Gir Somnathના ઉનામાં મતદાન પહેલા જ ભાજપનો વિજય ટંકાર: સનખડા તાલુકા પંચાયત બેઠક બિનહરીફ

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ જીતનો પાયો નાખ્યો છે. ઉના તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની આ ચૂંટણીમાં ભાજપે ઉના બેઠક પરથી પ્રારંભિક જીત મેળવીને અન્ય બેઠકો પર પણ મજબૂત પકડના સંકેત આપ્યા છે.

સનખડા બેઠક પર ભાવનાબેન બિનહરીફ

ઉના તાલુકા પંચાયતની સનખડા (બેઠક નં. 19) જે એસ.ટી. (ST) અનામત માટે ફાળવવામાં આવી હતી, તે બેઠક પર ભાજપના ઉમેદવાર ભાવનાબેન નાથાભાઈ સાવધારીયા બિનહરીફ ચૂંટાયા છે. આ બેઠક પર વિરોધ પક્ષના કોઈ પણ ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા અથવા ફોર્મ ન ભરાતા, ભાવનાબેન સાવધારીયાને ચૂંટણી અધિકારી દ્વારા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષની ગેરહાજરીએ ભાજપ માટે આ જીતનો રસ્તો સરળ બનાવી દીધો છે.

ભાજપ છાવણીમાં વિજયોત્સવનો માહોલ

મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ ઉના તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલતા સ્થાનિક સંગઠનમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સનખડા બેઠક પરની આ જીતને ભાજપના નેતાઓ વિકાસના કાર્યો અને જનતાના વિશ્વાસની જીત ગણાવી રહ્યા છે. બિનહરીફ જાહેર થતા જ ભાવનાબેન સાવધારીયા અને તેમના સમર્થકોએ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. આ સફળતા બાદ હવે ભાજપ જિલ્લાની અન્ય બેઠકો પર પણ સંપૂર્ણ પ્રભુત્વ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Kalol નગરપાલિકામાં ભાજપનું ખાતું ખુલ્યું: જયશ્રીબેન પટેલ બિનહરીફ જાહેર, ચૂંટણી જંગ પૂર્વે જ કેસરીયો લહેરાયો

ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકાની ચૂંટણીના રણમેદાનમાં સત્તાધારી પક્ષ ભાજપે પ્રારંભિક સફળતા મેળવી છે. કલોલ નગરપાલિકાની એક બેઠક પર ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલ બિનહરીફ જાહેર થયા છે. અન્ય ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાતા અથવા ટેકનિકલ કારણોસર રદ થતા જયશ્રીબેનનો વિજય નિશ્ચિત બન્યો છે. મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ એક બેઠક જીતી લેતા ભાજપના છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સૌથી છેલ્લે જાહેર થયા હતા ઉમેદવાર

રસપ્રદ વાત એ છે કે, ભાજપ દ્વારા આ બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત સૌથી છેલ્લે કરવામાં આવી હતી. ઉમેદવારની પસંદગીમાં વિલંબ હોવા છતાં, પક્ષની રણનીતિ અને સ્થાનિક સમીકરણોને કારણે આ બેઠક બિનહરીફ કરવામાં સફળતા મળી છે. પક્ષના મોવડી મંડળ દ્વારા જે વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો, તે બિનહરીફ જીત સાથે સાર્થક થયો છે. આ જીતથી કલોલના રાજકારણમાં ભાજપની પકડ વધુ મજબૂત હોવાના સંકેત મળી રહ્યા છે.

કલોલના રાજકારણમાં ગરમાવો

એક તરફ નગરપાલિકાની અન્ય બેઠકો માટે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભાજપની આ બિનહરીફ જીતે વિરોધ પક્ષો માટે મુશ્કેલી ઊભી કરી છે. બિનહરીફ જાહેર થતા જ જયશ્રીબેન પટેલ અને તેમના સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો. હવે બાકી રહેલી બેઠકો પર પણ આ જીતનો પ્રભાવ પડે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Realme Narzo 100 Lite 5G भारत में लॉन्च होगा 14 अप्रैल को, 7000mAh बैटरी के साथ धांसू फीचर्स, जानें सबकुछ

Realme Narzo 100 Lite 5G भारत में 14 अप्रैल के दिन लॉन्च होने जा रहा है। Realme Narzo 100 Lite 5G में 6.9 इंच का LCD डिस्प्ले बताया गया है। फोन में 144Hz का रिफ्रेश रेट होगा। इस फोन में कंपनी ने 900 निट्स की पीक ब्राइटनेस दी है। फोन का सबसे बड़ा हाइलाइट फीचर इसकी बैटरी क्षमता है। फोन में कंपनी ने 7000mAh की बैटरी दी है।

