Gujarat Local Body Election Results 2026: ગુજરાતી જનતાનો જોરદાર કરંટ, ‘પાર્ટી’ ગઈ તેલ લેવા, આ હાઈપ્રોફાઈલ ઉમેદવારોને ઘેર રવાના કર્યા

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ના પરિણામોએ રાજ્યના અનેક દિગ્ગજો અને હાઈ-પ્રોફાઈલ ઉમેદવારોના રાજકીય ગણિતો ઊંધા પાડી દીધા છે. આ ચૂંટણીમાં જનતાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે માત્ર નામ કે ભૂતકાળનો મોભો જીત અપાવવા માટે પૂરતો નથી. લોકગાયકોથી લઈને નિવૃત્ત અધિકારીઓ સુધીના અનેક ચહેરાઓને મતદારોએ નકારી કાઢ્યા છે.

દિગ્ગજોના ગઢ ધરાશાયી

સૌથી મોટો આંચકો જૂનાગઢમાં જોવા મળ્યો, જ્યાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને જિલ્લા પંચાયતની બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. તો રાજકોટમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર સૌથી વધુ ચર્ચામાં છે, શામળાજીમાં ભાજપની ટિકિટ પર લડનાર નિવૃત્ત IPS મનોજ નીનામા પણ 2700 મતોથી પછડાયા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનોજ સોરઠિયા અને પાયલ સાકરિયા પણ હાર્યા છે. જાણીતા લોકગાયક માયાભાઈ આહિરની પુત્રી સોનલ ડેરને પણ લાઠીમાં જનતાએ સ્વીકાર્યા નથી.

બળવાખોરોનો દબદબો

એકતરફ દિગ્ગજો હાર્યા છે, ત્યારે બીજી તરફ ભાજપ-કોંગ્રેસ સામે બળવો કરનારા અપક્ષ ઉમેદવારોનો વિજય જનતાનો મિજાજ દર્શાવે છે. વાપી નગરપાલિકાના વોર્ડ નં. 12 માં બળવાખોર જીતુ માયાવંશીની આગેવાનીમાં આખેઆખી અપક્ષ પેનલ વિજેતા બની છે. જ્યારે સુરતના કડોદરામાં ટિકિટ ન મળતા બળવો કરનાર ભોળા ભરવાડ અપક્ષ લડીને વિજયી થયા છે. આ પરિણામો સાબિત કરે છે કે સ્થાનિક લેવલે પક્ષ કરતા ઉમેદવારની છબી વધુ મહત્વની સાબિત થઈ છે.

આ પણ વાંચો—-    Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં છવાયો કેસરીયો, જાણો કાર્યકર્તાઓ સાથેની એ કઈ સીક્રેટ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?

Bharuch : ચૈતર વસાવાની લાફાબાજી પર મનસુખ વસાવા લાલઘૂમ, AAP તોડપાણી કરવા આવે છે, ધારાસભ્ય થઈ ગેટ કૂદવુ શોભતું નથી

ભરૂચ GIDCમાં લાગેલી આગ બાદ પીડિતોને ન્યાય અપાવવાના નામે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલી ‘લાફાબાજી’ અને ધમાલનો મામલો હવે જોર પકડી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, એક જવાબદાર ધારાસભ્ય તરીકે કોઈને લાફો મારવો કે કાયદો હાથમાં લેવો તે જરાય યોગ્ય નથી.

“ચૈતર વસાવા કાયમ આવું જ કરતા આવ્યા છે”

મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે કામદારોના મોત થયા છે તેમને યોગ્ય વળતર મળે તે માટે અમે પહેલેથી જ તંત્ર અને કંપની સાથે વાતચીત કરી છે. પરંતુ ચૈતર વસાવાની આદત કાયમ આવી જ રહી છે. એક લોકપ્રતિનિધિ તરીકે તેમણે યોગ્ય રીતે રજૂઆત કરવી જોઈએ, તેને બદલે ગેટ કૂદીને અંદર જવું અને સુરક્ષાકર્મીઓ કે અન્ય સાથે આવી વર્તણૂક કરવી તે પદની ગરિમાને શોભતું નથી.

