નળમાંથી ટપકતું પાણી લાવે છે પૈસાની બરબાદી! વાસ્તુનો આ સંકેત ના કરતા નજરઅંદાજ

Vastu Tips : મંદિરમાં એક જ દેવતાની બે મૂર્તિઓ રાખવી જોઈએ કે નહીં? જાણો વાસ્તુ મુજબ શુભ કે અશુભ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Ahmedabad: ગુજરાત પોલીસ બેડામાં સૌથી મોટા સમાચાર, અમદાવાદના કમિશનર જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા કાયમી DGP

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનને લઈને એક ખુબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના કાર્યદક્ષ અને કડક પોલીસ કમિશનર જી.એસ. મલિક (IPS G.S. Malik) ને હવે પ્રમોશન આપીને ગુજરાત રાજ્યના નવા કાયમી પોલીસ મહાનિદેશક એટલે કે ડીજીપી (DGP – Director General of Police) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારના આ આદેશ સાથે જ રાજ્યના ટોચના પોલીસ વડાના પદને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે.

જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા કાયમી DGP

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના કાયમી ડીજીપીની નિવૃત્તિ અથવા બદલી બાદથી રાજ્યના પોલીસ વડાનો વધારાનો ચાર્જ (ઇન્ચાર્જ ડીજીપી તરીકે) સિનિયર આઈપીએસ અધિકારી ડૉ. કે.એલ.એન. રાવ (Dr. K.L.N. Rao) સંભાળી રહ્યા હતા. ડૉ. રાવ અત્યાર સુધી ઇન્ચાર્જ DGP તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા, પરંતુ હવે સરકારે આ અત્યંત મહત્વના પદ પર કાયમી નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે.

1993 બેચના આઈપીએસ અધિકારી

1993 બેચના બાહોશ આઈપીએસ અધિકારી જી.એસ. મલિકે અમદાવાદ પોલીસ કમિશનર તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન ગુનેગારો પર ધાક બેસાડવામાં અને શહેરમાં શાંતિ સલામતી જાળવવામાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. અગાઉ તેઓ કેન્દ્ર સરકારમાં પણ મહત્વની મિલિટરી કે સિક્યુરિટી ફોર્સમાં ડેપ્યુટેશન પર સેવા આપી ચૂક્યા છે. હવે સમગ્ર ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કમાન તેમના મજબૂત હાથોમાં સોંપવામાં આવી છે. જી.એસ. મલિક ટૂંક સમયમાં જ ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે વિધિવત રીતે રાજ્યના કાયમી DGP તરીકેનો પદભાર સંભાળશે. આ નિમણૂકને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકીય વર્તુળો તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.

આ પણ વાંચો: Surat: તાપી બ્રિજ પર પડ્યો મસમોટો ભુવો, ચોમાસા પહેલાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ


Anant Rajના શેરમાં આવી શકે છે 48%ની તેજી ! Venturaએ આપ્યું Buy રેટિંગ, જાણો શું છે આ સ્ટોકમાં ખાસ

Gold-Silver Rate Today : આજે કેટલું સસ્તુ થયું સોનું? અમદાવાદ સહિત મોટા શહેરોનો જાણો લેટેસ્ટ ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 


1. PM મોદી હજીરા L&T કંપનીમાં પહોંચ્યા, ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું નિરીક્ષણ કર્યું  


2. Delhi High Courtએ Cockroach Janata Partyને રાહત આપી, વિરોધ સામેની અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર  


3. Bihar : પટનામાં ખાન સર વિરુદ્ધ FIR દાખલ, ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ  


4. Tamil Nadu: ભાજપ છોડ્યા બાદ બોલ્યા અન્નામલાઇ, એકલા હાથે ચૂંટણી લડીશ, મતભેદને કારણે પાર્ટી છોડી….  


5. Ahmedabad : બોપલમાં મેકડોનાલ્ડ્સની મોટી લાપરવાહી, વેજ બર્ગરના ઓર્ડરમાં મોકલ્યું નોનવેજ બર્ગ  


6. Dahod: કડાણા વોટર પ્લાન્ટમાં ઝેરી ક્લોરિન ગેસ લીક થતાં દોડધામ,આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો  


7. Ahmedabad : નરોડા GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 7 ટીમો ઘટનાસ્થળે  


8. Putin Praise India: વિશ્વભરમાં વાગ્યો ભારતની હિંમતની ડંકો, પુતિન, ટ્રમ્પ અને ઈરાને કરી પ્રશંસા  


9. Rajkot : પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા રાજા ચાવડા સામે દુષ્કર્મ, અપહરણ અને 20 લાખની ખંડણીની ફરિયાદ 


