12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી

12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી

અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલની મોટી શૈક્ષણિક સિદ્ધિ, NBA માન્યતા મેળવનારી અમદાવાદની બીજી બી-સ્કૂલ બની

અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલની મોટી શૈક્ષણિક સિદ્ધિ, NBA માન્યતા મેળવનારી અમદાવાદની બીજી બી-સ્કૂલ બની

અમદાવાદ સ્થિત શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)એ તેની શૈક્ષણિક યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના ફ્લેગશિપ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM) પ્રોગ્રામને પ્રતિષ્ઠિત નેશનલ બોર્ડ ઑફ એક્રેડિટેશન (NBA) તરફથી માન્યતા પ્રાપ્ત થઈ છે. આ ઉપલબ્ધિ SBSને દેશની ગુણવત્તાસભર મેનેજમેન્ટ સંસ્થાઓની શ્રેણીમાં વધુ મજબૂત સ્થાન અપાવે છે.

નેશનલ બોર્ડ ઑફ એક્રેડિટેશન (NBA) ભારતની અગ્રણી માન્યતા પ્રદાન કરતી સંસ્થા છે, જે ટેકનિકલ અને મેનેજમેન્ટ અભ્યાસક્રમોની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે. NBA માન્યતા મેળવવાની પ્રક્રિયા અત્યંત કડક અને પરિણામ આધારિત હોય છે. આ દરમિયાન અભ્યાસક્રમની ગુણવત્તા, ફેકલ્ટીની લાયકાત, શૈક્ષણિક માળખું, ઉદ્યોગ સાથેના જોડાણો તેમજ વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતાના વિવિધ પાસાઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે.

શૈક્ષણિક ક્ષેત્રમાં NBA એક્રેડિટેશનને ગુણવત્તા અને વિશ્વસનીયતાનું પ્રતીક માનવામાં આવે છે. આ માન્યતા માત્ર સંસ્થાની શૈક્ષણિક શ્રેષ્ઠતાને જ પ્રમાણિત કરતી નથી, પરંતુ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે વધુ સારી તકો પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ બને છે.

આ પ્રસંગે SBSના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું હતું કે, “NBA માન્યતા સમગ્ર SBS પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. આ સિદ્ધિ ઉદ્યોગ-કેન્દ્રિત અને પરિણામલક્ષી મેનેજમેન્ટ શિક્ષણ પ્રદાન કરવાની અમારી સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારા માટે ગુણવત્તા કોઈ એક વખત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નથી, પરંતુ સતત જાળવી રાખવાની પ્રક્રિયા છે. આ માન્યતા અમને વધુ નવીનતા, ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરણા આપશે.”

આ ઐતિહાસિક સિદ્ધિ સાથે શાંતિ બિઝનેસ સ્કૂલ અમદાવાદની માત્ર બીજી એવી બી-સ્કૂલ બની છે, જેને તેના PGDM પ્રોગ્રામ માટે NBAની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત થઈ છે. આ ઉપલબ્ધિ સંસ્થાના શૈક્ષણિક ધોરણો, ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભવિષ્યલક્ષી અભિગમનું પ્રતિબિંબ છે.

આ માન્યતા સાથે SBS હવે મેનેજમેન્ટ શિક્ષણના ક્ષેત્રમાં વધુ મજબૂત રીતે આગળ વધવા અને વિદ્યાર્થીઓને વૈશ્વિક ધોરણનું શિક્ષણ પ્રદાન કરવા માટે સજ્જ બની છે.

Mumbai-Ahmedabad Bullet Train: 250 KMPH ની તૂફાની ઝડપે દોડશે ટ્રેન

એક વ્યક્તિ પોતાના નામે કેટલા બેંક ખાતા ખોલાવી શકે? જાણી લો ‘RBI’ નો આ નિયમ

‘સોના’ પર આવ્યા સૌથી ‘મોટા સમાચાર’! દુનિયા આખી જોતી રહી ગઈ અને ચીને કરી દીધો ‘ખેલ’, આ એક નિર્ણયથી ગ્લોબલ માર્કેટ હચમચી ગયું

Jio Plan : 90 દિવસ સુધી રિચાર્જની ઝંઝટ ખતમ ! Jio લાવ્યું ધમાકેદાર પ્લાન, 20GB બોનસ ડેટા ફ્રી

