DA Hike : રિટાયર્ડ કર્મચારીઓને મોટી રાહત ! DR વધારાની સરકારે કરી જાહેરાત

8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓની મોજ..હેલ્પરથી લઈને સીનિયર સુધીના સ્ટાફના પગારમાં થઈ શકે છે વધારો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

45W चार्जिंग के साथ 10000mAh पावरबैंक Ugreen ने किया लॉन्च, जानें कीमत

Ugreen की ओर से नया पावरबैंक लॉन्च किया गया है जो 10,000mAh बैटरी के साथ आता है। यह कंपनी का नया PB610 मॉडल है जो 45W फास्ट चार्जिंग करता है। पावरबैंक के भीतर एक यूएसबी-सी केबल दी गई है। इसे सीधे डिवाइस में लगाया जा सकता है। यानी यूजर को अलग से केबल लेकर चलने की जरूरत नहीं है।

Gold In Car : તમારી કારના આ ભાગમાં હોય છે 24 કેરેટ Gold ! જાણો ગાડીઓમાં તેનું શું કામ ?

ગરમીમાં તમારી કારનું એન્જિન ઓવરહીટ થતા પહેલા આપે છે આ સંકેત, જાણી લેજો નહીં તો લાગશે આગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : ટ્ર્મ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ ! ઈરાની આતંકી કનેક્શન આવ્યું સામે

Breaking News : ટ્ર્મ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ ! ઈરાની આતંકી કનેક્શન આવ્યું સામે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાના એક ભયાનક કાવતરાનો પર્દાફાશ થયો છે. ઈરાનના લશ્કરી દળ, ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) દ્વારા તાલીમ પામેલા એક ખતરનાક આતંકવાદીએ ઇવાન્કા ટ્રમ્પનો જીવ લેવા માટે એક વ્યાપક યોજના ઘડી હતી.

ઇવાન્કાની હત્યાનો પ્રયાસ !

ધ પોસ્ટ અખબાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીએ તેના માર્ગદર્શક અને ઈરાની લશ્કરી કમાન્ડર, કાસેમ સુલેમાનીના મૃત્યુનો બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો, જે છ વર્ષ પહેલાં યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા.

સુરક્ષા એજન્સીઓએ ઇવાન્કા ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનાર આતંકવાદીની ધરપકડ કરી છે. તેની ઓળખ 32 વર્ષીય મોહમ્મદ બાકિર સાદ દાઉદ અલ-સાદી તરીકે થઈ છે. તે ઇરાકી નાગરિક હોવાનું જાણવા મળે છે.

કાસિમ સુલેમાનીના મૃત્યુનો બદલો લેવા માટે આતંકવાદી

હકીકતમાં, છ વર્ષ પહેલાં બગદાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કાર્ય કરીને અમેરિકાએ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તેણે ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર, કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. અલ-સાદી આ હુમલાને તેના માર્ગદર્શકની હત્યા તરીકે જોતો હતો અને ત્યારથી, ટ્રમ્પ પરિવારનો નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો.

આરોપી, અલ-સાદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર ખાસ કરીને તેમની પુત્રી, ઇવાન્કા ટ્રમ્પને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તપાસ દરમિયાન, સુરક્ષા દળોએ અલ-સાદીના કબજામાંથી ફ્લોરિડામાં ઇવાન્કા ટ્રમ્પના વૈભવી ઘરનો સંપૂર્ણ બ્લુપ્રિન્ટ મેળવ્યો. તે લાંબા સમયથી તેના નિવાસસ્થાન પર જાસૂસી કરી રહ્યો હતો.

