Valsad: કલવાડા ગામે બાઈક ચાલકને કારે ઉડાવ્યો, યુવાન 10 ફૂટ હવામાં ઉછળ્યો, ઘટના CCTVમાં કેદ

વલસાડ તાલુકાના કલવાડા ગામના મુખ્ય માર્ગ પરથી એક અત્યંત ભયાનક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, જે જોઈને કોઈ પણ વાહનચાલક ધ્રુજી ઉઠે. કલવાડા ગામમાંથી પસાર થતા રોડ પર આજે એક બાઈક સવાર યુવાને રોડની બીજી બાજુ જવા માટે પોતાની બાઈક વાળી હતી. જોકે, આ દરમિયાન તેણે પાછળથી કે સામેથી આવતા અન્ય વાહનો જોવાની તકેદારી રાખી ન હતી. બાઈક સવારે જેવો અચાનક રોડ ક્રોસ કર્યો, તે જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી.

હવામાં 10 ફૂટ ઉછળ્યો યુવાન

આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર વાગતાની સાથે જ બાઈક ચાલક યુવાન પોતાની બાઈક પરથી ફગવાઈને હવામાં અંદાજે ૧૦ ફૂટ જેટલો ઊંચો ઉછળ્યો હતો અને રોડ પર ધડાકાભેર પટકાયો હતો. અકસ્માત સર્જાતાની સાથે જ કાર ચાલકે બ્રેક મારી દીધી હતી અને આસપાસની દુકાનો તેમજ ઘરોમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલા યુવાનને લોકોએ તાત્કાલિક સંભાળ્યો હતો અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ બાઈક ચાલક યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

કલવાડા ગામમાં બનેલી આ રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના ત્યાં નજીકમાં આવેલા સીસીટીવી (CCTV) કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઈક સવારની એક નાની ભૂલ અને અચાનક રોડ ક્રોસ કરવાની ઉતાવળ તેના પર કેટલી ભારે પડી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો પણ હાઈવે પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપી રહ્યા છે. ઘટના અંગે વલસાડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Gondal: બગદાણાથી દર્શન કરી પરત ફરતી ખાનગી બસ પલટી ખાતા 2 મહિલાઓના મોત


Breaking News : આજે મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં દ્વારકાનો ખેલાડી રુચિત આહિર રમતો જોવા મળશે, જુઓ ફોટો

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. ભારતના સૌથી મોટા સમૂહ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે. અહી ક્લિક કરો

IPL 2026 : શ્રેયસ અય્યરની સદીથી PBKSની જીત, લખનૌને હરાવ્યા બાદ પંજાબની નજર હવે RR પર

 

આ પણ વાંચો, Breaking News : મુંબઈની ટીમનો ધાકડ બોલર Jasprit Bumrah ના ફોર્મને લઈ કોચે ખોલ્યા રાઝ, આવી સ્થિતિમાં રમ્યો IPL 2026 સિઝન

US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ PM મોદી સાથે કરી મુલાકાત, ઊર્જાથી લઈને અર્થતંત્ર સુધી દરેક વસ્તુ પર થશે અસર

US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ PM મોદી સાથે કરી મુલાકાત, ઊર્જાથી લઈને અર્થતંત્ર સુધી દરેક વસ્તુ પર થશે અસર

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન કટોકટીને કારણે વૈશ્વિક ઊર્જા કોરિડોરમાં વિક્ષેપને ધ્યાનમાં રાખીને આ બેઠક ખૂબ જ વ્યૂહાત્મક છે. ઊર્જા સુરક્ષા, સંરક્ષણ સહયોગ અને દ્વિપક્ષીય વેપાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકાએ આ કટોકટી દરમિયાન ભારતને અવિરત તેલ અને ગેસ પુરવઠાની ખાતરી આપી હતી.

ઊર્જા કટોકટી અને ભારતની ચિંતાઓ

મધ્ય પૂર્વમાં હાલની અશાંત પરિસ્થિતિએ ભારતના અર્થતંત્ર માટે એક મોટો પડકાર ઉભો કર્યો છે. ઈરાન અને અન્ય પ્રાદેશિક શક્તિઓ સાથેના તણાવને કારણે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ટ્રાફિક લગભગ ઠપ્પ થઈ ગયો છે. ભારત તેની ઊર્જા જરૂરિયાતોનો લગભગ 90% આ માર્ગ દ્વારા આયાત કરે છે.

