Jio Plan : 90 દિવસ સુધી રિચાર્જની ઝંઝટ ખતમ ! Jio લાવ્યું ધમાકેદાર પ્લાન, 20GB બોનસ ડેટા ફ્રી

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’

NEET UG 2026 Re-Test
(IMAGE – IANS)


NEET UG 2026 Re-Test: મે મહિનામાં લેવાયેલી NEET-UG પરીક્ષાનું પેપર લીક થયા બાદ, હવે સરકારે આગામી રી-ટેસ્ટ માટે બહુ જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, આ વખતે પરીક્ષાની આખી સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

BSNL Plan : 70 દિવસ સુધી નહીં કરવું પડે રિચાર્જ, BSNL લાવ્યું 3 ધમાકેદાર પ્લાન

BSNLનો ધમાકેદાર પ્લાન ! સસ્તામાં મળી રહ્યો લાંબી વેલિડિટીનો પ્લાન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Parijat Tree : દરવાજા સામે પારિજાતનું ઝાડ હોવું શુભ કે અશુભ? જાણો પૌરાણિક માન્યતાઓ શું કે છે!

આ પણ વાંચો, Lotus Painting Vastu : ઘર માટે શુભ માનવામાં આવે છે કમળની પેઇન્ટિંગ?

Vastu Tips : ઘરના મંદિરમાં જરૂર રાખો આ 4 પવિત્ર વસ્તુઓ! વધશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ!

આ પણ વાંચો, Fridge Vastu : શું તમે પણ ફ્રિજમાં ગમે ત્યાં સામાન મૂકી દો છો? જાણો કઈ શેલ્ફમાં શું રાખવું શુભ માનવામાં આવે છે!

Jioનો 336 દિવસની વેલિડિટી વાળો સૌથી સસ્તો પ્લાન, કિંમત માત્ર 1748 રુપિયા, જાણો ફાયદા

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Vadodara : ગોત્રીમાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, આરોપીઓ વિદેશીઓને કોલ કરી છેતરતા

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને મોટા પ્રમાણમાં ડિજિટલ સામાન જપ્ત કર્યો છે.

LCBએ દરોડો પાડી ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો

મળતી માહિતી મુજબ આ ગેરકાયદે કોલ સેન્ટર લાંબા સમયથી વિદેશી નાગરિકોને નિશાન બનાવી ઠગાઈની પ્રવૃત્તિઓ ચલાવતું હતું. આરોપીઓ વિદેશી લોકોને ફોન કરીને તેમને લોન મંજૂર થઈ હોવાનું જણાવતા હતા અને ત્યારબાદ વિવિધ બહાના હેઠળ તેમની પાસેથી નાણાં પડાવતા હતા. આ રીતે તેઓ સાયબર ફ્રોડનું જાળ ચલાવી રહ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પાસે કોઈ માન્ય લાયસન્સ કે કાયદેસર પરવાનગી નહોતી, છતાં તેઓ સંગઠિત રીતે કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. LCBએ ગુપ્ત માહિતીના આધારે સ્થળ પર દરોડો પાડી આ ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો.

ગેંગના અન્ય સભ્યોની માહિતી એકત્ર કરાઈ રહી છે

દરોડા દરમિયાન પોલીસે ચારેય આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા. સાથે જ લેપટોપ, મોબાઈલ ફોન, હેડસેટ, રાઉટર અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો સહિતનો મહત્વનો મુદ્દામાલ કબજે કર્યો છે, જે ઠગાઈની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કોલ સેન્ટર દ્વારા કેટલા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ આ ગેંગના અન્ય સભ્યો અને તેમના નેટવર્ક વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

ટેકનિકલ ટીમની મદદથી તપાસ આગળ વધારવામાં આવી

વડોદરા પોલીસે જણાવ્યું છે કે સાયબર ક્રાઈમ અને ગેરકાયદેસર કોલ સેન્ટરો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આવા કિસ્સાઓ રોકવા માટે સતત નજર રાખવામાં આવી રહી છે અને ટેકનિકલ ટીમની મદદથી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાયબર ઠગાઈના વધતા જોખમ તરફ ધ્યાન દોર્યું છે અને લોકોને અજાણી કોલ્સ તથા લોન સંબંધિત ઓફર્સથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પાદરા નજીક મોડી રાત્રે અકસ્માત,4 લોકોના કરૂણ મોત