AAP પર ‘તોડપાણી’નો આક્ષેપ

સાંસદે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “AAP ના નેતાઓ આવી દુઃખદ ઘટનાઓમાં માત્ર ‘તોડપાણી’ કરવા માટે જ આવતા હોય છે.” તેમણે વધુમાં યાદ અપાવ્યું કે, તાજેતરમાં જ કોર્ટ દ્વારા શરતોને આધીન તેમને ડેડિયાપાડામાં પ્રવેશ મળ્યો છે, અને બે-ત્રણ દિવસમાં જ તેમણે ફરી આવી બબાલ કરીને પોતાની માનસિકતા છતી કરી છે.

ન્યાય અપાવવાની પદ્ધતિ કાયદાકીય હોવી જોઈએ

મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે, પીડિતોને ન્યાય અપાવવાની પદ્ધતિ કાયદાકીય હોવી જોઈએ, નહીં કે ગુંડાગીરીભરી. આ નિવેદન બાદ ભરૂચ અને નર્મદાના રાજકારણમાં ભાજપ અને ‘આપ’ વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની છે.

આ પણ વાંચો—   Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી

HMD Vibe 2 5G जल्द होगा भारत में लॉन्च, Flipkart के जरिए होगी बिक्री

देश में HMD Vibe 2 5G को अगले महीने लॉन्च किया जाएगा। इस स्मार्टफोन में फ्लैट डिस्प्ले हो सकता है। देश में पिछले वर्ष सितंबर में पेश किए गए HMD Vibe 5G में 6.67 इंच HD+ पंच होल IPS 2.5D कर्व्ड डिस्प्ले (720 x 1,604 पिक्सल्स) 90 Hz के रिफ्रेश रेट के साथ है। इस स्मार्टफोन में Unisoc T760 प्रोसेसर का इस्तेमाल किया गया है।

ચૂંટણી પૂરી થતા જ એક્શનમાં સરકાર! 60 ઉચ્ચ અધિકારીઓની બદલી-બઢતીના આદેશો તાત્કાલિક જારી

ચૂંટણી પૂરી થતા જ એક્શનમાં સરકાર! 60 ઉચ્ચ અધિકારીઓની બદલી-બઢતીના આદેશો તાત્કાલિક જારી

Local Body Elections 2026: વાવ-થરાદના પૂર્વ સદસ્ય ભુરાજી ઠાકોરના મંત્રી સ્વરૂપજી પર આકરા પ્રહાર, મંત્રીએ પાર્ટીની ઘોર ખોદી, પરિણામ ભોગવવું પડશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે બનાસકાંઠા ભાજપમાં ભડકો થયો છે. વાવ-થરાદ પંથકના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભુરાજી ઠાકોરે રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી ખળભળાટ મચાવી દીધો છે. ભુરાજી ઠાકોરે ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે મંત્રીએ પક્ષમાં ‘વ્હાલા-દવાલા’ની નીતિ અપનાવી ભાજપની ઘોર ખોદી છે.

ટિકિટ ફાળવણીમાં અન્યાયનો આક્ષેપ

ભુરાજી ઠાકોરે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, મંત્રી સ્વરૂપજી ઠાકોરે ટિકિટ ફાળવણીમાં પાયાના કાર્યકરોની અવગણના કરી છે. અમારી માંગણી હોવા છતાં ઈરાદાપૂર્વક ટિકિટ ન આપી કોંગ્રેસમાંથી આવેલા નવા ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે મંત્રીની આ જોહુકમીનું ભયંકર પરિણામ ભાજપે ભોગવવું પડશે.