આ પુરવઠા સંકટની સીધી અસર ભારતના સામાન્ય માણસ પર પડી છે, જ્યાં છેલ્લા 10 દિવસમાં તેલના ભાવમાં ત્રણ વખત વધારો થયો છે. વધુમાં ભારતીય ચલણ ડોલર સામે 96.96 ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. આ અનિશ્ચિતતાને કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય શેરબજારમાંથી અબજો ડોલર પાછા ખેંચી રહ્યા છે.

અમેરિકાનો મહાન વિશ્વાસ અને તેલનો ખેલ

આ નિર્ણાયક તબક્કે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારતની મુલાકાત લીધી. તેમણે વડા પ્રધાન મોદીને ખાતરી આપી કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનને વૈશ્વિક ઉર્જા બજારને બંધક બનાવવા દેશે નહીં. રુબિયોએ પ્રસ્તાવ મૂક્યો કે અમેરિકા તેની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ભારત જેટલી ઉર્જા ઇચ્છે છે તેટલી ઉર્જા પૂરી પાડવા માટે તૈયાર છે.

ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે પણ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે ભારત હવે તેના પુરવઠા માર્ગોને વૈવિધ્યીકરણ કરી રહ્યું છે અને યુએસ પાસેથી તેલ અને ગેસની ખરીદી વધારી રહ્યું છે. શિપિંગ ડેટા અનુસાર ભારત આ મહિને યુએસમાંથી રેકોર્ડ જથ્થામાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને LPG આયાત કરી રહ્યું છે. અમેરિકાનો ઉદ્દેશ્ય ગલ્ફ દેશો અને રશિયા પર ભારતની નિર્ભરતા ઘટાડીને બંને દેશો વચ્ચે આર્થિક પરસ્પર નિર્ભરતાને વધુ ગાઢ બનાવવાનો છે.

ભૂતકાળની કડવાશ ભૂલી જવાનો પ્રયાસ

આ બેઠક ફક્ત ઊર્જા પુરતી મર્યાદિત નથી, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તાજેતરના તણાવને સંબોધવાનો પણ પ્રયાસ કરે છે. ગયા વર્ષે, ભારત-પાકિસ્તાન તણાવ અંગેના યુએસ પ્રમુખ ટ્રમ્પના દાવાઓ અને યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયન તેલ ખરીદવા માટે ભારતીય માલ પર યુએસ દ્વારા લાદવામાં આવેલા વધારાના 25% ટેરિફથી સંબંધોમાં તણાવ આવ્યો હતો. જોકે, બદલાતા ભૂરાજકીય પરિદૃશ્ય અને તેલ બજારની સ્થિરતાને ધ્યાનમાં રાખીને યુએસએ ભારત પ્રત્યેના તેના કડક વલણને નરમ પાડ્યું છે. પ્રતિબંધોના દબાણ કરતાં યુએસએ સપ્લાય ચેઇન સ્થિરતાને પ્રાથમિકતા આપી છે.

ક્વાડ અને ભવિષ્યની વ્યૂહરચના

માર્કો રુબિયો પણ ભારતમાં ક્વાડ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ સહયોગ અને મહત્વપૂર્ણ ટેકનોલોજી શેરિંગ પર વ્યૂહરચના બનાવશે. ભારત માટે, આ બેઠક તેની ડગમગતી અર્થવ્યવસ્થાને સ્થિર કરવા અને રાહત આપવાનું એક માધ્યમ છે, જ્યારે વોશિંગ્ટન માટે, આ એશિયન સુપરપાવર અમેરિકા સાથે વ્યૂહાત્મક રીતે સંપૂર્ણ રીતે જોડાયેલ રહે તે સુનિશ્ચિત કરવાની તક છે.

Ferrari ગાડી લેવી છે? ભારતમાં Ferrari સીધી ₹3 કરોડ સુધી સસ્તી થશે! જાણો કઈ રીતે અને ક્યારે?