10. PM Modi: મોદી મંત્રીમંડળમાં મોટા ફેરબદલના એંધાણ, ચાર કેન્દ્રીય મંત્રીઓની વિદાય નક્કી?

PM મોદી હજીરા L&T કંપનીમાં પહોંચ્યા, ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું નિરીક્ષણ કર્યું

ડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના હજીરા ખાતે આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના અત્યાધુનિક આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સની મુલાકાતે પહોંચ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત દરમિયાન વડાપ્રધાને દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરતા અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત ખાસ ભારતીય સેના માટે તૈયાર કરવામાં આવેલા સ્વદેશી ઘાતક હથિયારો અને ટેન્કોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીની આ મુલાકાતને પગલે હજીરા વિસ્તાર અને એલએન્ડટી પ્લાન્ટની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ભારતીય ટેકનોલોજીની તાકાતનો સ્વીકાર

પ્લાન્ટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે સેના માટે એલએન્ડટી કંપની દ્વારા બનાવવામાં આવી રહેલી સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપો, આર્મર્ડ વ્હીકલ્સ અને અન્ય આધુનિક યુદ્ધ પ્રણાલીઓની તકનીકી વિશેષતાઓ અને તેની કાર્યક્ષમતા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. પીએમ મોદીએ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આત્મનિર્ભર બનવાના રોડમેપને બિરદાવ્યો હતો અને વૈશ્વિક સ્તરે ભારતીય ટેકનોલોજીની તાકાતનો સ્વીકાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા

ઉલ્લેખનીય છે કે, સુરતનું હજીરા એલએન્ડટી કેન્દ્ર ભારતીય સૈન્ય માટે આર્ટિલરી ગન (તોપો) અને ભારે યુદ્ધ વાહનોના ઉત્પાદન માટેનું મુખ્ય મથક છે. વડાપ્રધાને વિવિધ શસ્ત્રોની ઉત્પાદન પ્રક્રિયા નિહાળીને વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોની ટીમને દેશની સુરક્ષામાં આપેલા આ અદભુત યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમની આ મુલાકાતથી આગામી દિવસોમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે નવી રોજગારી અને મોટા રોકાણોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો—-   Gujarat Latest News live : રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા મુદ્દે વિવાદ, પુરુષોત્તમ પીપળીયાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યુ

Morbi News: હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, 40 ગામોમાં રોગચાળાનું જોખમ

મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી તંત્રની એક શરમાજનક અને લોકોના જીવ જોખમમાં મૂકતી ગંભીર બેદરકારી સામે આવી છે. હળવદ નગરપાલિકા દ્વારા લાખો લોકોના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન નર્મદા કેનાલમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી છોડવામાં આવ્યું છે. તંત્રની આ કાળી કરતૂત સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લાખો લોકોના માથે ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી

ઘટનાની મળતી વિગતો અનુસાર, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી બ્રાહ્મણી ડેમ-2 ભરીને પીવાના પાણીની સપ્લાય પૂરી પાડવામાં આવે છે. આ જ પાણી હળવદ શહેર અને આસપાસના 40 ગામોને પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, આ મુખ્ય કેનાલ દ્વારા રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સુધી પણ પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ હળવદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આ શુદ્ધ પીવાના પાણીની કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી છે.

પીવાનું પાણી ઝેરી બનશે

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો આ કેનાલનું દૂષિત પાણી બ્રાહ્મણી ડેમ અને અન્ય જળાશયોમાં પહોંચશે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ઝેરી બનશે, જેના કારણે કોલેરા, ટાઈફોઈડ અને કમળા જેવો ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થઈ રહેલા આ ચેડાં બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે.

આ પણ વાંચો – Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના

હાઈવે અને એક્સપ્રેસ વે વચ્ચે શું તફાવત છે ?

આ પણ વાંચો, Bike Car Tyre Change : કાર અને બાઇકનું ટાયર કેટલા કિલોમીટર પછી બદલવું જોઈએ?