ખોટા વચનો અને વિકાસના કામોનો અભાવ

આક્ષેપોની યાદીમાં ભુરાજીએ વધુમાં ઉમેર્યું કે, પેટાચૂંટણી વખતે મુખ્યમંત્રીની હાજરીમાં સ્વરૂપજી ઠાકોરે 13 ગામોને નર્મદાના પાણી આપવાનું વચન આપ્યું હતું, જે હજુ સુધી પૂરું થયું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાના કામો ઠપ્પ છે. મંત્રી લોકોને રોડ પહોળો થશે તેવા ખોટા વાયદા આપી ઉલ્લુ બનાવી રહ્યા છે.

જાગૃત થવા અપીલ

ભુરાજી ઠાકોરે મતદારો અને કાર્યકરોને અપીલ કરી છે કે ખોટા વચનો આપી પક્ષમાં પેસી જનારા આવા નેતાઓને પાઠ ભણાવવો જરૂરી છે. ચૂંટણીના પરિણામો પહેલા જ ઉઠેલા આ બગાવતી સૂર ભાજપ માટે ચિંતાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો—-     Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી

Chhota Udepur News: પાવી જેતપુર પાસે ટ્રેલર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, MPના બે યુવકોના મોત

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર રોડ પર આવેલી વન કુટિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પાવાગઢ ખાતે માં કાલિકાના દર્શન કરીને પરત ફરી રહેલા મધ્ય પ્રદેશના બે યુવકોની બાઇકને એક પૂરઝડપે આવતા ટ્રેલરે અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

બે યુવકોએ ગુમાવ્યા જીવ

ઘટનાની મળતી વિગતો અનુસાર, મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના મંડાર ગામના બે યુવકો બાઇક પર પાવાગઢ દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરીને પરત ઘરે જતી વખતે પાવી જેતપુર પાસે કાળમુખા ટ્રેલરે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓને કારણે તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

મૃતકોની ઓળખ

અકસ્માતમાં જીવ ગુમાવનાર બંને યુવકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં શૈતાન મેહડા (રહે. મંડાર ગામ, જિ. અલીરાજપુર, MP) અને રાયમલ મેહડા (રહે. મંડાર ગામ, જિ. અલીરાજપુર, MP)નો સમાવેશ થાય છે.

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પાવી જેતપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રેલર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાવાગઢ દર્શને ગયેલા યુવાનોના મોતના સમાચાર મળતા જ તેમના વતન મંડાર ગામમાં માતમ છવાઈ ગયો છે.

આ પણ વાંચો – Chhota Udepur: છોટાઉદેપુર નગરમાં ગમે ત્યારે પાણીની ટાંકી તૂટે તેવી ભીતિ

Gujarat Election 2026: ગુજરાત મનપા ચૂંટણી 2026 પત્રકારોનો પોલ, જાણો 15 શહેરોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે?

Gujarat Election 2026: ગુજરાત મનપા ચૂંટણી 2026 પત્રકારોનો પોલ, જાણો 15 શહેરોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે?

Rajkot News: જસદણમાં આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા 4 માસૂમ બાળકો ડૂબ્યા, પાળી પરથી મળી માત્ર સાયકલ અને કપડાં

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક અત્યંત કરૂણ સમાચાર સામે આવ્યા છે. જસદણથી આશરે 4 કિલોમીટર દૂર બાખલવડ પાસે આવેલા આલણ સાગર તળાવમાં નહાવા પડેલા ચાર કિશોરો ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે અને ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરી છે.

તળાવની પાળ પરથી મળ્યા કપડાં અને સાયકલ

ઘટનાની મળતી માહિતી અનુસાર, સામાન્ય પરિવારના ચાર બાળકો બપોરના સમયે તળાવે ન્હાવા માટે ગયા હતા. મોડી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન તળાવની પાળ પરથી બાળકોની સાયકલ અને કપડાં મળી આવ્યા હતા, જેના પરથી બાળકો પાણીમાં ડૂબ્યા હોવાની પ્રબળ આશંકા સાથે તંત્રને જાણ કરવામાં આવી હતી.

ગૂમ થયેલા બાળકોની વિગત

તળાવની જળરાશિમાં ગૂમ થયેલા ચારેય બાળકો એક જ જ્ઞાતિના અને મિત્રો હોવાનું જાણવા મળ્યું છે.