Local Body Elections 2026 : અમદાવાદના નરોડામાં ટિકિટ વિતરણ મુદ્દે ભાજપમાં મોટો ભડકો, કાર્યકરોએ આપ્યા સામૂહિક રાજીનામા, જાણો શું છે વિવાદ

અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નરોડા વિધાનસભા વિસ્તારમાં ટિકિટ ફાળવણીને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પક્ષના શિસ્તબદ્ધ ગણાતા માળખામાં ભંગાણના સંકેતો દેખાઈ રહ્યા છે.

વોટ્સએપ ગ્રુપમાં કકળાટ અને રાજીનામા

ગઈકાલ સાંજથી જ નરોડા ભાજપના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ પોતાનો રોષ ઠાલવવાનું શરૂ કર્યું હતું. અનેક સક્રિય અને પાયાના કાર્યકરોએ ગ્રુપમાં જ પોતાના રાજીનામા મૂકી દીધા હતા. કાર્યકરોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો વહાવનારા જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવી છે અને તેમના બદલે છેલ્લી ઘડીએ આવેલા ‘નવા’ ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

સગાવાદના આક્ષેપો

નરોડામાં ભાજપ સંગઠનમાં નારાજગી જોવા મળી. જૂના કાર્યકરોની અવગણના થતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો. સ્થાનિક ધારાસભ્ય પર સગાવાદના આક્ષેપ લગાવ્યો. સોશિયલ મીડિયામાં વ્હોટસગ્રુપમાં કાર્યકરોમાં આક્રોશને લઈને ચર્ચા ચકડોળે ચઢી. સ્થાનિક કાર્યકરોએ ધારાસભ્ય (MLA) સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ટિકિટ મેળવવામાં મેરિટના બદલે સગાવાદ અને અંગત પસંદગીને મહત્વ આપવામાં આવ્યું છે. ધારાસભ્યએ પોતાના માનીતા અને અંગત અંગત લોકોને ટિકિટ અપાવી હોવાનો ગણગણાટ પક્ષના આંતરિક વર્તુળોમાં તેજ બન્યો છે.

ડેમેજ કંટ્રોલના પ્રયાસો

એકસાથે મોટી સંખ્યામાં કાર્યકરો નારાજ થતા શહેર ભાજપ સંગઠન હરકતમાં આવ્યું છે. જો આ વિખવાદ જલ્દી શાંત નહીં થાય, તો આગામી ચૂંટણીમાં તેની સીધી અસર પરિણામો પર પડી શકે છે. નારાજ કાર્યકરો હવે અન્ય પક્ષોમાં જોડાય અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી.

આ પણ વાંચો : Local Body Elections 2026 : રાજકોટમાં નાસિક ઢોલ અને આતશબાજી વચ્ચે ઉમેદવારો ભરશે ફોર્મ, ભાજપનું શક્તિ પ્રદર્શન

Local Body Elections 2026 : મહેસાણામાં રાજકીય ભૂકંપ, નીતિન પટેલના નજીકના ટેકેદાર રાકેશ શાહના પત્ની કોંગ્રેસમાંથી લડશે ચૂંટણી

મહેસાણા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપને મોટો ફટકો પડ્યો છે. વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ચુસ્ત ટેકેદાર ગણાતા રાકેશ રાજેન્દ્રભાઈ શાહ (પેપ્સી) એ ભાજપને તિલાંજલિ આપી છે. તેમના આ નિર્ણયથી મહેસાણા ભાજપના સંગઠનમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પત્ની રાધિકા શાહને કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા

રાકેશ શાહે માત્ર પક્ષ જ નથી છોડ્યો, પરંતુ તેમની પત્ની રાધિકા શાહને કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં હવે રાજકીય સમીકરણો બદલાયા છે. રાકેશ શાહે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત સિંહ સાથે મજબૂત પેનલ બનાવી છે અને કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે

નીતિન પટેલના અત્યંત નજીકના ગણાતા કાર્યકરે છેલ્લી ઘડીએ પક્ષ પલટો કરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. રાકેશ શાહના પત્ની આજે બપોરે 12 વાગ્યે વિધિવત રીતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના શાસન સામે જૂના કાર્યકરોમાં રહેલો અસંતોષ હવે સપાટી પર આવ્યો હોય તેમ જણાય છે, જે આગામી પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો—-     Gujarat Latest News Live : અમદાવાદ અને વડોદરા મનપામાં અનેક મોટા ચહેરા કપાયા, બંને શહેરોમાં મેયર, ડે.મેયરની બાદબાકી

Cabbage vs Cauliflower: ફ્લાવર કે કોબીજ… શેમાં વધુ પોષક તત્વો હોય છે, કયું ખાવામાં વધુ ફાયદાકારક છે?