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’

NEET UG 2026 Re-Test
(IMAGE – IANS)


NEET UG 2026 Re-Test: મે મહિનામાં લેવાયેલી NEET-UG પરીક્ષાનું પેપર લીક થયા બાદ, હવે સરકારે આગામી રી-ટેસ્ટ માટે બહુ જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, આ વખતે પરીક્ષાની આખી સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

BSNL Plan : 70 દિવસ સુધી નહીં કરવું પડે રિચાર્જ, BSNL લાવ્યું 3 ધમાકેદાર પ્લાન

BSNLનો ધમાકેદાર પ્લાન ! સસ્તામાં મળી રહ્યો લાંબી વેલિડિટીનો પ્લાન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Parijat Tree : દરવાજા સામે પારિજાતનું ઝાડ હોવું શુભ કે અશુભ? જાણો પૌરાણિક માન્યતાઓ શું કે છે!

આ પણ વાંચો, Lotus Painting Vastu : ઘર માટે શુભ માનવામાં આવે છે કમળની પેઇન્ટિંગ?

Vastu Tips : ઘરના મંદિરમાં જરૂર રાખો આ 4 પવિત્ર વસ્તુઓ! વધશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ!

આ પણ વાંચો, Fridge Vastu : શું તમે પણ ફ્રિજમાં ગમે ત્યાં સામાન મૂકી દો છો? જાણો કઈ શેલ્ફમાં શું રાખવું શુભ માનવામાં આવે છે!

Jioનો 336 દિવસની વેલિડિટી વાળો સૌથી સસ્તો પ્લાન, કિંમત માત્ર 1748 રુપિયા, જાણો ફાયદા

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Vadodara : ગોત્રીમાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, આરોપીઓ વિદેશીઓને કોલ કરી છેતરતા

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને મોટા પ્રમાણમાં ડિજિટલ સામાન જપ્ત કર્યો છે.

LCBએ દરોડો પાડી ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો

મળતી માહિતી મુજબ આ ગેરકાયદે કોલ સેન્ટર લાંબા સમયથી વિદેશી નાગરિકોને નિશાન બનાવી ઠગાઈની પ્રવૃત્તિઓ ચલાવતું હતું. આરોપીઓ વિદેશી લોકોને ફોન કરીને તેમને લોન મંજૂર થઈ હોવાનું જણાવતા હતા અને ત્યારબાદ વિવિધ બહાના હેઠળ તેમની પાસેથી નાણાં પડાવતા હતા. આ રીતે તેઓ સાયબર ફ્રોડનું જાળ ચલાવી રહ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પાસે કોઈ માન્ય લાયસન્સ કે કાયદેસર પરવાનગી નહોતી, છતાં તેઓ સંગઠિત રીતે કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. LCBએ ગુપ્ત માહિતીના આધારે સ્થળ પર દરોડો પાડી આ ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો.

ગેંગના અન્ય સભ્યોની માહિતી એકત્ર કરાઈ રહી છે

દરોડા દરમિયાન પોલીસે ચારેય આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા. સાથે જ લેપટોપ, મોબાઈલ ફોન, હેડસેટ, રાઉટર અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો સહિતનો મહત્વનો મુદ્દામાલ કબજે કર્યો છે, જે ઠગાઈની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કોલ સેન્ટર દ્વારા કેટલા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ આ ગેંગના અન્ય સભ્યો અને તેમના નેટવર્ક વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

ટેકનિકલ ટીમની મદદથી તપાસ આગળ વધારવામાં આવી

વડોદરા પોલીસે જણાવ્યું છે કે સાયબર ક્રાઈમ અને ગેરકાયદેસર કોલ સેન્ટરો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આવા કિસ્સાઓ રોકવા માટે સતત નજર રાખવામાં આવી રહી છે અને ટેકનિકલ ટીમની મદદથી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાયબર ઠગાઈના વધતા જોખમ તરફ ધ્યાન દોર્યું છે અને લોકોને અજાણી કોલ્સ તથા લોન સંબંધિત ઓફર્સથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પાદરા નજીક મોડી રાત્રે અકસ્માત,4 લોકોના કરૂણ મોત