીફ
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ જીતનો પાયો નાખ્યો છે. ઉના તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની આ ચૂંટણીમાં ભાજપે ઉના બેઠક પરથી પ્રારંભિક જીત મેળવીને અન્ય બેઠકો પર પણ મજબૂત પકડના સંકેત આપ્યા છે.
સનખડા બેઠક પર ભાવનાબેન બિનહરીફ
ઉના તાલુકા પંચાયતની સનખડા (બેઠક નં. 19) જે એસ.ટી. (ST) અનામત માટે ફાળવવામાં આવી હતી, તે બેઠક પર ભાજપના ઉમેદવાર ભાવનાબેન નાથાભાઈ સાવધારીયા બિનહરીફ ચૂંટાયા છે. આ બેઠક પર વિરોધ પક્ષના કોઈ પણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા અથવા ફોર્મ ન ભરાતા, ભાવનાબેન સાવધારીયાને ચૂંટણી અધિકારી દ્વારા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષની ગેરહાજરીએ ભાજપ માટે આ જીતનો રસ્તો સરળ બનાવી દીધો છે.
ભાજપ છાવણીમાં વિજયોત્સવનો માહોલ
મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ ઉના તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલતા સ્થાનિક સંગઠનમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સનખડા બેઠક પરની આ જીતને ભાજપના નેતાઓ વિકાસના કાર્યો અને જનતાના વિશ્વાસની જીત ગણાવી રહ્યા છે. બિનહરીફ જાહેર થતા જ ભાવનાબેન સાવધારીયા અને તેમના સમર્થકોએ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. આ સફળતા બાદ હવે ભાજપ જિલ્લાની અન્ય બેઠકો પર પણ સંપૂર્ણ પ્રભુત્વ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.