Cabbage vs Cauliflower: ફ્લાવર કે કોબીજ… શેમાં વધુ પોષક તત્વો હોય છે, કયું ખાવામાં વધુ ફાયદાકારક છે?

લીલા શાકભાજી દરેક ભારતીય ખોરાકમાં મુખ્ય હોય છે. આમાંની ઘણી શાકભાજીના નામ સમાન હોય છે, જેનાથી પ્રશ્ન થાય છે કે શેમાં વધુ પોષક તત્વો છે અને શેમાં વધુ ફાયદાકારક છે. ફ્લાવર અને કોબીજ આ બે શાકભાજી છે. તેમના નામ સમાન છે, પરંતુ તેમના પોષક મૂલ્યો અલગ છે. બંનેનો ઉપયોગ ભારતીય રસોડામાં વ્યાપકપણે થાય છે. તેમને સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે છે કારણ કે તેમાં ઘણા પોષક તત્વો હોય છે. જો કે મૂંઝવણ રહે છે કે કઈ શાકભાજી વધુ ફાયદાકારક છે.

તેનો સ્વાદ જ અલગ નથી, પરંતુ તેમાં પોષક તત્વો પણ અલગ છે. ચાલો ફ્લાવરમાં રહેલા પોષક તત્વો અને આ સંદર્ભમાં કોબીજ તેનાથી બેસ્ટ છે કે નહીં તે શોધી કાઢીએ.

ફ્લાવર કે કોબી… કયામાં વધુ પોષક તત્વો હોય છે?

પોષણ મૂલ્યની દ્રષ્ટિએ બંને શાકભાજીમાં કેલરી ઓછી હોય છે પરંતુ તેમાં ઘણા બધા વિટામિન અને ખનિજો હોય છે. કોબીમાં વિટામિન C અને K હોય છે અને તેને ખાવાથી ફાઇબર પણ મળે છે, જે આપણા પાચનતંત્રને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

બીજી બાજુ, ફ્લાવરમાં ફોલેટ અને ઘણા એન્ટીઑકિસડન્ટ જેવા તત્વો હોય છે. આ એન્ટીઑકિસડન્ટથી ભરપૂર શાકભાજી ડિટોક્સિફિકેશન અને બળતરા અટકાવવામાં અસરકારક છે. એગ્રોનોમી જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ફ્લાવરમાં કોબી કરતાં ગ્લુકોસિનોલેટ્સ જેવા વધુ એન્ટીઑકિસડન્ટ સંયોજનો હોય છે.

સામાન્ય રીતે, તમે દરરોજ કોબી ખાઈ શકો છો કારણ કે તે વિટામિન અને ફાઇબરથી ભરપૂર હોય છે. જોકે, કોબીજમાં વધુ એન્ટીઑકિસડન્ટ હોય છે.

ફ્લાવર અને કોબીજના સ્વાસ્થ્ય લાભો

કોબીજ પાચન માટે શ્રેષ્ઠ છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર છે અને બળતરા ઘટાડે છે. બીજી બાજુ, ફ્લાવર રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે કારણ કે તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે. તેમાં ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે.

કેલરી અને વજન ઘટાડવાના ફાયદા

જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો ઓછી કેલરીવાળા ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરવાનું તમારા પર છે. આ ખોરાકમાં ફાઇબર હોય છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવામાં મદદ કરે છે. ઓછી કેલરીવાળા ભોજન માટે કોબી શ્રેષ્ઠ છે, કારણ કે તે સલાડમાં ખાઈ શકાય છે. ફ્લાવર.. ચોખા અને લોટ જેવા ઉચ્ચ કેલરીવાળા ખોરાક માટે પણ એક સારો વિકલ્પ બની શકે છે.

તમારે કયું પસંદ કરવું જોઈએ, ફ્લાવર કે કોબી?