DA Hike : રિટાયર્ડ કર્મચારીઓને મોટી રાહત ! DR વધારાની સરકારે કરી જાહેરાત

8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓની મોજ..હેલ્પરથી લઈને સીનિયર સુધીના સ્ટાફના પગારમાં થઈ શકે છે વધારો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

45W चार्जिंग के साथ 10000mAh पावरबैंक Ugreen ने किया लॉन्च, जानें कीमत

Ugreen की ओर से नया पावरबैंक लॉन्च किया गया है जो 10,000mAh बैटरी के साथ आता है। यह कंपनी का नया PB610 मॉडल है जो 45W फास्ट चार्जिंग करता है। पावरबैंक के भीतर एक यूएसबी-सी केबल दी गई है। इसे सीधे डिवाइस में लगाया जा सकता है। यानी यूजर को अलग से केबल लेकर चलने की जरूरत नहीं है।

Gold In Car : તમારી કારના આ ભાગમાં હોય છે 24 કેરેટ Gold ! જાણો ગાડીઓમાં તેનું શું કામ ?

ગરમીમાં તમારી કારનું એન્જિન ઓવરહીટ થતા પહેલા આપે છે આ સંકેત, જાણી લેજો નહીં તો લાગશે આગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : ટ્ર્મ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ ! ઈરાની આતંકી કનેક્શન આવ્યું સામે

Breaking News : ટ્ર્મ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ ! ઈરાની આતંકી કનેક્શન આવ્યું સામે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાના એક ભયાનક કાવતરાનો પર્દાફાશ થયો છે. ઈરાનના લશ્કરી દળ, ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) દ્વારા તાલીમ પામેલા એક ખતરનાક આતંકવાદીએ ઇવાન્કા ટ્રમ્પનો જીવ લેવા માટે એક વ્યાપક યોજના ઘડી હતી.

ઇવાન્કાની હત્યાનો પ્રયાસ !

ધ પોસ્ટ અખબાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીએ તેના માર્ગદર્શક અને ઈરાની લશ્કરી કમાન્ડર, કાસેમ સુલેમાનીના મૃત્યુનો બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો, જે છ વર્ષ પહેલાં યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા.

સુરક્ષા એજન્સીઓએ ઇવાન્કા ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનાર આતંકવાદીની ધરપકડ કરી છે. તેની ઓળખ 32 વર્ષીય મોહમ્મદ બાકિર સાદ દાઉદ અલ-સાદી તરીકે થઈ છે. તે ઇરાકી નાગરિક હોવાનું જાણવા મળે છે.

કાસિમ સુલેમાનીના મૃત્યુનો બદલો લેવા માટે આતંકવાદી

હકીકતમાં, છ વર્ષ પહેલાં બગદાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કાર્ય કરીને અમેરિકાએ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તેણે ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર, કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. અલ-સાદી આ હુમલાને તેના માર્ગદર્શકની હત્યા તરીકે જોતો હતો અને ત્યારથી, ટ્રમ્પ પરિવારનો નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો.

આરોપી, અલ-સાદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર ખાસ કરીને તેમની પુત્રી, ઇવાન્કા ટ્રમ્પને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તપાસ દરમિયાન, સુરક્ષા દળોએ અલ-સાદીના કબજામાંથી ફ્લોરિડામાં ઇવાન્કા ટ્રમ્પના વૈભવી ઘરનો સંપૂર્ણ બ્લુપ્રિન્ટ મેળવ્યો. તે લાંબા સમયથી તેના નિવાસસ્થાન પર જાસૂસી કરી રહ્યો હતો.

‘આપણે ઇવાન્કા ટ્રમ્પને મારી નાખવી જોઈએ’

વોશિંગ્ટનમાં ઇરાકી દૂતાવાસમાં ભૂતપૂર્વ ડેપ્યુટી મિલિટરી એટેચી, એન્ટિફાધ કનબાર, આ આતંકવાદીના ઇરાદાઓ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, “કાસિમ સુલેમાનીના મોત પછી, અલ-સાદી લોકોને કહેતો ફરતો હતો કે, ‘આપણે ઇવાન્કા ટ્રમ્પને મારી નાખવી જોઈએ.’” “તે કહેતો હતો કે જેમ તેણે આપણા ઘર (કમાન્ડર સુલેમાની)નો નાશ કર્યો હતો, તેમ આપણે ટ્રમ્પના આખા ઘરને બાળીને રાખ કરી દેવું જોઈએ.”

