ગુજરાતમાં ગઈકાલે થયેલા કમોસમી વરસાદને કારણે અનેક ઠેકાણે અસર વર્તાઈ હતી. માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ ફૂંકાયેલા ભારે પવનને કારણે મકાનો અને વૃક્ષોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ઘર પાસે પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાનની અસર જોવા મળી છે. મકાનોના છાપરા પણ ઉડી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ચાણસ્માના લક્ષ્મીપુરા ગામમાં તારાજી
ગઈકાલે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે થયેલા માવઠાએ તારાજી સર્જી છે. ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણ વાડા પાસે આવેલા લક્ષ્મીપુરા ગામમાં તારાજી સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં 20થી વધુ મકાનોના છાપરાં ઉડ્યા હતાં. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતાં. નુકસાની થયાની જાણ થતાં જ તલાટી સહિતની ટીમ દ્વારા નુકસાનીનો સરવે હાથ ધરવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપનીના કર્મચારીઓ પણ પુરવઠો પૂર્વવત કરવા માટે કામે લાગી ગયાં છે. મકાન પાસે પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ Rajkot News: પોલીસનો એક્શન પ્લાન, ગોંડલ ચોકડી પાસે ‘થાર’ ગાડીમાં દારૂની હેરાફેરી ઝડપાઈ