આ બે ખોરાકની તુલના એ નક્કી કરવા માટે કરી શકાતી નથી કે કયું શ્રેષ્ઠ છે. બંને આવશ્યક પોષક તત્વો છે, તેથી તમારે જરૂર મુજબ તમારા આહારમાં તેનો સમાવેશ કરવો જોઈએ. જોકે, જેમને ગેસ, એસિડિટી અથવા પેટનું ફૂલવું જેવી ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓ હોય, તેમણે નિષ્ણાતની સલાહ લીધા પછી જ ફ્લાવરનું સેવન કરવું જોઈએ.

Fudina Pani Benefits : ઉનાળામાં ફૂદીનાનું પાણી પીવાના 5 ફાયદા, જાણી લેશો તો દવાખાને નહીં જવું પડે..!

11 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો માતા-પિતાને ઘરકામમાં મદદ કરશે અને કોણ રોમાંચક સમાચાર આપી શકે છે? જુઓ Video

11 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો માતા-પિતાને ઘરકામમાં મદદ કરશે અને કોણ રોમાંચક સમાચાર આપી શકે છે? જુઓ Video

આજનું રાશિફળ વીડિયો: આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

તંદુરસ્તી જાળવી રાખવા માટે તમે આજનો દિવસ રમતગમતમાં વિતાવવાનું પસંદ કરી શકો છો. ઘરના વડીલ તમારી સાથે કોઈ ખાસ વાત શેર કરી શકે છે.

વૃષભ રાશિ:-

બીજાઓ સાથે ખુશીઓ વહેંચવાથી તમારા સુખાકારીમાં વધારો થશે. આજે તમારા મામા તરફથી આર્થિક લાભ મળવાની પ્રબળ શક્યતા છે.

મિથુન રાશિ:-

બાળકો તમને કોઈ રોમાંચક સમાચાર આપી શકે છે. તમે તમારા નવરાશના સમયમાં ફિલ્મ જોઈ શકો છો.

કર્ક રાશિ:-

ઘરેણાં અને પ્રાચીન વસ્તુઓમાં રોકાણ કરવાથી ફાયદો થશે. કોઈપણ કાર્ય હાથ ધરતા પહેલા તેના પરિણામની તમારા પર કેવી અસર પડશે, તે ધ્યાનમાં લો.

સિંહ રાશિ:-

સંબંધીઓ અથવા મિત્રો તમારા ઘરે એક સુખદ સાંજ માટે આવી શકે છે. લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા પછી તમે હવે રાહતનો અનુભવ કરશો.

કન્યા રાશિ:-

માનસિક તણાવનો સામનો કરવા છતાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પૈસાની જરૂરિયાત ગમે ત્યારે ઊભી થઈ શકે છે.

તુલા રાશિ:-

પ્રિયજન અથવા જીવનસાથીનો ફોન તમારો દિવસ ખાસ બનાવી દેશે. આ રાશિના લોકો આજે તેમના ફ્રી સમય દરમિયાન સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવાની યોજના બનાવી શકે છે.

વૃશ્ચિક રાશિ:-

તમે તમારા નવરાશના સમયનો આનંદ માણી શકશો. આજે તમારા ઘરે કોઈ બિન-આમંત્રિત મહેમાન આવી શકે છે.

ધન રાશિ:-

તમે રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લઈને માનસિક સંતોષ અનુભવશો. જીવનસાથી સાથે મળીને તમે આજે ભવિષ્ય માટે નાણાકીય યોજના બનાવી શકો છો.

મકર રાશિ:-

બાળકો તેમના માતા-પિતાને ઘરકામમાં મદદ કરી શકે છે. બિઝનેસમાં નવી ભાગીદારી કરતાં પહેલા માતા-પિતા સાથે વાત કરો, પછી જ આગળ વધો.

કુંભ રાશિ:-

એક ખાસ સરપ્રાઈઝની યોજના બનાવો અને જીવનસાથીને ખુશ કરી દો. આજે તમારો ખાલી સમય બિનજરૂરી કાર્યોમાં બગડી શકે છે.