‘આપણે ઇવાન્કા ટ્રમ્પને મારી નાખવી જોઈએ’

વોશિંગ્ટનમાં ઇરાકી દૂતાવાસમાં ભૂતપૂર્વ ડેપ્યુટી મિલિટરી એટેચી, એન્ટિફાધ કનબાર, આ આતંકવાદીના ઇરાદાઓ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, “કાસિમ સુલેમાનીના મોત પછી, અલ-સાદી લોકોને કહેતો ફરતો હતો કે, ‘આપણે ઇવાન્કા ટ્રમ્પને મારી નાખવી જોઈએ.’” “તે કહેતો હતો કે જેમ તેણે આપણા ઘર (કમાન્ડર સુલેમાની)નો નાશ કર્યો હતો, તેમ આપણે ટ્રમ્પના આખા ઘરને બાળીને રાખ કરી દેવું જોઈએ.”

Breaking News : SBI ગ્રાહકો માટે જરુરી સૂચના..આજથી 6 દિવસ બેંકમાં નહીં થઈ શકે કોઈ પણ કામ, જાણો કેમ?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

નૌતપાના 9 દિવસ ખૂબ જ પવિત્ર હોય છે, આ સમય દરમિયાન સૂર્ય દેવની પૂજાનું મહત્વ કેમ વધે છે તે જાણો

નૌતપાના 9 દિવસ ખૂબ જ પવિત્ર હોય છે, આ સમય દરમિયાન સૂર્ય દેવની પૂજાનું મહત્વ કેમ વધે છે તે જાણો

Nautapa Surya Dev Puja Significance: હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં નૌતપાનું વિશેષ મહત્વ છે. નૌતપાના નવ દિવસો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, નૌતપા રોહિણી નક્ષત્રમાં સૂર્ય દેવના ગોચર સાથે સંબંધિત છે. નૌતપાની શરૂઆત સૂર્ય દેવના રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી થાય છે. નૌતપા દરમિયાન સૂર્ય દેવ પોતાની ટોચની ઉર્જા પર હોય છે. આ સમય દરમિયાન, સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે, જેના કારણે નૌતપા અત્યંત ગરમ હોય છે.

25 મે થી શરૂ થાય છે

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ સમય ફક્ત હવામાનમાં પરિવર્તનનો સંકેત આપતો નથી, પરંતુ પૂજા, જપ, તપ અને દાન માટે પણ એક ખાસ સમય માનવામાં આવે છે. આ વર્ષે, નૌતપાના નવ દિવસ 25 મે થી શરૂ થાય છે અને 2 જૂન સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, પૃથ્વી પ્રચંડ ગરમીમાં રહેશે. આ નવ દિવસો દરમિયાન સૂર્ય ભગવાનની પૂજા કરવામાં નોંધપાત્ર વધારો થાય છે.

નૌતપાના નવ દિવસોનું મહત્વ

નૌતપા એ આધ્યાત્મિક અભ્યાસ અને આત્મશુદ્ધિનો સમય છે. આ નવ દિવસો દરમિયાન, ભક્તો પૂજા, તપ અને દાન કરે છે, જે ખાસ પુણ્ય પરિણામો આપે છે. ધાર્મિક માન્યતા મુજબ નૌતપા દરમિયાન કરવામાં આવેલ દાન પૂર્વજો તરફથી આશીર્વાદ લાવે છે. સૂર્ય ભગવાનની પૂજાની સાથે, સત્તુ, ઘડો, છત્રી, ઠંડુ પાણી, પંખો અને અન્ય ઠંડી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે.

આ જ કારણ છે કે સૂર્ય દેવની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ છે

ધાર્મિક માન્યતાઓ અનુસાર, નૌતપાના નવ દિવસોમાં સૂર્ય દેવની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ સમયે સૂર્ય દેવ પોતાની બધી શક્તિ અને તીવ્રતા સાથે પૃથ્વીની સૌથી નજીક હોય છે. આ સમય દરમિયાન સૂર્યના કિરણો સીધા અને તીવ્રપણે પૃથ્વી પર પડે છે.

સૂર્ય દેવની પૂજા કરવાથી આશીર્વાદ મળે છે

નૌતપા દરમિયાન ભક્તો દરરોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્ય દેવને જળ અર્પણ કરે છે અને સુખ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન સૂર્ય દેવની પૂજા કરવાથી બધા દેવી-દેવતાઓ તરફથી આશીર્વાદ મળે છે, જીવનમાં ઊર્જા અને આરોગ્ય જળવાઈ રહે છે.

