2030માં ગુજરાત અને અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
Gujarat Weather Update: બપોરે ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન! ગરમીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હવે ઠંડીએ વિદાય લીધી છે અને સૂર્યદેવતા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ઉંચકાતા લોકોએ આકરા ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડશે. છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, જે બાદ હવે હવામાન વિભાગ દ્વારા ગરમી વધવાની આગાહી કરી છે.
તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને બપોરના સમયે ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં ઉકળાટનું પ્રમાણ વધશે
માત્ર ઉત્તર કે મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના પંથકમાં પણ અસહ્ય ઉકળાટ રહેવાની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ અને વાતાવરણમાં ફેરફારને કારણે ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી પરેશાન થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીની અસર જોવા મળશે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાનમાં થઈ રહેલા ફેરફાર અને દરિયાઈ પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં કરંટ અથવા પવનની દિશામાં ફેરફાર થવાની ભીતિને પગલે આગામી સૂચના સુધી માછીમારોને કિનારા પર જ રહેવા જણાવાયું છે.
ચાલુ વર્ષે ગરમી વહેલી શરૂ થતા અને પારો ઉંચકાતા ખેતીના પાક પર પણ તેની અસર જોવા મળી શકે છે. તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા અને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો – વિવાદ બાદ ખડગેએ નમતું જોખ્યું, ગુજરાતીઓની માંગી માફી, કહ્યું- ‘મારા દિલમાં ગુજરાત માટે હંમેશા આદર રહેશે’