મીન રાશિ:-

સંત વ્યક્તિના આશીર્વાદ તમને માનસિક શાંતિ આપશે. જીવનસાથી પર નારાજ થવાને બદલે તેમના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Vaibhav Sooryavanshi: હમણાં નહીં, રાહ જુઓ… RCB સામે આઉટ થયા બાદ વૈભવ સૂર્યવંશી પર મોટું નિવેદન

Vaibhav Sooryavanshi: હમણાં નહીં, રાહ જુઓ… RCB સામે આઉટ થયા બાદ વૈભવ સૂર્યવંશી પર મોટું નિવેદન

IPL 2026માં વૈભવ સૂર્યવંશીનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. તે દરેક મેચમાં દરેક વિરોધી અને દરેક બોલર સામે રનનો વરસાદ કરી રહ્યો છે. તે અનેક છગ્ગા ફટકારી રહ્યો છે અને તેનો સ્ટ્રાઇક રેટ આસમાને છે. પરંતુ “રાહ જોવા”નું કારણ શું છે? RCB સામે વૈભવ સૂર્યવંશીના આઉટ થયા પછી આ મોટું નિવેદન આવ્યું.

ગુવાહાટીમાં RCB સામે વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટક બેટિંગ દર્શાવી. તેની બેટિંગના પરિણામે રાજસ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યું.

વૈભવ સૂર્યવંશી ગેઇલનો રેકોર્ડ તોડવામાં ચૂકી ગયો

વૈભવ સૂર્યવંશીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે માત્ર 26 બોલમાં 300 ના સ્ટ્રાઇક રેટથી 78 રન બનાવ્યા. તેની વિસ્ફોટક ઇનિંગમાં સાત છગ્ગા અને આઠ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. વૈભવ સૂર્યવંશીની વિકેટ કૃણાલ પંડ્યાએ લીધી હતી, જેણે તેને વિરાટ કોહલી દ્વારા કેચ કરાવ્યો હતો. આરસીબી સામે આઉટ થતાં, વૈભવ સૂર્યવંશી આઈપીએલમાં સૌથી ઝડપી સદીનો ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડવામાં ચૂકી ગયો. ગેઇલની સદી માત્ર 30 બોલમાં આવી હતી.

કોચે કહ્યું, “હમણાં નહીં, રાહ જુઓ.” રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે વૈભવ સૂર્યવંશીના આઉટ થયા પછી, તેમના કોચ, મનીષ ઓઝાએ TV9 ને કહ્યું, “હમણાં નહીં, રાહ જુઓ.” જ્યારે અમે તેમને ગેઇલના રેકોર્ડ વિશે પૂછ્યું ત્યારે તેમણે આ કહ્યું.

મનીષ ઓઝાએ કહ્યું કે, સમય આવશે અને તે ફક્ત IPL 2026 માં જ આવશે. કોઈપણ મેચમાં જ્યાં રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટિંગ કરી રહી હોય, ત્યાં વૈભવ પર નજર રાખો. તે ગેઇલનો 175 રનનો રેકોર્ડ પણ તોડી નાખશે.

સ્ટ્રાઇક રેટની દ્રષ્ટિએ સૌથી વધુ “વૈભવ”

સૂર્યવંશી એવા ખેલાડી છે જેમની પાસે રન, સિક્સર અને સ્ટ્રાઇક રેટની દ્રષ્ટિએ સૌથી વધુ “વૈભવ” છે.

વૈભવ સૂર્યવંશી RCB મેચ પછી TV9 ને આપેલા તેના કોચ મનીષ ઓઝાના વચનને પૂર્ણ કરશે કે નહીં તે આ સિઝનના અંતમાં જાહેર થશે. જોકે, હાલ પૂરતું તે ચોક્કસપણે આ IPL સિઝનમાં ઓરેન્જ કેપ ધારક બની ગયો છે. RCB સામે 78 રનની ઇનિંગ રમ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ માત્ર ઓરેન્જ કેપ જ નહીં પરંતુ સિક્સનો રાજા અને સ્ટ્રાઇક રેટનો સુલતાન પણ બન્યો.

IPL 2026 માં ચાર મેચ રમ્યા બાદ, વૈભવ સૂર્યવંશીએ કુલ 200 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે સૌથી વધુ 18 સિક્સર ફટકારી છે અને તેનો સ્ટ્રાઇક રેટ 266.66 પણ સૌથી વધુ છે.