Kalol : પિયજ કેનાલમાં દુપટ્ટો બાંધેલી હાલતમાં અમદાવાદની માતા,પુત્રી અને દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળતા ચકચાર

ગાંધીનગરના કલોલ તાલુકાના પિયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી આજે સવારે એક સાથે ત્રણ કમભાગી આત્માઓના મૃતદેહ તરતા મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં અમદાવાદમાં રહેતી 23 વર્ષીય પરિણીતા, તેની દોઢ વર્ષની માસૂમ દીકરી અને પરિણીતાની સગી માતાનો સમાવેશ થાય છે. સૌથી વધુ ચોંકાવનારી અને રહસ્યમય બાબત એ છે કે ત્રણેયના મૃતદેહો એકબીજા સાથે દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા, જે સામૂહિક આત્મહત્યા તરફ ઈશારો કરે છે. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

મૃતકોની ઓળખ થઇ

મળતી વિગતો મુજબ, મૃતકોની ઓળખ સંગીતાબેન બચુભાઈ પ્રજાપતિ (માતા), નેહાબેન દીપકભાઈ પ્રજાપતિ (પુત્રી, ઉંમર વર્ષ ૨૩) અને દોઢ વર્ષની માસૂમ પહલ દીપકભાઈ પ્રજાપતિ (દોહિત્રી) તરીકે થઈ છે.

નેહા પ્રજાપતિ માતાને મળવા નિકળી હતી

ઘટનાની પૃષ્ઠભૂમિ એવી છે કે, અમદાવાદમાં રહેતી નેહા પ્રજાપતિ ગત દિવસોમાં પોતાની દોઢ વર્ષની પુત્રી પહલને લઈને ઘરેથી નીકળી હતી. તે મહેસાણા જિલ્લાના તળેટી ગામે રહેતી પોતાની માતા સંગીતાબેનને મળવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. નેહા ફોન ન ઉપાડતી હોવાથી ચિંતાતુર પરિવારે તપાસ કરતા તેનું છેલ્લું લોકેશન કલોલના પિયજ ગામની નર્મદા કેનાલ પાસે આવ્યું હતું. પરિવારજનો કેનાલ પર પહોંચ્યા હતા પરંતુ રાત્રે કોઈ ભાળ મળી નહોતી.

કેનાલમાંથી ત્રણેયના મૃતદેહ મળ્યા

આજે વહેલી સવારે કેનાલમાં ત્રણેયના મૃતદેહ એકસાથે તરતી દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક કલોલ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી કલોલ નગરપાલિકાના ફાયર ફાઈટર અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય મૃતદેહોને બહાર કઢાવ્યા હતા. એકબીજાના હાથ દુપટ્ટાથી બાંધેલા હોવાથી આ પરિવારે કયા આકરા પગલાં કે ઘરેલું કંકાસના કારણે આ સામૂહિક જળસમાધિ લીધી તે દિશામાં રહસ્ય ઘેરાયું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો—-     Gujarat Latest News live: અમરેલીના લુવારિયા વીડીમાં બીમારીના કારણે સિંહણનું મોત, વન વિભાગ દ્વારા કારણોની તપાસ શરૂ

‘બળવા’ વચ્ચે મમતા બેનરજીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ

Mamata Banerjee Dissolves All Committees : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભડકેલી આંતરિક બગાવતે પક્ષના મોવડી મંડળની ચિંતા વધારી દીધી છે. પક્ષની અંદર ચાલી રહેલી જૂથબંધી અને નેતાઓની નારાજગી વચ્ચે પક્ષ પ્રમુખ મમતા બેનરજીએ એક મોટો રાજકીય દાવ ખેલતા તૃણમૂલ કોંગ્રેસની તમામ સમિતિઓ અને ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન (અનુષંગિક સંગઠનો) ને તાત્કાલિક અસરથી ભંગ કરી દીધા છે. પક્ષના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે પક્ષના હિતમાં ગહન વિચાર-વિમર્શ કર્યા બાદ જ આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

કઈ કઈ સમિતિઓ હતી? 

પક્ષમાં ચાલી રહેલા સત્તા સંગ્રામની વાત કરીએ તો, તૃણમૂલ કોંગ્રેસના આશરે ૧૬ જેટલા ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન છે, જે પક્ષ માટે યુવા, મહિલા, વિદ્યાર્થીઓ, અને મજૂર વર્ગને સંગઠિત કરવાનું કામ કરે છે.