કળિયુગનો અંત ક્યારે આવશે? પુરાણોમાં લખાયેલું ચોંકાવનારું સત્ય

10000mAh बैटरी वाला कॉम्पेक्ट, मैग्नेटिक पावरबैंक Xiaomi ने किया लॉन्च, जानें कीमत

Xiaomi ने नया पोर्टेबल पावरबैंक लॉन्च किया है जो साइज में बहुत ही कॉम्पेक्ट है। यह Xiaomi Jinshajiang अल्ट्रा-थिन मेग्नेटिक पावरबैंक है जो 10000mAh बैटरी के साथ आता है। इसमें 45W तक चार्जिंग स्पीड का सपोर्ट दिया गया है जो आपके स्मार्टफोन, टैबलेट आदि डिवाइसेज को तेजी से चार्ज कर सकता है। इसमें GSR सिलिकॉन-कार्बन बैटरी लगी है।

Summer Special : ઉનાળાની ગરમીમાં ખાઓ હળવા પરાઠા, સ્વાદિષ્ટ, સુપાચ્ય અને તાજગીભર્યો સવારનો નાસ્તો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની થશે એન્ટ્રી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી બે દિવસ વરસાદની આગાહી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Surat: ચોકબજારમાંથી ગુમ થયેલા ત્રણેય બાળકોનું પરિવાર સાથે મિલન, માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ

આજના ડિજિટલ યુગમાં બાળકોમાં મોબાઈલ ગેમનું વળગણ કેટલું હદ સુધી વધી ગયું છે અને તે કેવી મોટી મુશ્કેલી સર્જી શકે છે, તેનો લાલબત્તી સમાન કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતના ચોકબજાર પંડોળ વિસ્તારમાં રહેતા એક પરિવારના ત્રણ બાળકો (ભાઈ-બહેન) એકસાથે ગુમ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, સુરત પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને બાળકોને હેમખેમ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે.

પિતાનો ઠપકો અને બાળકોનો ચોંકાવનારો નિર્ણય

પ્રાપ્ત વિગતો અનુસાર, ત્રણેય ભાઈ-બહેનો મોબાઈલ ફોનમાં સતત ગેમ રમતા હોવાથી તેમના પિતાએ તેમને સામાન્ય ઠપકો આપ્યો હતો અને મોબાઈલ બાબતે લડ્યા હતા. પિતાના આ ઠપકાથી નારાજ થઈને ત્રણેય માસૂમો કોઈને પણ કહ્યા વગર ઘરેથી ભાગી છૂટ્યા હતા. બાળકો ઘરેથી નીકળી સીધા સુરત રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાંથી ટ્રેનમાં બેસીને મુંબઈ અને ત્યારબાદ છેક દેશની રાજધાની દિલ્હી સુધી ભાગી ગયા હતા. એકસાથે ત્રણ સંતાનો ગુમ થતા પરિવાર ભાંગી પડ્યો હતો અને ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસનું મેગા સર્ચ ઓપરેશન અને સુખદ અંત

ગુમ થયેલા બાળકો સગીર વયના હોવાથી પોલીસ કમિશનરની સૂચનાથી તાત્કાલિક ગુમ થયેલા બાળકોને શોધવા માટેની ખાસ ઝુંબેશ ‘ઓપરેશન મુસ્કાન’ એક્ટિવ કરવામાં આવી હતી. પોલીસે કલાકના આધારે રૂટ ટ્રેક કરવા માટે સુરત સ્ટેશન અને આસપાસના વિસ્તારોના ૪૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ બારીકાઈથી ચેક કર્યા હતા. આ સાથે જ દિલ્હી અને મુંબઈ રૂટના ૧૫થી વધુ મોટા રેલવે સ્ટેશનો અને રેલવે પોલીસ (GRP/RPF) ને તુરંત એલર્ટ કરવામાં આવ્યા હતા.