પિતા રહી ચૂક્યા છે ક્રિકેટર, કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રાહુલ ત્રિપાઠીનો જુઓ પરિવાર

Local Body Elections 2026 : વડોદરામાં કોંગ્રેસનું મોટું પગલું, 76માંથી 69 નવા ચહેરા મેદાનમાં, દિગ્ગજોના પત્તા કપાયા, જહા દેસાઇની પત્નીને ટિકિટ

મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે વડોદરા કોંગ્રેસે શુક્રવારે મોડી રાત્રે પોતાની વ્યૂહાત્મક યાદી જાહેર કરી છે. કોંગ્રેસ દ્વારા બાકી રહેલા 58 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવતાની સાથે જ શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ વખતે કોંગ્રેસે પરિવર્તનનો મંત્ર અપનાવીને કુલ 76 બેઠકોમાંથી 69 બેઠકો પર તદ્દન નવા ચહેરાઓને તક આપી છે, જે સૂચવે છે કે પક્ષ હવે નવી પેઢીને આગળ લાવવા મક્કમ છે.

 જહા દેસાઈની પત્નીને ટિકિટ

આ યાદીમાં સૌથી વધુ ચર્ચા પૂર્વ નગરસેવક જહા દેસાઈના પરિવારની થઈ રહી છે, જેમાં પક્ષે જહા દેસાઈના પત્નીને ટિકિટ આપીને મહિલા પ્રતિનિધિત્વ અને જૂના જોગીઓના પ્રભુત્વને જાળવી રાખવા પ્રયાસ કર્યો છે. વોર્ડ 01 માં પૂર્વ નગરસેવક જહા દેસાઈ ના પત્ની સોના દેસાઈ ને ટિકિટ અપાઇ છે.

નિકુલ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા

 જોકે, ટિકિટ કાપવાની પ્રક્રિયામાં અનેક વિવાદો પણ સામે આવ્યા છે. ખાસ કરીને પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કાપીને તેમના સ્થાને નિકુલ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જેને કારણે આંતરિક અસંતોષની જ્વાળાઓ ઉઠી શકે છે.

 એન્ટી-ઈન્કમ્બન્સીનો લાભ લેવાનો પ્રયાસ

કોંગ્રેસના આ ‘નવા કલેવર’ પાછળનું મુખ્ય કારણ સત્તાધારી પક્ષ સામે એન્ટી-ઈન્કમ્બન્સીનો લાભ લેવાનું અને સ્વચ્છ છબી ધરાવતા યુવા નેતાઓને મેદાનમાં ઉતારવાનું માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે વડોદરાના મતદારો કોંગ્રેસના આ પ્રયોગને કેટલો આવકારે છે.

આ પણ વાંચો—    Gujarat Latest News Live : રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે, ગરમ અને ભેજવાળી હવા ફૂંકાશે

Local Body Elections 2026 : ગીર સોમનાથમાં ચૂંટણી પૂર્વે જબરદસ્ત ઘમાસાણ, વેરાવળ નગરપાલિકા અને લોઢવા બેઠક પર ભાજપ-કોંગ્રેસમાં ભારે સસ્પેન્સ

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ઉમેદવારોના નામોને લઈને ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. ખાસ કરીને વેરાવળ નગરપાલિકાની યાદીમાં મડાગાંઠ સર્જાતા સવાર સુધી પણ સત્તાવાર જાહેરાત થઈ શકી નથી, જેને કારણે કાર્યકરોમાં ભારે રોષ અને અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.

લોઢવા બેઠક પર વિવાદ

જિલ્લા પંચાયતની વાત કરીએ તો, ભાજપે 27 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, પરંતુ હાઈપ્રોફાઈલ ગણાતી લોઢવા બેઠક પરનો વિવાદ હજુ શમવાનું નામ નથી લેતો. આંતરિક જૂથવાદ અને દાવેદારોના ભારે દબાણને કારણે પક્ષે આ બેઠક હાલમાં ‘હોલ્ડ’ પર રાખી છે. બીજી તરફ, કોંગ્રેસ પણ ભાજપના પત્તા ખૂલવાની રાહ જોઈ રહી હોય તેમ વેરાવળ નગરપાલિકા માટે પોતાની સત્તાવાર યાદી પેન્ડિંગ રાખી છે.

ફોર્મ ભરવાને લઈને અફરાતફરીનો માહોલ

વેરાવળમાં ટિકિટ ન મળતા કેટલાક જૂના જોગીઓ બળવો કરે તેવી શક્યતાને જોતા બંને પક્ષો ફૂંકી ફૂંકીને ડગલાં ભરી રહ્યા છે. મોડે સુધી નામો જાહેર ન થતા ઉમેદવારોમાં ફોર્મ ભરવાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગીર સોમનાથનું આ ‘ટિકિટ યુદ્ધ’ હવે કયા વળાંક લે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો—    Gujarat Latest News Live : રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે, ગરમ અને ભેજવાળી હવા ફૂંકાશે