  • રાજવીર સામતભાઈ રાઠોડ (ઉંમર: 15 વર્ષ)
  • કિશન મનસુખભાઈ રાઠોડ (ઉંમર: 15 વર્ષ)
  • રામુભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉંમર: 14 વર્ષ)
  • કાળુભાઈ ભરતભાઈ રાઠોડ (ઉંમર: 10 વર્ષ)

યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન જાહેર

ઘટનાને પગલે જસદણ પોલીસ અને ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી ડેમના ઊંડા પાણીમાં બાળકોને શોધવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચાર-ચાર માસૂમ બાળકોના ડૂબવાની આશંકાએ સમગ્ર જસદણ પંથકમાં અને બાળકોના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો – Rajkot News: ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં લાગી આગ, ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે

શું ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ નક્કી? ટ્રમ્પે છેલ્લી ઘડીએ ડેલિગેશનને મોકલવાનું ટાળ્યું, જાણો હવે શું થશે?

શું ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ નક્કી? ટ્રમ્પે છેલ્લી ઘડીએ ડેલિગેશનને મોકલવાનું ટાળ્યું, જાણો હવે શું થશે?

Surat : અલથાણ છેડતી પ્રકરણમાં મોટો ધડાકો, સમગ્ર છેડતી પ્રકરણ જ AAPનું સ્ક્રીપ્ટેડ ષડયંત્ર હોવાનો ખુલાસો

સુરતમાં અલથાણ વિસ્તારમાં બનેલી છેડતીની ઘટનામાં એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં આ સમગ્ર પ્રકરણ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રચાયેલું એક સ્ક્રિપ્ટેડ કાવતરું હોવાનો ઘટસ્ફોટ થયો છે આ ક્લિપમાં ‘આપ’ના ઉમેદવાર જીવરાજ પટેલના માણસ અને અન્ય વ્યક્તિ વચ્ચે થયેલો સંવાદ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. રિકન્ટ્રક્શન દરમ્યાન પોલીસ અને ભાજપ વિરુદ્ધ નારા લાગવાનું આયોજન હતું. પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય ખાતે હોબાળો કરવાનું પણ આયોજન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

“ક્રેડિટ હર્ષ સંઘવી ન લઈ જાય તે જોજો”

વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે કે, “પોલીસે પેલાની (આરોપીની) સર્વિસ કરી નાખી છે, પણ આપણે ઢીલા પડવાનું નથી. જો આપણે ઢીલા પડીશું તો બધી ક્રેડિટ હર્ષ સંઘવી લઈ જશે.” આ સંવાદ પરથી એવું પ્રતીત થાય છે કે પોલીસની ત્વરિત કામગીરીને જ્ઞાતિગત એંગલ આપીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ક્લિપમાં એવી પણ વાત છે કે, “અંદર છે એ માણસ આપણો છે, બધું ઠંડુ પડે એટલે છોડાવી લઈશું.” ઓડિયોમાં સંભળાય છે કે તરત જ પોલીસ સ્ટેશન, ભાજપ કાર્યાલય પર હોબાળો કરવાનો છે અને આખી વાત આપણી બાજુ વળી જશે, પાટીદારો ભાજપની કરી નાખશે

ભાજપ નેતાની ભવિષ્યવાણી સાચી પડી?

નોંધનીય છે કે, ભાજપના નેતા રાજુ કરપડાએ અગાઉ જ ભવિષ્યવાણી કરી હતી કે આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે છેલ્લી ઘડીએ કોઈ મોટું કાવતરું રચી શકે છે. મતો મેળવવા માટે ‘આપ’ ગુજરાતની શાંતિ ડહોળવાનું નીચ કૃત્ય કરી રહી છે. મુસ્લિમ તૃષ્ટિકરણ અને પાટીદારોને ભાજપ વિરુદ્ધ ઉશ્કેરવા માટે આ આખું ષડયંત્ર રચાયું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

આ પણ વાંચો—    Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!