Jioના બે પ્લાન સાથે એકદમ ફ્રી મળી રહ્યા 20GB એક્સ્ટ્રા ડેટા, લાંબી વેલિડિટી સાથે OTT પણ મળશે લાભ

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News: શ્રેયસ અય્યર બન્યો ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન, સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત

Breaking News: શ્રેયસ અય્યર બન્યો ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન, સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમને T20 ફોર્મેટ માટે નવો કેપ્ટન મળી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન નીયુક્ય કરવામાં આવ્યો છે. તિલક વર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વધુમાં, 15 વર્ષીય સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીની પણ પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે, તે ભારતીય ટીમ માટે પસંદગી પામેલો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. BCCI એ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ તેમજ એશિયન ગેમ્સ અને ભારત A ના બિનસત્તાવાર ટેસ્ટ ટૂર માટે પણ ટીમોની જાહેરાત કરી છે.

આયર્લેન્ડ-ઈંગ્લેન્ડમાં શ્રેયસ કરશે ટીમનું નેતૃત્વ

શનિવાર, 6 જૂનના રોજ BCCI મુખ્યાલયમાં પસંદગી સમિતિની બેઠક બાદ બોર્ડ સચિવ દેવજીત સૈકિયાએ શ્રેયસ અય્યરની કેપ્ટન તરીકે જાહેરાત કરી હતી . આ સાથે ભારતીય T20 ટીમમાં સૂર્યકુમાર યાદવના સફળ યુગસનો અંત આવ્યો હતો. સૂર્યાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ વર્લ્ડ કપ જીત્યો હતો. 2028 વર્લ્ડ કપ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને હવે એક નવા યુગની શરૂઆત થઈ છે.

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

ટીમ ઈન્ડિયા જૂનના અંતમાં આયર્લેન્ડ અને ત્યારબાદ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ભારત આયર્લેન્ડમાં બે અને ઈંગ્લેન્ડમાં પાંચ T20 મેચ રમશે. બંને શ્રેણી માટે 16 ખેલાડીઓની એક ટીમ પસંદ કરવામાં આવી છે, અને તે તમામ સાત મેચ માટે ઉપલબ્ધ રહેશે. આમાં સૌથી ચર્ચાસ્પદ નામ વૈભવ સૂર્યવંશીનું છે, જે ટીમ ઈન્ડિયા માટે પસંદ થનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેની સાથે IPLમાં સારું પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ 27 જૂનથી શરૂ થશે, જ્યારે ઈંગ્લેન્ડ શ્રેણી 1 જુલાઈથી શરૂ થશે.

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ માટે T20 ટીમો

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી.

એશિયન ગેમ્સ માટે ટીમ

આ બે શ્રેણી ઉપરાંત, સપ્ટેમ્બરમાં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી છે. આમાંથી ચૌદ ખેલાડીઓ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડની મેચો માટે પસંદ કરાયેલા ખેલાડીઓ જેવા જ છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રિન્સને બાદ કરવામાં આવ્યા છે. આ રમતો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી અને જસપ્રિત બુમરાહ.

શ્રીલંકા પ્રવાસ માટે ભારત A ટીમ

ધ્રુવ જુરેલ (કેપ્ટન, વિકેટકીપર), સાઈ સુદર્શન, આયુષ પાંડે, દેવદત્ત પડિકલ, ઋતુરાજ ગાયકવાડ, હર્ષ દુબે, સરંશ જૈન, ગુરનુર બ્રાર, આકિબ નબી, યશ ઠાકુર, અંશુલ કંબોજ, એન જગદીસન, અમન મોખાડે, શાક રશીદ, જીશાન અંસારી.

Breaking News: RCB ને IPL 2026 ચેમ્પિયન બનાવ્યાના માત્ર 72 કલાકમાં જ કેપ્ટન રજત પાટીદારને મળી મોટી હાર