Breaking News : SBI ગ્રાહકો માટે જરુરી સૂચના..આજથી 6 દિવસ બેંકમાં નહીં થઈ શકે કોઈ પણ કામ, જાણો કેમ?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

નૌતપાના 9 દિવસ ખૂબ જ પવિત્ર હોય છે, આ સમય દરમિયાન સૂર્ય દેવની પૂજાનું મહત્વ કેમ વધે છે તે જાણો

નૌતપાના 9 દિવસ ખૂબ જ પવિત્ર હોય છે, આ સમય દરમિયાન સૂર્ય દેવની પૂજાનું મહત્વ કેમ વધે છે તે જાણો

Nautapa Surya Dev Puja Significance: હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં નૌતપાનું વિશેષ મહત્વ છે. નૌતપાના નવ દિવસો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, નૌતપા રોહિણી નક્ષત્રમાં સૂર્ય દેવના ગોચર સાથે સંબંધિત છે. નૌતપાની શરૂઆત સૂર્ય દેવના રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી થાય છે. નૌતપા દરમિયાન સૂર્ય દેવ પોતાની ટોચની ઉર્જા પર હોય છે. આ સમય દરમિયાન, સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે, જેના કારણે નૌતપા અત્યંત ગરમ હોય છે.

25 મે થી શરૂ થાય છે

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ સમય ફક્ત હવામાનમાં પરિવર્તનનો સંકેત આપતો નથી, પરંતુ પૂજા, જપ, તપ અને દાન માટે પણ એક ખાસ સમય માનવામાં આવે છે. આ વર્ષે, નૌતપાના નવ દિવસ 25 મે થી શરૂ થાય છે અને 2 જૂન સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, પૃથ્વી પ્રચંડ ગરમીમાં રહેશે. આ નવ દિવસો દરમિયાન સૂર્ય ભગવાનની પૂજા કરવામાં નોંધપાત્ર વધારો થાય છે.

નૌતપાના નવ દિવસોનું મહત્વ

નૌતપા એ આધ્યાત્મિક અભ્યાસ અને આત્મશુદ્ધિનો સમય છે. આ નવ દિવસો દરમિયાન, ભક્તો પૂજા, તપ અને દાન કરે છે, જે ખાસ પુણ્ય પરિણામો આપે છે. ધાર્મિક માન્યતા મુજબ નૌતપા દરમિયાન કરવામાં આવેલ દાન પૂર્વજો તરફથી આશીર્વાદ લાવે છે. સૂર્ય ભગવાનની પૂજાની સાથે, સત્તુ, ઘડો, છત્રી, ઠંડુ પાણી, પંખો અને અન્ય ઠંડી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે.

આ જ કારણ છે કે સૂર્ય દેવની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ છે

ધાર્મિક માન્યતાઓ અનુસાર, નૌતપાના નવ દિવસોમાં સૂર્ય દેવની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ સમયે સૂર્ય દેવ પોતાની બધી શક્તિ અને તીવ્રતા સાથે પૃથ્વીની સૌથી નજીક હોય છે. આ સમય દરમિયાન સૂર્યના કિરણો સીધા અને તીવ્રપણે પૃથ્વી પર પડે છે.

સૂર્ય દેવની પૂજા કરવાથી આશીર્વાદ મળે છે

નૌતપા દરમિયાન ભક્તો દરરોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્ય દેવને જળ અર્પણ કરે છે અને સુખ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન સૂર્ય દેવની પૂજા કરવાથી બધા દેવી-દેવતાઓ તરફથી આશીર્વાદ મળે છે, જીવનમાં ઊર્જા અને આરોગ્ય જળવાઈ રહે છે.

કળિયુગનો અંત ક્યારે આવશે? પુરાણોમાં લખાયેલું ચોંકાવનારું સત્ય

10000mAh बैटरी वाला कॉम्पेक्ट, मैग्नेटिक पावरबैंक Xiaomi ने किया लॉन्च, जानें कीमत

Xiaomi ने नया पोर्टेबल पावरबैंक लॉन्च किया है जो साइज में बहुत ही कॉम्पेक्ट है। यह Xiaomi Jinshajiang अल्ट्रा-थिन मेग्नेटिक पावरबैंक है जो 10000mAh बैटरी के साथ आता है। इसमें 45W तक चार्जिंग स्पीड का सपोर्ट दिया गया है जो आपके स्मार्टफोन, टैबलेट आदि डिवाइसेज को तेजी से चार्ज कर सकता है। इसमें GSR सिलिकॉन-कार्बन बैटरी लगी है।