આખરે ત્રણેય બાળકોનું લોકેશન મળી આવ્યું

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આખરે ત્રણેય બાળકોનું લોકેશન મળી આવ્યું હતું. બાળકોને સુરક્ષિત રીતે તાબામાં લઈને જ્યારે ફરી સુરત લાવવામાં આવ્યા, ત્યારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ત્રણેય બાળકોનું તેમના માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. માતા-પિતાએ સુરત પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો, જ્યારે પોલીસે પણ વાલીઓને બાળકો પ્રત્યે નરમ વલણ રાખવા અને મોબાઈલના વપરાશ પર પ્રેમથી દેખરેખ રાખવા સલાહ આપી છે.

આ પણ વાંચો: Ahmedabad News: મેટ્રો સ્ટેશનો નજીક AMCનું ફ્રી પાર્કિંગ માટે આયોજન, 14 સ્ટેશન પાસે 17 પ્લોટ ફાળવ્યા


Gujarat Weather News: રાજ્યમાં આગઝરતી ગરમી વચ્ચે આજે અને આવતીકાલે વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેતા હજુ પણ લોકોને ગરમીથી કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ છે. આજથી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. 23 મેએ સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી કરાઈ છે.પ્રિ મોન્સૂન એક્ટિવિટ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે.

મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસ

હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યના મોટાભાગના પ્રમુખ શહેરોમાં મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર નોંધાઈ રહ્યું છે.જેમાં અમદાવાદ 43.7 ડિગ્રી અને રાજકોટ 43.5 ડિગ્રી તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ કેન્દ્રો સાબિત થયા છે.આ ઉપરાંત કંડલા,અમરેલી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ પારો 42 ડિગ્રીથી વધુ રહેતા બપોરના સમયે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.ગાંધીનગર, વડોદરા અને ભાવનગર સહિતના અન્ય શહેરોમાં પણ અસહ્ય ઉકળાટ અને લૂના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

આ પણ વાંચોઃ Cabinet Meeting : સેવા તીર્થમાં આયોજિત મંત્રીઓની બેઠક સાડા ચાર કલાક ચાલી, વડાપ્રધાન મોદીએ આપ્યા આ નિર્દેશ

22 May 2026 રાશિફળ : નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉત્તમ સમય, વ્યવસાયમાં મોટા નફા સાથે જીવનસાથી તરફથી મળશે ખાસ ભેટ

22 May 2026 રાશિફળ : નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉત્તમ સમય, વ્યવસાયમાં મોટા નફા સાથે જીવનસાથી તરફથી મળશે ખાસ ભેટ

આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ: ગ્રહ-નક્ષત્રોની ચાલથી આજે તમારા માટે ધન કમાણીની ઘણી તકો ઊભી થશે.

વૃષભ રાશિ: આજે તમે તમારા ઘરના વડીલો પાસેથી પૈસાની બચત કરવા અંગે કોઈ સલાહ લઈ શકો છો અને તે સલાહને જીવનમાં સ્થાન પણ આપી શકો છો.

મિથુન રાશિ: જો તમે યાત્રા પર જવાના હો તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે.

કર્ક રાશિ: યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. આજે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે,

સિંહ રાશિ: મિત્રો સાથે સાંજ સારી વીતશે, પણ વધુ પડતું ખાવા-પીવામાં ધ્યાન રાખજો.

કન્યા રાશિ: ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે.

તુલા રાશિ: આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે.

વૃશ્ચિક રાશિ: વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હૅલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો.

ધન રાશિ: અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે.

મકર રાશિ: ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી, ગૃહિણીઓ આજે ખાલી સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે.

કુંભ રાશિ: આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. આજે તમારું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે.

મીન રાશિ: આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોત્ર થી ધન લાભ થયી શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થયી જશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.